25 જુલાઈની રાતે વડોદરા સ્ટેશન પર ટ્રેનની બારીમાંથી ત્રણ શખ્સોએ મહિલાનું પર્સ તફડાવ્યું હતું.
રેલ્વે પોલીસે ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પકડી પાડ્યા બાદ ઇરફાન સિરાજ ઉર્ફે પાડાનું નામ ખુલ્યું.
ઝાલોદ ભાજપાના કાઉન્સીલરની હત્યાના મામલે ઝાલોદ જેલમાં સજા ભોગવતાં ઇરફાનનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવામાં આવ્યો.
WatchGujarat જેલમાંથી પેરોલ પર મુક્તિ મેળવી સાગરીતો સાથે મળી મહિલાઓના પર્સ તફડાવનાર ગોધરાકાંડના આરોપી ઇરફાન ઉર્ફે પાડાની રેલ્વે પોલીસે કોર્ટમાથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કસ્ટી મેળવી હતી. ઉલ્લેખનિય છે કે, ભાજપા કાઉન્સીલરની હત્યાના મામલામાં ઇરફાન ઝાલોદ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જોકે રેલવે સ્ટેશન પર મહિલાઓના પર્સની ચોરી કરવાના ગુનામાં તેની સંડોવણી જણાતા પોલીસે તેની પુછતાછ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગોધરાકાંડ ઇરફાન ઉર્ફે પાડાની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. કોર્ટના હુકમથી ગોધરકાંડના આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યાં છે. વર્ષ 2019માં ઇરફા પેરોલ પર મુક્ત થયો હતો. ત્યારબાદ સમયસર જેલમાં પરત હાજર ન થઇ પેરોલ ફર્લો કરી ચોરીના ગુનાઓએ અંજામ આપતો હતો. તાજેતરમાં ઝાલોદ ખાતે ભાજપી કાઉન્સીલરની રોડ અકસ્માતમાં થયેલી હત્યાના ગુનામાં પણ તેની સંડોવાણી બહાર આવતા દાહોદ LCB એ તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
મહત્વની બાબત તો એ છે કે વર્ષ 2019માં પેરોલ ફર્લો કર્યા બાદ ઇરાફ તેના સાગરીતો સાથે મળી રેલવે સ્ટેશન પર મહિલાઓના પર્સની ચોરી કરતો હતો. ગત તા. 25 જુલાઈના રોજ રાજસ્થાનના છીપાની રહેવાસી આજરાબાનુ કાસમભાટી જયપુર બાંદ્રા ટ્રેન મારફતે મુંબઈ જવા રહી હતી. દરમિયાનમાં રાત્રે 12 વાગ્યે ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પરથી રોકાઈને મુંબઈ જવા રવાના થઈ હતી. ટ્રેન ચાલુ થતાં જ ત્રણ શખ્સોએ બારીમાંથી હાથ નાંખી અજરાબાનુએ સીટ પર મુકેલુ પર્સ તફડાવી રફૂચક્કર થઈ ગયા હતાં. આ બનાવ અંગે આજરાબાનુએ વડોદરા રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રેલ્વે પોલીસે મોબાઈલ એનાલિસીસના આધારે તપાસ કરતાં આજરાબાનુનું પર્સ તફડાવનાર ઇશાક અને અસ્ફાક ઝડપાઈ ગયા હતાં. પોલીસે બન્નેની પૂછપરછ કરતા ગોધરાકાંડના આરોપી ઇરફાન સિરાજ ઉર્ફે પાડાનું નામ બહાર આવ્યું હતું. જોકે ઇરફાન પાડો જેલમાં હોવાથી પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે તેની એક દિવસની કસ્ટડી મેળવી પુછપરછ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, પેરોલ ફર્લો કર્યા બાદ ઝાલોદના ભાજપના કાઉન્સીલરની હત્યાના ગુનામાં ગોધરાકાંડનો આરોપી ઈરફાન ઉર્ફે પાડાની સંડોવણી હોવાથી પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેથી પોલીસે ટ્રાન્સફર વોરન્ટની કાર્યવાહી કર્યાબાદ ગોધરાકાંડનો આરોપી ઈરફાન ઉર્ફે પાડાનો કબ્જો મેળવી આજરોજ તેને વધુ તપાસ માટે વડોદરા લાવી હતી. આ ઉપરાંત પોલીસની તપાસમાં ઈરફાન ઉર્ફે પાડા પેરોલ પર રજા મેળવી ટ્રેનમાં અને અન્ય જગ્યાએ મહિલાઓના પર્સની ચોરી કરતો હોવાનું પણ ઘટસ્ફોટ થયો હતો.
