નેરેન્દ્રસિંહ વાઘેલા મૃતક અલ્પેશ પટેલનો ભાગીદાર છે
ફાયનાન્સના ધંધા સાથે સંકડાયેલા અમદાવાદના અલ્પેશ પટેલે ગત તા. 6 ઓકટોબરના રોજ વડોદરાની અમિટી હોટલમાં આપઘાત કરી લીધો
આપઘાત કરતા પહેલા અલ્પેશ પટેલે લખેલી સ્યૂસાઇડ નોટમાં ભાગીદાર નરેન્દ્રસિંહ સહીત 10 માથાભારે શખ્સોના નામ લખ્યા હતા.
સયાજીગંજ પોલીસ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ ખાતે આરોપીની શોધખોળ કરી રહીં છે.
વડોદરા. અલ્પેશ પટેલ અપમૃત્યુ કેસ મામલે સયાજીગંજ પોલીસ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આરોપીઓને શોધી રહીં છે. જોકે હજી સુધી એક પણ આરોપી પકડાયો નથી, ત્યારે અલ્પેશ પટેલ અપમૃત્યુ કેસ મામલે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતાની સાથે નરેન્દ્રસિંહ વાઘેલા કોરોનાની સારવારમાંથી ભાગી છુટ્યો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે પોલીસે અત્યાર સુધીમાં તમામ આરોપીઓના ઘરે તપાસ કરતા એક પણ મળી આવ્યો નથી. ત્યારે તમામને આગામી 12મી ઓકટોબરના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા માટે પોલીસે તેમના ઘરે નોટિસ આપી હતી.
ગત તા. 6 ઓકટોબરના રોજ સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમિટી હોટલના રૂમમાં અમદાવાદના ફાયનાન્સર અલ્પેશ પટેલે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટના બાદ પોલીસે તપાસ કરતા અલ્પેશ પટેલે લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે પોતાની આપવીતી અને ભાગીદાર નરેન્દ્રસિંહ વાઘેલા તેમજ નાગાર્જુન મોઢવાડીયા સહીત 10 લોકો દ્વારા આપવામાં આવતી ધમકીઓ, રૂપિયા આપવા માટે દબાણ અને માનસિક ત્રાસ આપતા હોવાની બાબતે જણાવ્યું હતુ. અલ્પેશ પટેલે સ્યૂસાઇડ નોટમાં લખેલા 10 માથાભારે શખ્સોના નામ બહાર આવતા પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી પોલીસની ટીમો આરોપીઓના નિવાસ સ્થાને પહોંચી તપાસ હાથ ધરી હતી. તેવામાં આજે પોલીસે નરેન્દ્રસિંહ વાઘેલાના ઘરે પહોંચતા તેના પરિવારે જણાવ્યું હતુ કે, એ તો કોરોનાની સારવાર માટે SGVP હોસ્પિટલમાં દાખલ છે. જેથી પોલીસે હોસ્પિટલમાં પહોંચી તો નરેન્દ્રસિંહ મળી આવ્યો ન હતો. દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે નરેન્દ્રસિંહ ફરીયાદ નોંધાતા જ હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો હતો.
જ્યારે બીજી તરફ પોલીસે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા અનિરૂદ્ધસિંહ વાઘેલાના, સાણાંદમાં મેઘરાજસિંહ ગોહિલના ઘરે પણ પોલીસે દરોડો પાડ્યો હતો. આમ તમામ આરોપીઓના ઘરે પોલીસે દરોડા પાડ્યાં પરંતુ એક પણ મળી આવ્યો ન હતો. આરોપીઓને ઝડપી પાડવા સયાજીગંજ પોલીસે બાપોલ, બાપુનગર, ચાંગોદર અને સાણાંદ પોલીસનો સંપર્ક કર્યો હતો. તથા પોલીસે આરોપી સુધી પહોંચવા હ્યુમન સર્વેલન્સ પણ સક્રીય કર્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ પટેલે જે દિવસે હોટલમાં આપઘાત કર્યો તે જ દિવસે બપોરના સમયે માથાભારે નાગાર્જુન મોઢવાડીયા અલ્પેશ પટેલના ઘરે પહોંચ્યો હતો. જે અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં છે.
