ભારત બંધનું અમલ કરવા માટે આવતી કાલ માટે ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરાય
જિલ્લા અને તાલુકા લેવલે બંધના કાર્યક્રમને સફળ બનાવાવા આજે ચર્ચા વિચારણા કરવામાં આવી
જુદા જુદા ખેડૂત આગેવાનોની ટીમનું ગઠન કરી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બંધના એલાનને સફળ બનાવવાના પ્રયાસ
સુરત AMPCએ ભારત બંધ ના એલાનને ટેકો જાહેર નથી કર્યો
આવતી કાલે સુરત APMC રાબેતા મુજબ શરૂ રાખવામાં આવશે : સંદીપ દેસાઈ, સુરત APMC ઉપપ્રમુખ
WatchGujarat કૃષિ બિલ સામે સમગ્ર દેશમાં ખેડૂતો વિરોધ કરી રહયા છે. જેના પગલે ખેડૂતો દ્વારા આવતી કાલે ભારતબંધનું એલાન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ સુરત APMC રાબેતા મુજબ શરૂ રહેશે અને બંધના એલનમાં જોડાવા ઇન્કાર કર્યો છે.
કૃષિ બિલ સામે ખેડૂતોના સમર્થનમાં આવતીકાલે ભારત બંધનું એલાન જાહેર કરાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત ખાતે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ત્યારે હાલ ભારત બંધને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ બિલ સામે છેલા ઘણા સમયથી દીલ્હીમાં ખેડૂતોનો દેશ વ્યાપી વિરોધ ચાલી રહ્યો છે. હાલ તે વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. દેશના અનેક સામજિક સંગઠનો, રાજકીય પાર્ટીઓ અને ખેડૂત સંગઠનોએ ખેડૂતના વિરોધને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે આવતીકાલે કૃષિ બિલના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે.
ભારત બંધના સમર્થનમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ આ બંધના એલાનમાં જોડાયા છે. જેને લઈ સુરત ખાતે ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ પર દક્ષિણ ગુ.ના ખેડૂત આગવવાનોની બેઠક મળી હતી. જ્યા ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, બંધના અમલ કરવા માટે આવતી કાલ માટે ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરાય છે. જિલ્લા અને તાલુકા લેવલે બંધના કાર્યક્રમને સફળ બનાવાવા આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જુદા જુદા ખેડૂત આગેવાનોની ટીમનું ગઠન કરી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બંધના એલાનને સફળ બનાવવાના પ્રયાસો કરાશે.ગાંધી ચિધ્યા માર્ગે તમામને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે અને પોતાના વ્યવસાયો એક દિવસ માટે બંધ પાળવા સમજાવા આવશે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતની અનેક APMC ભારત બંધના એલાનના સમર્થનમાં જીડાઈ નથી. સુરત AMPCએ ભારત બંધ ના એલાનને ટેકો જાહેર નથી કર્યો. સુરત APMC ના ઉપપ્રમુખ સંદીપ દેસાઈ સાથે થયેલી ટેલિફોનિક વાતચિત માં તેમને જણાવ્યું હતું કે, આવતી કાલે સુરત APMC રાબેતા મુજબ શરૂ રાખવામાં આવશે. કોઈ પણ વેપારી કે ખેડૂત પોતાના શકભાજીનું ખરીદ વેચાણ રોજ બરોજ માફક કરી શકશે. તેમજ જાહેર કરાયેલા બંધના એલનને સુરત APMC સમર્થન કે ટેકો નથી આપી રહ્યું.
આમ એક તરફ સુરત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ભારત બંધમાં જોડાયા છે. ત્યાં બીજી તરફ ખેડૂતો જ્યા પોતાનું ઉત્પાદન વહેંચવા જાય છે તે માર્કેટ યાર્ડ ભારત બંધ માં જોડાવા ઇન્કાર કરી રહ્યું છે.
