તળાવ નજીક લોકોનાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા
સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બંને બાળકોનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
પોલીસે બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી
ભાવનગર. ગારીયાધારનાં પાલડી ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોનાં ડૂબી જતા મોત નીપજ્યાં છે. ઘટનાને પગલે તળાવ નજીક લોકોનાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બંને બાળકોનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજીતરફ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી. અને બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. હાલ નવરાત્રીનાં તહેવારમાં બે-બે બાળકોનાં અકાળે મોતથી નાનકડા ગામમાં કલ્પાંત છવાયો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ પાલડી ગામે રહેતો 14 વર્ષીય યુગ રાજુભાઈ બારડ અને 12 વર્ષનો નયન મુકેશભાઈ હરિયાણી નામના બે બાળકો ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. દરમિયાન અચાનક તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતા બૂમાબૂમ કરી હતી. જેને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા. તેમજ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ભારે જહેમત બાદ આખરે બંનેના મૃતદેહ જ હાથ લાગતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
તળાવ નજીક લોકોનાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા
સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બંને બાળકોનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
પોલીસે બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી
ભાવનગર. ગારીયાધારનાં પાલડી ગામે તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોનાં ડૂબી જતા મોત નીપજ્યાં છે. ઘટનાને પગલે તળાવ નજીક લોકોનાં ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બંને બાળકોનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજીતરફ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી. અને બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. હાલ નવરાત્રીનાં તહેવારમાં બે-બે બાળકોનાં અકાળે મોતથી નાનકડા ગામમાં કલ્પાંત છવાયો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ પાલડી ગામે રહેતો 14 વર્ષીય યુગ રાજુભાઈ બારડ અને 12 વર્ષનો નયન મુકેશભાઈ હરિયાણી નામના બે બાળકો ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. દરમિયાન અચાનક તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતા બૂમાબૂમ કરી હતી. જેને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા. તેમજ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે ભારે જહેમત બાદ આખરે બંનેના મૃતદેહ જ હાથ લાગતા પરિવારમાં આક્રંદ છવાયો છે.