2010 અને 12 માં અમિત શાહની ગેરહાજરીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના હોમ મિનિસ્ટરનો મહત્વનો હવાલો આપ્યો હતો
પાટીદાર પર વર્ચસ્વ ધરાવનાર પ્રફુલ પટેલને કેન્દ્રમાં મોદી સરકાર આવતા IAS ના નિયમની ઉપરવટ જઈ 2 કેન્દ્રશાશીત પ્રદેશ બાદ લક્ષદ્રીપના પણ વહીવટદાર બનાવાયા
28 ઓગસ્ટ 1957માં ઉનાવામાં જન્મેલા પ્રફુલ ખોડાભાઈ પટેલે હિંમતનગરથી વિધાનસભા ચૂંટણી જીતી રાજકારણમાં કર્યું પરદાર્પણ
વ્યવસાયે સિવિલ એન્જીનીયર પ્રફુલ પટેલે ગુજરાતમાં અનેક સિવિલ પ્રોજેક્ટો બનાવ્યા છે, ગર્ભ શ્રીમંત હોવા સાથે મોદી-શાહના સૌથી કરીબી
પિતા ખોડાભાઈ રણછોડભાઈ પટલે RSS સંઘના આગેવાન હતા ત્યારથી નરેન્દ્ર મોદીનો ઘરોબો, ઘરે અવારનવાર આવતા જતા
અમિત શાહ રાતે આવશે ગાંધીનગર, પ્રફુલ પટેલને પણ તાબડતોબ બોલાવ્યા, રવિવારે નવા CM તરીકે પ્રફુલ પટેલની જાહેરાતની પ્રબળ શકયતા
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે અને અમિત શાહ રાતે અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે મોદીના ખાસ અને પાટીદાર નેતા એવા પૂર્વ રાજ્યગૃહ મંત્રી પ્રફુલ પટેલ ગુજરાતના નાથ બને તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. પ્રફુલ પટેલને પણ તાબડતોબ ગાંધીનગર બોલાવાયા છે.
ગુજરાતમાં CM નો નવો ચહેરો કોણ હશે અને કોણ સંભાળશે રાજ્યનું સુકાન તેને લઈને ચાલતી તમામ અટકળો અને ચર્ચાઓ ઉપર પ્રફુલ પટેલને અમિત શાહે તત્કાલીક ગાંધીનગરનું તેંડુ આપતા અંત આવ્યો હોય તેમ ચોકસ જણાઈ રહ્યું છે. ત્યારે જાણ્યે પાટીદાર નેતા પ્રફુલ પટેલ કોણ છે.
પ્રફુલ ખોડાભાઈ પટેલનો જન્મ 28 ઓગસ્ટ 1957 માં ઉનવામાં થયો હતો. પટેલ ભાજપના ભૂતપૂર્વ નેતા છે, જેમણે નરેન્દ્ર મોદી ગુજરાતના નાથ હતા ત્યારે રાજ્યના ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી.
NDA સરકારે 2016 માં બંને કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ, દમણ અને દાદર નાગર હવેલીના સંચાલક તરીકે નિમણૂક કરી હતી. આ પદ પર માત્ર આઈએએસ IAS અધિકારીઓની નિમણૂક કરવાની અગાઉની પ્રથાથી દૂર થઈને પ્રફુલ પટેલ માટે આ નિર્ણય લેવાયો હતો. જે બાદ લક્ષદ્રીપના એડમિનિસ્ટ્રેટર તરીકે પણ હવાલો અપાયો હતો.
પાટીદારમાં બહુધા વર્ચસ્વ ધરાવતા પ્રફુલ પટેલે ઉત્તર ગુજરાતના હિંમત નગર મતવિસ્તારમાંથી પ્રથમ વખત 2007 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. 2010 માં, તેમને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 2012 સુધી આ પદ પર રહ્યા. 2012 માં તેઓ હિંમત નગરથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.
પટેલના પિતા ખોડાભાઈ RSS સંઘના નેતા હતા અને મોદી ઘણીવાર તેમની મુલાકાત લેતા હતા. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની જગ્યા ભરવા માટે પ્રફુલ પટેલના મોદી સાથેના સંબંધોએ તેમને રાજ્યના ગૃહમંત્રી તરીકે નિમણૂક કરવામાં મદદ કરી હતી.
ગુજરાત કેબિનેટ વિસ્તરણમાં 2010 માં જ્યારે અમિત શાહની ગેરહાજરી વચ્ચે નરેન્દ્ર ભાઈએ કેબિનેટ ફેરબદલમાં 4 મંત્રીઓની કપાત કરી હતી, પરંતુ ગૃહ મંત્રાલયનો ઉચ્ચ વિભાગ પ્રફુલ ખોડા પટેલને આપવામાં આવ્યો હતો.
