પીવીએસ શર્મા આવકા વેરા વિભાગના પૂર્વ અધિકારી અને હાલ ભાજપના નેતા છે.
પીવીએસ શર્માએ સુરતના જ્વેલર્સ પર ટેક્સ ચોરીનો આક્ષેપ કર્યો હતો.
મુંબઈની કુસુમ સિલિકોનમાં શર્મા દોઢ લાખના પગારદાર છે.
કુલ 13 જગ્યાએ શરૂ કરેલી આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગની તપાસ હજુ ચાલી જ રહી છે.
તપાસમાં ત્રણ સ્થળેથી પાંચ લાખ રોકડા અને ત્રણ લોકરમાંથી ગોલ્ડ, ડાયમન્ડ જવેલરી, ચાંદી મળી આવ્યું છે.
વડોદરા. છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં ચાલી રહેલો મની લોન્ડરિંગ કેસમાં પીએમ સહીતના લોકોને ટ્વિટ કરી આ મામલે તપાસ કરવા માટેની મુહિમ ચલાવનાર પૂર્વ આઇટી અધિકારી અને ભાજપના નેતા પીવીએસ શર્મા પોતેજ આવકવેરા વિભાગના સકંજામાં અને તપાસમાં સપડાઈ ગયા છે. આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસમાં પોતાને સમાજસેવક કહેનાર શર્માની જ બેનામી મિલ્કતો અને આવકનો ઘટસ્ફોટ થયો છે.
પૂર્વ આઇટી અધિકારી અને હાલ સુરત શહેર ભાજપના ઉપ પ્રમુખ પીવીએસ શર્મા અને બે કંપનીના ડિરેકટરો મળી કુલ 13 જગ્યાએ શરૂ કરેલી આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગની તપાસ હજુ ચાલી જ રહી છે. હાલ ચાલી રહેલી તપાસમાં ત્રણ સ્થળેથી પાંચ લાખ રોકડા અને ત્રણ લોકરમાંથી ગોલ્ડ, ડાયમન્ડ જવેલરી, ચાંદી મળી આવ્યું છે. ઉપરાંત ઉન ગામમાં 18 સહીત 20થી વધુ પ્લોટ સુરતમાં હોવાનું બહાર આવ્યું છે. હાલ શર્માની પુછપરછ ચાલી રહી છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. શાહ એન્ડ પ્રજાપતિ કંપનીમાં હાલ ડિરેક્ટર ધવલ શાહે પોતે આ કંપની કોની છે તે ન જાણતા હોવાની વાત કેહતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તેમજ સમન્સના જવાબમાં ભાજપના અગ્રણીએ આઇટી વિભાગને જ ધમકીઓ આપી હોવાની માહિતી સામે આવી હતી. તપાસ દરમ્યાન તેમણે 100થી વધુ સવાલો પુછવામા આવ્યા હતા.
મુંબઈની કુસુમ સિલિકોનમાં શર્મા દોઢ લાખના પગારદાર છે. અને આ બાબતે તેઓ કંપનીવતી લાઇઝનીંગનું કામ કરે છે તેનો પગાર તેમણે મળે છે. અને આ કંપની કેમિકલના ધંધા સાથે સંકળાયેલી છે. આ સમગ્ર કેસમાં કલામંદિર દ્વારા મુંબઈ સેટલમેન્ટ કમિશનમાં કરાયેલા કેસ ફરી સુરત આઇટી કચેરીને રીફર કરાયો હોવાની અફવા ઉડી હતી. જોકે કમિશનના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસ એડમિટ તબક્કે છે. આગળની ચાર તબક્કાની પ્રોસિઝર બાકી છે. કોઈ પણ કેસનો નિકાલ થતાં 18 મહિના લાગે છે.
પીવીએસ શર્મા આવકા વેરા વિભાગના પૂર્વ અધિકારી અને હાલ ભાજપના નેતા છે.
પીવીએસ શર્માએ સુરતના જ્વેલર્સ પર ટેક્સ ચોરીનો આક્ષેપ કર્યો હતો.
મુંબઈની કુસુમ સિલિકોનમાં શર્મા દોઢ લાખના પગારદાર છે.
કુલ 13 જગ્યાએ શરૂ કરેલી આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગની તપાસ હજુ ચાલી જ રહી છે.
તપાસમાં ત્રણ સ્થળેથી પાંચ લાખ રોકડા અને ત્રણ લોકરમાંથી ગોલ્ડ, ડાયમન્ડ જવેલરી, ચાંદી મળી આવ્યું છે.
વડોદરા. છેલ્લા ઘણા દિવસોથી સુરતમાં ચાલી રહેલો મની લોન્ડરિંગ કેસમાં પીએમ સહીતના લોકોને ટ્વિટ કરી આ મામલે તપાસ કરવા માટેની મુહિમ ચલાવનાર પૂર્વ આઇટી અધિકારી અને ભાજપના નેતા પીવીએસ શર્મા પોતેજ આવકવેરા વિભાગના સકંજામાં અને તપાસમાં સપડાઈ ગયા છે. આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસમાં પોતાને સમાજસેવક કહેનાર શર્માની જ બેનામી મિલ્કતો અને આવકનો ઘટસ્ફોટ થયો છે.
પૂર્વ આઇટી અધિકારી અને હાલ સુરત શહેર ભાજપના ઉપ પ્રમુખ પીવીએસ શર્મા અને બે કંપનીના ડિરેકટરો મળી કુલ 13 જગ્યાએ શરૂ કરેલી આઇટી ઇન્વેસ્ટિગેશન વિંગની તપાસ હજુ ચાલી જ રહી છે. હાલ ચાલી રહેલી તપાસમાં ત્રણ સ્થળેથી પાંચ લાખ રોકડા અને ત્રણ લોકરમાંથી ગોલ્ડ, ડાયમન્ડ જવેલરી, ચાંદી મળી આવ્યું છે. ઉપરાંત ઉન ગામમાં 18 સહીત 20થી વધુ પ્લોટ સુરતમાં હોવાનું બહાર આવ્યું છે. હાલ શર્માની પુછપરછ ચાલી રહી છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. શાહ એન્ડ પ્રજાપતિ કંપનીમાં હાલ ડિરેક્ટર ધવલ શાહે પોતે આ કંપની કોની છે તે ન જાણતા હોવાની વાત કેહતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તેમજ સમન્સના જવાબમાં ભાજપના અગ્રણીએ આઇટી વિભાગને જ ધમકીઓ આપી હોવાની માહિતી સામે આવી હતી. તપાસ દરમ્યાન તેમણે 100થી વધુ સવાલો પુછવામા આવ્યા હતા.
મુંબઈની કુસુમ સિલિકોનમાં શર્મા દોઢ લાખના પગારદાર છે. અને આ બાબતે તેઓ કંપનીવતી લાઇઝનીંગનું કામ કરે છે તેનો પગાર તેમણે મળે છે. અને આ કંપની કેમિકલના ધંધા સાથે સંકળાયેલી છે. આ સમગ્ર કેસમાં કલામંદિર દ્વારા મુંબઈ સેટલમેન્ટ કમિશનમાં કરાયેલા કેસ ફરી સુરત આઇટી કચેરીને રીફર કરાયો હોવાની અફવા ઉડી હતી. જોકે કમિશનના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસ એડમિટ તબક્કે છે. આગળની ચાર તબક્કાની પ્રોસિઝર બાકી છે. કોઈ પણ કેસનો નિકાલ થતાં 18 મહિના લાગે છે.