ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી સર્વોચ્ચ શિખરે
વિજય રૂપાણીએ ગાંધીનગર CM કાર્યાલયથી નર્મદા નીરના કર્યા ઈ-વધામણાં
નર્મદા ડેમ આ સિઝનમાં સૌપ્રથમ વખત 100 % છલોછલ પૂર્ણ ભરાયો
ભરૂચ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓના 70માં જન્મદિને ગુજરાતના મુખ્યમંત્રીએ તેઓના ડ્રિમ પ્રોજેકટ નર્મદા ડેમને 138.68 મીટરની સર્વોચ્ચ ઊંચાઈ સુધી ભરી ગાંધીનગરથી નર્મદા નિરના ઇ-વધામણાં થકી પ્રધાનમંત્રીને જન્મદિનની ભેટ ધરી છે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની 138.68 મીટર સુધી મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે. નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વાર 100 % છલોછલ પૂર્ણ ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાની ઓફિસમાંથી નર્મદા નિરના ઈ-વધામણાં કર્યા હતાં.
બીજી તરફ ગુજરાત સરકારના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના MD રાજીવ ગુપ્તા સહિત અન્ય અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પૂજા અર્ચના કરી નર્મદા નિરના વધામણાં કર્યા હતાં. સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે અને ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર નજર રાખી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના 5 દરવાજા 20 સેમી ખોલી 9000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના RBPH ના 6 યુનિટ સતત ચાલુ કરાતા 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. જ્યારે CHPHનાં 5 પેકી 3 યુનિટી સતત ચાલુ કરાતા 13000 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં વહી રહ્યું છે.
ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક 72000 ક્યુસેક છે જેની સામે પાણીની જાવક 50000 ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા અને RBPH દ્વારા નર્મદા નદીમાં એટલે કે ડાઉન્સ્ટ્રીમ ભરૂચ તરફ 51000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5700 મિલીયન ક્યુબીક મીટર થયો છે.
સરકારે નર્મદા બંધને મા રેવાના નીરથી 100% છલોછલ ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપી છે. પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017નાં રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. પીએમ મોદીના 17મી સપ્ટેમ્બર 2020નાં રોજ આજે 70માં જન્મદિવસે ડેમના લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી ફરી પૂર્ણ ભરવામાં આવ્યો છે. ડેમ લોકાર્પણ થયા બાદ બીજી વખત સંપૂર્ણ ભરાયો છે.
- ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી સર્વોચ્ચ શિખરે
- વિજય રૂપાણીએ ગાંધીનગર CM કાર્યાલયથી નર્મદા નીરના કર્યા ઈ-વધામણાં
- નર્મદા ડેમ આ સિઝનમાં સૌપ્રથમ વખત 100 % છલોછલ પૂર્ણ ભરાયો
ભરૂચ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓના 70માં જન્મદિને ગુજરાતના મુખ્યમંત્રીએ તેઓના ડ્રિમ પ્રોજેકટ નર્મદા ડેમને 138.68 મીટરની સર્વોચ્ચ ઊંચાઈ સુધી ભરી ગાંધીનગરથી નર્મદા નિરના ઇ-વધામણાં થકી પ્રધાનમંત્રીને જન્મદિનની ભેટ ધરી છે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની 138.68 મીટર સુધી મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે. નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વાર 100 % છલોછલ પૂર્ણ ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાની ઓફિસમાંથી નર્મદા નિરના ઈ-વધામણાં કર્યા હતાં.
બીજી તરફ ગુજરાત સરકારના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના MD રાજીવ ગુપ્તા સહિત અન્ય અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પૂજા અર્ચના કરી નર્મદા નિરના વધામણાં કર્યા હતાં. સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાઈ નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે અને ઉપરવાસમાંથી આવનારી પાણીની આવક પર તંત્ર નજર રાખી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી જાળવવા ફરી પાછા ડેમના 5 દરવાજા 20 સેમી ખોલી 9000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના RBPH ના 6 યુનિટ સતત ચાલુ કરાતા 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. જ્યારે CHPHનાં 5 પેકી 3 યુનિટી સતત ચાલુ કરાતા 13000 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં વહી રહ્યું છે.
ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવક 72000 ક્યુસેક છે જેની સામે પાણીની જાવક 50000 ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા અને RBPH દ્વારા નર્મદા નદીમાં એટલે કે ડાઉન્સ્ટ્રીમ ભરૂચ તરફ 51000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5700 મિલીયન ક્યુબીક મીટર થયો છે.
સરકારે નર્મદા બંધને મા રેવાના નીરથી 100% છલોછલ ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ભેટ આપી છે. પીએમ મોદીએ 17 સપ્ટેમ્બર 2017નાં રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. પીએમ મોદીના 17મી સપ્ટેમ્બર 2020નાં રોજ આજે 70માં જન્મદિવસે ડેમના લોકાર્પણને 3 વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી ફરી પૂર્ણ ભરવામાં આવ્યો છે. ડેમ લોકાર્પણ થયા બાદ બીજી વખત સંપૂર્ણ ભરાયો છે.