ભાજપની સભામાં ઇંડા ફેકીને વિરોધ નોંધાવ્યો હતો
ભાજપાને ચૂંટણીની સીધી લડાઇમાં કોંગ્રેસ પહોંચી શકે તેમ નથી એટલે શાંતિ ડહોડવાનો પ્રયાસ કરે છેઃ ભાજપ
સુરતમાં ભાજપાની સભામાં ઈંડું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. પેટા ચૂંટણીને લઇને બન્ને પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પોત પોતાના પ્રચારમાં લાગેલી છે. તાજેતરમાં યોગી ચોક ખાતે સૌરાષ્ટ્રની બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપની સભામાં ઇંડા ફેકીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. જેમાં પોલીસે બે સભ્યોની ધરપકડ કરી હતી. ભાજપના મીડિયા કન્વિનરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપના મીડિયા કન્વિનર પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, સીધી રીતે હરાવી શકે તેમ નથી એટલે કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેમાં તે ફાવશે નહી. પ્રશાંત વાળાએ કહ્યુ કે, સુરતમાં ભાજપાની સભામાં ઈંડું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, આ વ્યક્તિ સુરતના કોંગ્રેસના કોર્પોરેટરના પતિ અને કોંગ્રેસના કાર્યકર છે. આ પ્રકારના કાળા કામ કોંગ્રેસના જ છે, કોંગ્રેસનો કાળો ચહેરો આજે વધુ એક વખત ખુલ્લો પડી ગયો છે.
પ્રશાંત વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપાને ચૂંટણીની સીધી લડાઇમાં કોંગ્રેસ પહોંચી શકે તેમ નથી, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી, કોઈ નેતૃત્વ નથી, માટે વારંવાર આવી નિમ્નકક્ષાની હરકતો ઉપર ઉતરીને યેનકેન પ્રકારે ગુજરાતની શાંતિ ડહોળવાના કુપ્રયાસો કોંગ્રેસ કરી રહી છે. આ પહેલા પણ કોંગ્રેસે જ્ઞાતિ-જાતિ વચ્ચે વેર-ઝેર ફેલાવી શાંત અને સલામત ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસો કરેલા.
- ભાજપની સભામાં ઇંડા ફેકીને વિરોધ નોંધાવ્યો હતો
- ભાજપાને ચૂંટણીની સીધી લડાઇમાં કોંગ્રેસ પહોંચી શકે તેમ નથી એટલે શાંતિ ડહોડવાનો પ્રયાસ કરે છેઃ ભાજપ
- સુરતમાં ભાજપાની સભામાં ઈંડું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. પેટા ચૂંટણીને લઇને બન્ને પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પોત પોતાના પ્રચારમાં લાગેલી છે. તાજેતરમાં યોગી ચોક ખાતે સૌરાષ્ટ્રની બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપની સભામાં ઇંડા ફેકીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. જેમાં પોલીસે બે સભ્યોની ધરપકડ કરી હતી. ભાજપના મીડિયા કન્વિનરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપના મીડિયા કન્વિનર પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, સીધી રીતે હરાવી શકે તેમ નથી એટલે કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેમાં તે ફાવશે નહી. પ્રશાંત વાળાએ કહ્યુ કે, સુરતમાં ભાજપાની સભામાં ઈંડું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, આ વ્યક્તિ સુરતના કોંગ્રેસના કોર્પોરેટરના પતિ અને કોંગ્રેસના કાર્યકર છે. આ પ્રકારના કાળા કામ કોંગ્રેસના જ છે, કોંગ્રેસનો કાળો ચહેરો આજે વધુ એક વખત ખુલ્લો પડી ગયો છે.
પ્રશાંત વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપાને ચૂંટણીની સીધી લડાઇમાં કોંગ્રેસ પહોંચી શકે તેમ નથી, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી, કોઈ નેતૃત્વ નથી, માટે વારંવાર આવી નિમ્નકક્ષાની હરકતો ઉપર ઉતરીને યેનકેન પ્રકારે ગુજરાતની શાંતિ ડહોળવાના કુપ્રયાસો કોંગ્રેસ કરી રહી છે. આ પહેલા પણ કોંગ્રેસે જ્ઞાતિ-જાતિ વચ્ચે વેર-ઝેર ફેલાવી શાંત અને સલામત ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસો કરેલા.