કાલુપુર અને જમાલપુર માર્કેટમાં ભેગી થતી ભીડને કાબુમાં લેવા માટે બાઉન્સરોની મદદ લેવાનો નિર્ણય :AMC
બાઉન્સરો માર્કેટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર થર્મલ ગન સાથે ઉભા રહી લોકોના ટેમ્પરેચર માપશે
ઓછુ ટેમ્પરેચર હશે તો જ શાક માર્કેટમાં પ્રવેશ મળશે
બીજી તરફ પોલીસ પણ સતત શાક માર્કેટમાં પેટ્રોલિંગ કરશે
WatchGujarat દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં લોકોની ભીડ જોવા મળતા કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો હતો. અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. ત્યારે ગત સપ્તાહમાં રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને. અમદાવાદ શહેરમાં 57 કલાકનો "સંપૂર્ણ કર્ફ્યુ" લાગુ કર્યો હતો. ત્યારબાદ પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. જો કે, 57 કલાક ઘરમાં રહ્યા બાદ પણ લોકો સમજી રહ્યા નથી. અને દિવસ દરમિયાન આખા શહેરમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે હવે કોરોના સંક્રમણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક નવતર પ્રયોગ સાથે મેદાનમાં ઝંપલાવ્યું છે. AMCએ કોરોના સંક્રમણને રોકવા માટે ભીડભાડ વાળા વિસ્તારમાં બાઉન્સરને ઉભા રાખવાનો નિર્ણય લીધો છે.
શહેરમાં 57 કલાકનું "સંપૂર્ણ કર્ફ્યુ" બાદ રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યાબાદ પણ કાલપુર અને જમાલપુરમાં શાકભાજી લેવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. જેને કારણે કોરોના સંક્રમણ થવાનું પ્રમાણ પણ વધી જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર અને જમાલપુર માર્કેટમાં ભેગી થતી ભીડને કાબુમાં લેવા માટે બાઉન્સરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. બાઉન્સરો માર્કેટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર થર્મલ ગન લઇને ઉભા રહેશે અને લોકોના ટેમ્પરેચર માપશે. સૌથી ઓછુ ટેમ્પરેચર હશે તો જ શાક માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ પોલીસ પણ સતત શાક માર્કેટમાં પેટ્રોલિંગ કરશે.
બીજી તરફ રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ કર્ફ્યુ રાત્રિ દરમિયાન છે. પરંતુ જો સંક્રમણ વધશે તો ચારેય મહાનગરોમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે રજાના દિવસો દરમિયાન દિવસના ગાળામાં પણ કર્ફ્યુ લાદવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું કે, જો રાજ્યનાં ચાર મહાનગરોમાં સંક્રમણની સ્થિતિ કાબૂમાં નહીં આવે તો રાત્રિ કર્ફ્યૂની મુદ્દત લંબાઇ શકે છે.
કાલુપુર અને જમાલપુર માર્કેટમાં ભેગી થતી ભીડને કાબુમાં લેવા માટે બાઉન્સરોની મદદ લેવાનો નિર્ણય :AMC
બાઉન્સરો માર્કેટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર થર્મલ ગન સાથે ઉભા રહી લોકોના ટેમ્પરેચર માપશે
ઓછુ ટેમ્પરેચર હશે તો જ શાક માર્કેટમાં પ્રવેશ મળશે
બીજી તરફ પોલીસ પણ સતત શાક માર્કેટમાં પેટ્રોલિંગ કરશે
WatchGujarat દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં લોકોની ભીડ જોવા મળતા કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો હતો. અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. ત્યારે ગત સપ્તાહમાં રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને. અમદાવાદ શહેરમાં 57 કલાકનો "સંપૂર્ણ કર્ફ્યુ" લાગુ કર્યો હતો. ત્યારબાદ પણ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. જો કે, 57 કલાક ઘરમાં રહ્યા બાદ પણ લોકો સમજી રહ્યા નથી. અને દિવસ દરમિયાન આખા શહેરમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે હવે કોરોના સંક્રમણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક નવતર પ્રયોગ સાથે મેદાનમાં ઝંપલાવ્યું છે. AMCએ કોરોના સંક્રમણને રોકવા માટે ભીડભાડ વાળા વિસ્તારમાં બાઉન્સરને ઉભા રાખવાનો નિર્ણય લીધો છે.
શહેરમાં 57 કલાકનું "સંપૂર્ણ કર્ફ્યુ" બાદ રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યાબાદ પણ કાલપુર અને જમાલપુરમાં શાકભાજી લેવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે. જેને કારણે કોરોના સંક્રમણ થવાનું પ્રમાણ પણ વધી જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર અને જમાલપુર માર્કેટમાં ભેગી થતી ભીડને કાબુમાં લેવા માટે બાઉન્સરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. બાઉન્સરો માર્કેટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર થર્મલ ગન લઇને ઉભા રહેશે અને લોકોના ટેમ્પરેચર માપશે. સૌથી ઓછુ ટેમ્પરેચર હશે તો જ શાક માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ પોલીસ પણ સતત શાક માર્કેટમાં પેટ્રોલિંગ કરશે.
બીજી તરફ રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ કર્ફ્યુ રાત્રિ દરમિયાન છે. પરંતુ જો સંક્રમણ વધશે તો ચારેય મહાનગરોમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે રજાના દિવસો દરમિયાન દિવસના ગાળામાં પણ કર્ફ્યુ લાદવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું કે, જો રાજ્યનાં ચાર મહાનગરોમાં સંક્રમણની સ્થિતિ કાબૂમાં નહીં આવે તો રાત્રિ કર્ફ્યૂની મુદ્દત લંબાઇ શકે છે.