More #APMC #Bharat Bandh #South Gujarat #Surat News
ભારત બંધનું અમલ કરવા માટે આવતી કાલ માટે ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરાય
જિલ્લા અને તાલુકા લેવલે બંધના કાર્યક્રમને સફળ બનાવાવા આજે ચર્ચા વિચારણા કરવામાં આવી
જુદા જુદા ખેડૂત આગેવાનોની ટીમનું ગઠન કરી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બંધના એલાનને સફળ બનાવવાના પ્રયાસ
સુરત AMPCએ ભારત બંધ ના એલાનને ટેકો જાહેર નથી કર્યો
આવતી કાલે સુરત APMC રાબેતા મુજબ શરૂ રાખવામાં આવશે : સંદીપ દેસાઈ, સુરત APMC ઉપપ્રમુખ
WatchGujarat કૃષિ બિલ સામે સમગ્ર દેશમાં ખેડૂતો વિરોધ કરી રહયા છે. જેના પગલે ખેડૂતો દ્વારા આવતી કાલે ભારતબંધનું એલાન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ સુરત APMC રાબેતા મુજબ શરૂ રહેશે અને બંધના એલનમાં જોડાવા ઇન્કાર કર્યો છે.
કૃષિ બિલ સામે ખેડૂતોના સમર્થનમાં આવતીકાલે ભારત બંધનું એલાન જાહેર કરાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત ખાતે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ત્યારે હાલ ભારત બંધને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ બિલ સામે છેલા ઘણા સમયથી દીલ્હીમાં ખેડૂતોનો દેશ વ્યાપી વિરોધ ચાલી રહ્યો છે. હાલ તે વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. દેશના અનેક સામજિક સંગઠનો, રાજકીય પાર્ટીઓ અને ખેડૂત સંગઠનોએ ખેડૂતના વિરોધને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે આવતીકાલે કૃષિ બિલના વિરુદ્ધમાં ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે.
ભારત બંધના સમર્થનમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ આ બંધના એલાનમાં જોડાયા છે. જેને લઈ સુરત ખાતે ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ પર દક્ષિણ ગુ.ના ખેડૂત આગવવાનોની બેઠક મળી હતી. જ્યા ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, બંધના અમલ કરવા માટે આવતી કાલ માટે ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરાય છે. જિલ્લા અને તાલુકા લેવલે બંધના કાર્યક્રમને સફળ બનાવાવા આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જુદા જુદા ખેડૂત આગેવાનોની ટીમનું ગઠન કરી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બંધના એલાનને સફળ બનાવવાના પ્રયાસો કરાશે.ગાંધી ચિધ્યા માર્ગે તમામને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે અને પોતાના વ્યવસાયો એક દિવસ માટે બંધ પાળવા સમજાવા આવશે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતની અનેક APMC ભારત બંધના એલાનના સમર્થનમાં જીડાઈ નથી. સુરત AMPCએ ભારત બંધ ના એલાનને ટેકો જાહેર નથી કર્યો. સુરત APMC ના ઉપપ્રમુખ સંદીપ દેસાઈ સાથે થયેલી ટેલિફોનિક વાતચિત માં તેમને જણાવ્યું હતું કે, આવતી કાલે સુરત APMC રાબેતા મુજબ શરૂ રાખવામાં આવશે. કોઈ પણ વેપારી કે ખેડૂત પોતાના શકભાજીનું ખરીદ વેચાણ રોજ બરોજ માફક કરી શકશે. તેમજ જાહેર કરાયેલા બંધના એલનને સુરત APMC સમર્થન કે ટેકો નથી આપી રહ્યું.
આમ એક તરફ સુરત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ભારત બંધમાં જોડાયા છે. ત્યાં બીજી તરફ ખેડૂતો જ્યા પોતાનું ઉત્પાદન વહેંચવા જાય છે તે માર્કેટ યાર્ડ ભારત બંધ માં જોડાવા ઇન્કાર કરી રહ્યું છે.
More #APMC #Bharat Bandh #South Gujarat #Surat News