25 જુલાઈની રાતે વડોદરા સ્ટેશન પર ટ્રેનની બારીમાંથી ત્રણ શખ્સોએ મહિલાનું પર્સ તફડાવ્યું હતું.
રેલ્વે પોલીસે ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પકડી પાડ્યા બાદ ઇરફાન સિરાજ ઉર્ફે પાડાનું નામ ખુલ્યું.
WatchGujaratજેલમાંથી પેરોલ પર મુક્તિ મેળવી સાગરીતો સાથે મળી મહિલાઓના પર્સ તફડાવનાર ગોધરાકાંડના આરોપી ઇરફાન ઉર્ફે પાડાની રેલ્વે પોલીસે કોર્ટમાથી ટ્રાન્સફર વોરન્ટના આધારે કસ્ટી મેળવી હતી. ઉલ્લેખનિય છે કે, ભાજપા કાઉન્સીલરની હત્યાના મામલામાં ઇરફાન ઝાલોદ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જોકે રેલવે સ્ટેશન પર મહિલાઓના પર્સની ચોરી કરવાના ગુનામાં તેની સંડોવણી જણાતા પોલીસે તેની પુછતાછ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગોધરાકાંડ ઇરફાન ઉર્ફે પાડાની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. કોર્ટના હુકમથી ગોધરકાંડના આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યાં છે. વર્ષ 2019માં ઇરફા પેરોલ પર મુક્ત થયો હતો. ત્યારબાદ સમયસર જેલમાં પરત હાજર ન થઇ પેરોલ ફર્લો કરી ચોરીના ગુનાઓએ અંજામ આપતો હતો. તાજેતરમાં ઝાલોદ ખાતે ભાજપી કાઉન્સીલરની રોડ અકસ્માતમાં થયેલી હત્યાના ગુનામાં પણ તેની સંડોવાણી બહાર આવતા દાહોદ LCB એ તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
મહત્વની બાબત તો એ છે કે વર્ષ 2019માં પેરોલ ફર્લો કર્યા બાદ ઇરાફ તેના સાગરીતો સાથે મળી રેલવે સ્ટેશન પર મહિલાઓના પર્સની ચોરી કરતો હતો. ગત તા. 25 જુલાઈના રોજ રાજસ્થાનના છીપાની રહેવાસી આજરાબાનુ કાસમભાટી જયપુર બાંદ્રા ટ્રેન મારફતે મુંબઈ જવા રહી હતી. દરમિયાનમાં રાત્રે 12 વાગ્યે ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પરથી રોકાઈને મુંબઈ જવા રવાના થઈ હતી. ટ્રેન ચાલુ થતાં જ ત્રણ શખ્સોએ બારીમાંથી હાથ નાંખી અજરાબાનુએ સીટ પર મુકેલુ પર્સ તફડાવી રફૂચક્કર થઈ ગયા હતાં. આ બનાવ અંગે આજરાબાનુએ વડોદરા રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રેલ્વે પોલીસે મોબાઈલ એનાલિસીસના આધારે તપાસ કરતાં આજરાબાનુનું પર્સ તફડાવનાર ઇશાક અને અસ્ફાક ઝડપાઈ ગયા હતાં. પોલીસે બન્નેની પૂછપરછ કરતા ગોધરાકાંડના આરોપી ઇરફાન સિરાજ ઉર્ફે પાડાનું નામ બહાર આવ્યું હતું. જોકે ઇરફાન પાડો જેલમાં હોવાથી પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે તેની એક દિવસની કસ્ટડી મેળવી પુછપરછ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, પેરોલ ફર્લો કર્યા બાદ ઝાલોદના ભાજપના કાઉન્સીલરની હત્યાના ગુનામાં ગોધરાકાંડનો આરોપી ઈરફાન ઉર્ફે પાડાની સંડોવણી હોવાથી પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેથી પોલીસે ટ્રાન્સફર વોરન્ટની કાર્યવાહી કર્યાબાદ ગોધરાકાંડનો આરોપી ઈરફાન ઉર્ફે પાડાનો કબ્જો મેળવી આજરોજ તેને વધુ તપાસ માટે વડોદરા લાવી હતી. આ ઉપરાંત પોલીસની તપાસમાં ઈરફાન ઉર્ફે પાડા પેરોલ પર રજા મેળવી ટ્રેનમાં અને અન્ય જગ્યાએ મહિલાઓના પર્સની ચોરી કરતો હોવાનું પણ ઘટસ્ફોટ થયો હતો.