નેરેન્દ્રસિંહ વાઘેલા મૃતક અલ્પેશ પટેલનો ભાગીદાર છે
ફાયનાન્સના ધંધા સાથે સંકડાયેલા અમદાવાદના અલ્પેશ પટેલે ગત તા. 6 ઓકટોબરના રોજ વડોદરાની અમિટી હોટલમાં આપઘાત કરી લીધો
આપઘાત કરતા પહેલા અલ્પેશ પટેલે લખેલી સ્યૂસાઇડ નોટમાં ભાગીદાર નરેન્દ્રસિંહ સહીત 10 માથાભારે શખ્સોના નામ લખ્યા હતા.
સયાજીગંજ પોલીસ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ ખાતે આરોપીની શોધખોળ કરી રહીં છે.
વડોદરા. અલ્પેશ પટેલ અપમૃત્યુ કેસ મામલે સયાજીગંજ પોલીસ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આરોપીઓને શોધી રહીં છે. જોકે હજી સુધી એક પણ આરોપી પકડાયો નથી, ત્યારે અલ્પેશ પટેલ અપમૃત્યુ કેસ મામલે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતાની સાથે નરેન્દ્રસિંહ વાઘેલા કોરોનાની સારવારમાંથી ભાગી છુટ્યો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે પોલીસે અત્યાર સુધીમાં તમામ આરોપીઓના ઘરે તપાસ કરતા એક પણ મળી આવ્યો નથી. ત્યારે તમામને આગામી 12મી ઓકટોબરના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા માટે પોલીસે તેમના ઘરે નોટિસ આપી હતી.
ગત તા. 6 ઓકટોબરના રોજ સયાજીગંજ વિસ્તારમાં આવેલી અમિટી હોટલના રૂમમાં અમદાવાદના ફાયનાન્સર અલ્પેશ પટેલે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટના બાદ પોલીસે તપાસ કરતા અલ્પેશ પટેલે લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે પોતાની આપવીતી અને ભાગીદાર નરેન્દ્રસિંહ વાઘેલા તેમજ નાગાર્જુન મોઢવાડીયા સહીત 10 લોકો દ્વારા આપવામાં આવતી ધમકીઓ, રૂપિયા આપવા માટે દબાણ અને માનસિક ત્રાસ આપતા હોવાની બાબતે જણાવ્યું હતુ. અલ્પેશ પટેલે સ્યૂસાઇડ નોટમાં લખેલા 10 માથાભારે શખ્સોના નામ બહાર આવતા પોલીસે આ મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી પોલીસની ટીમો આરોપીઓના નિવાસ સ્થાને પહોંચી તપાસ હાથ ધરી હતી. તેવામાં આજે પોલીસે નરેન્દ્રસિંહ વાઘેલાના ઘરે પહોંચતા તેના પરિવારે જણાવ્યું હતુ કે, એ તો કોરોનાની સારવાર માટે SGVP હોસ્પિટલમાં દાખલ છે. જેથી પોલીસે હોસ્પિટલમાં પહોંચી તો નરેન્દ્રસિંહ મળી આવ્યો ન હતો. દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે નરેન્દ્રસિંહ ફરીયાદ નોંધાતા જ હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો હતો.
જ્યારે બીજી તરફ પોલીસે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા અનિરૂદ્ધસિંહ વાઘેલાના, સાણાંદમાં મેઘરાજસિંહ ગોહિલના ઘરે પણ પોલીસે દરોડો પાડ્યો હતો. આમ તમામ આરોપીઓના ઘરે પોલીસે દરોડા પાડ્યાં પરંતુ એક પણ મળી આવ્યો ન હતો. આરોપીઓને ઝડપી પાડવા સયાજીગંજ પોલીસે બાપોલ, બાપુનગર, ચાંગોદર અને સાણાંદ પોલીસનો સંપર્ક કર્યો હતો. તથા પોલીસે આરોપી સુધી પહોંચવા હ્યુમન સર્વેલન્સ પણ સક્રીય કર્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ પટેલે જે દિવસે હોટલમાં આપઘાત કર્યો તે જ દિવસે બપોરના સમયે માથાભારે નાગાર્જુન મોઢવાડીયા અલ્પેશ પટેલના ઘરે પહોંચ્યો હતો. જે અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં છે.