વહેલી સવારે સિહોરના ઘાંઘળી નજીક બસ અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં દંપકિનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
બીજી તરફ ગોંડલના જામવાડી પાસે શ્રમિકો ભરેલી ખાનગી બસ વોંકળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.
ભાવનગર. નવરાત્રી નિમિત્તે દંપતિ ઉમરાળાના ચોગઠ ગામે માતાજીના દર્શન કરવા માટે બાઇક પર નિકળ્યું હતુ. જ્યાં ઘાંઘળી નજીક મીની બસ અને દંપતિની બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બન્નેનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે બીજી તરફ ગોંડલના જામવાજડી નજીક શ્રમિકો ભરેલી બસ ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાતા ઘાટલ શ્રમિકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાં હતા.
આ બનાવની વિગત એવી છે. બગદાણા કરમદીયા ગામે રહેતા એભલભાઇ ગેમાભાઇ ડાભી અને સોભાબેન એભલભાઇ ડાભી નવરાત્રી નિમિત્તે ઉમરાળાના ટોગઠ સ્થિત માતીજીના દર્શન કરવા માટે બાઇક પર જઇ રહ્યાં હતા. દરમિયાન શિહોરાના ઘાંઘળી નજીકથી પસાર થતા સમયે સામેથી આવતી મીની બસ અને દંપતિના બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની બન્ને ગંભીર રીતે ઘવાતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બનાવને પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતને પગલે પોલીસેને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્વાહી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે બીજી તરફ રાજકોટ જિલ્લાના જામવાડી નજીક ખાનગી ક્ષમિકો ભરેલી બસ ખાડામાં ઉતરી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસમાં રહેતા સ્થાનિકો દોડી આવતા તમાને બસમાંથી સહીસલામત બહાર કાઢી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જોકે અકસ્માતની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હતી.
વહેલી સવારે સિહોરના ઘાંઘળી નજીક બસ અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં દંપકિનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
બીજી તરફ ગોંડલના જામવાડી પાસે શ્રમિકો ભરેલી ખાનગી બસ વોંકળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.
ભાવનગર. નવરાત્રી નિમિત્તે દંપતિ ઉમરાળાના ચોગઠ ગામે માતાજીના દર્શન કરવા માટે બાઇક પર નિકળ્યું હતુ. જ્યાં ઘાંઘળી નજીક મીની બસ અને દંપતિની બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બન્નેનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે બીજી તરફ ગોંડલના જામવાજડી નજીક શ્રમિકો ભરેલી બસ ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાતા ઘાટલ શ્રમિકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાં હતા.
આ બનાવની વિગત એવી છે. બગદાણા કરમદીયા ગામે રહેતા એભલભાઇ ગેમાભાઇ ડાભી અને સોભાબેન એભલભાઇ ડાભી નવરાત્રી નિમિત્તે ઉમરાળાના ટોગઠ સ્થિત માતીજીના દર્શન કરવા માટે બાઇક પર જઇ રહ્યાં હતા. દરમિયાન શિહોરાના ઘાંઘળી નજીકથી પસાર થતા સમયે સામેથી આવતી મીની બસ અને દંપતિના બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની બન્ને ગંભીર રીતે ઘવાતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બનાવને પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતને પગલે પોલીસેને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્વાહી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે બીજી તરફ રાજકોટ જિલ્લાના જામવાડી નજીક ખાનગી ક્ષમિકો ભરેલી બસ ખાડામાં ઉતરી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસમાં રહેતા સ્થાનિકો દોડી આવતા તમાને બસમાંથી સહીસલામત બહાર કાઢી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જોકે અકસ્માતની આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હતી.