રાત્રી કફર્યુના સમયમાં બનેલી આ ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા
ફોર્ચ્યુનર કારમાં લાગેલા જીપીએસ સીસ્ટમના કારણે કારનું લોકેશન મળી રહ્યું છે, પરંતુ પોલીસ તે દિશામાં કોઈ કામગીરી કરી રહી નથી.
WatchGujarat શહેરના સીંગણપોર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં સ્વીફ્ટ કારમાં આવેલા તસ્કરો પાર્ક કરેલી ૧૯ લાખની ફોર્ચ્યુનર કાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. રાત્રી કફર્યુના સમયમાં બનેલી આ ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
https://twitter.com/WatchGujarat/status/1339138588982738944?s=19
સીંગણપોર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં બંગલા નબર 48 માં રામદેવભાઇ ભાદરકા પરિવાર સાથે રહે છે અને તેઓ કંટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત સોમવારે રાત્રે તેઓએ ઘરની બહાર ફોર્ચ્યુનર કાર પાર્ક કરી હતી. ત્યારે વહેલી સવારે જોતા ઘરની બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કાર જોવા મળી ન હતી. અને કોઈ અજાણ્યા શખ્સોએ કારની ચોરી કરી હોવાનું જણાયું હતું. બીજા દિવસે ફોર્ચ્યુનર કાર નહી મળતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા. જેમાં વહેલી સવારે 4.15 વાગ્યે સ્વીફ્ટ કારમાં આવેલા તસ્કરો તેઓની 19 લાખની ઘરની બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારની ચોરી કરી ફરાર થઇ જતા નજરે ચડ્યા હતા.
આ ઘટના બાદ તેઓના પુત્ર રાહુલભાઈએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે રાત્રી કફર્યુના સમયમાં બનેલી આ ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. તેમજ કાર માલિકે જણાવ્યું હતું કે, કારમાં લાગેલા જીપીએસ સીસ્ટમના કારણે તેઓને ગાડીનું લોકેશન મળી રહ્યું છે. પરંતુ પોલીસ આ મામલે કોઈ કામગીરી કરી રહી નથી.
રાત્રી કફર્યુના સમયમાં બનેલી આ ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા
ફોર્ચ્યુનર કારમાં લાગેલા જીપીએસ સીસ્ટમના કારણે કારનું લોકેશન મળી રહ્યું છે, પરંતુ પોલીસ તે દિશામાં કોઈ કામગીરી કરી રહી નથી.
WatchGujaratશહેરના સીંગણપોર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં સ્વીફ્ટ કારમાં આવેલા તસ્કરો પાર્ક કરેલી ૧૯ લાખની ફોર્ચ્યુનર કાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. રાત્રી કફર્યુના સમયમાં બનેલી આ ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સીંગણપોર વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં બંગલા નબર 48 માં રામદેવભાઇ ભાદરકા પરિવાર સાથે રહે છે અને તેઓ કંટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત સોમવારે રાત્રે તેઓએ ઘરની બહાર ફોર્ચ્યુનર કાર પાર્ક કરી હતી. ત્યારે વહેલી સવારે જોતા ઘરની બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કાર જોવા મળી ન હતી. અને કોઈ અજાણ્યા શખ્સોએ કારની ચોરી કરી હોવાનું જણાયું હતું. બીજા દિવસે ફોર્ચ્યુનર કાર નહી મળતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા. જેમાં વહેલી સવારે 4.15 વાગ્યે સ્વીફ્ટ કારમાં આવેલા તસ્કરો તેઓની 19 લાખની ઘરની બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારની ચોરી કરી ફરાર થઇ જતા નજરે ચડ્યા હતા.
આ ઘટના બાદ તેઓના પુત્ર રાહુલભાઈએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે રાત્રી કફર્યુના સમયમાં બનેલી આ ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. તેમજ કાર માલિકે જણાવ્યું હતું કે, કારમાં લાગેલા જીપીએસ સીસ્ટમના કારણે તેઓને ગાડીનું લોકેશન મળી રહ્યું છે. પરંતુ પોલીસ આ મામલે કોઈ કામગીરી કરી રહી નથી.