નરેન્દ્ર મોદી પ્રફુલ પટેલના નિર્ણયશક્તિ, વિવેકી અને અઘરા રાજકારણીની છબીથી ખૂબ જ પ્રેરિત હતા. તેથી, તેમણે અમિત શાહના સ્થાને વરિષ્ઠ નેતા નહીં પણ પ્રફુલ પટેલને પસંદ કર્યા હતા. તે સમયે તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ પ્રફુલ પટેલને 10 માંથી 8 પોર્ટફોલિયો આપ્યા હતા. જે અમિત શાહ સંભાળી રહ્યા હતા.
રાજકારણમાં આવતા પહેલા રોડ કોન્ટ્રાક્ટર
સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધારક પ્રફુલ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા રોડ કોન્ટ્રાક્ટર હતા. તેમની ભાગીદારી પેઢી સાબર કન્સ્ટ્રક્શનએ ગુજરાત સરકાર સાથે ઘણા પ્રોજેક્ટ્સ કર્યા છે. તેઓ ઉત્તર ગુજરાતના સમૃદ્ધ પટેલ હતા. જ્યારે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની પ્રાથમિકતા સ્પષ્ટ હતી.
તેમનું કડક વલણ અને હિંમતવાન નિર્ણય 2012 ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હારનું કારણ બન્યું હતું. કારણ કે તેઓ એક વહીવટકર્તા છે, રાજકારણી નથી પરંતુ તેઓ નરેન્દ્રભાઈની ગુડબુકમાં કાયમ માટે સ્થાન પામી ચુક્યા હતા. જોકે 2012 માં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ પટેલ ભાજપમાં બહુ સક્રિય નહોતા.
- 2010 અને 12 માં અમિત શાહની ગેરહાજરીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના હોમ મિનિસ્ટરનો મહત્વનો હવાલો આપ્યો હતો
- પાટીદાર પર વર્ચસ્વ ધરાવનાર પ્રફુલ પટેલને કેન્દ્રમાં મોદી સરકાર આવતા IAS ના નિયમની ઉપરવટ જઈ 2 કેન્દ્રશાશીત પ્રદેશ બાદ લક્ષદ્રીપના પણ વહીવટદાર બનાવાયા
- 28 ઓગસ્ટ 1957માં ઉનાવામાં જન્મેલા પ્રફુલ ખોડાભાઈ પટેલે હિંમતનગરથી વિધાનસભા ચૂંટણી જીતી રાજકારણમાં કર્યું પરદાર્પણ
- વ્યવસાયે સિવિલ એન્જીનીયર પ્રફુલ પટેલે ગુજરાતમાં અનેક સિવિલ પ્રોજેક્ટો બનાવ્યા છે, ગર્ભ શ્રીમંત હોવા સાથે મોદી-શાહના સૌથી કરીબી
- પિતા ખોડાભાઈ રણછોડભાઈ પટલે RSS સંઘના આગેવાન હતા ત્યારથી નરેન્દ્ર મોદીનો ઘરોબો, ઘરે અવારનવાર આવતા જતા
- અમિત શાહ રાતે આવશે ગાંધીનગર, પ્રફુલ પટેલને પણ તાબડતોબ બોલાવ્યા, રવિવારે નવા CM તરીકે પ્રફુલ પટેલની જાહેરાતની પ્રબળ શકયતા
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે અને અમિત શાહ રાતે અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે મોદીના ખાસ અને પાટીદાર નેતા એવા પૂર્વ રાજ્યગૃહ મંત્રી પ્રફુલ પટેલ ગુજરાતના નાથ બને તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. પ્રફુલ પટેલને પણ તાબડતોબ ગાંધીનગર બોલાવાયા છે.
ગુજરાતમાં CM નો નવો ચહેરો કોણ હશે અને કોણ સંભાળશે રાજ્યનું સુકાન તેને લઈને ચાલતી તમામ અટકળો અને ચર્ચાઓ ઉપર પ્રફુલ પટેલને અમિત શાહે તત્કાલીક ગાંધીનગરનું તેંડુ આપતા અંત આવ્યો હોય તેમ ચોકસ જણાઈ રહ્યું છે. ત્યારે જાણ્યે પાટીદાર નેતા પ્રફુલ પટેલ કોણ છે.
પ્રફુલ ખોડાભાઈ પટેલનો જન્મ 28 ઓગસ્ટ 1957 માં ઉનવામાં થયો હતો. પટેલ ભાજપના ભૂતપૂર્વ નેતા છે, જેમણે નરેન્દ્ર મોદી ગુજરાતના નાથ હતા ત્યારે રાજ્યના ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી.
NDA સરકારે 2016 માં બંને કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ, દમણ અને દાદર નાગર હવેલીના સંચાલક તરીકે નિમણૂક કરી હતી. આ પદ પર માત્ર આઈએએસ IAS અધિકારીઓની નિમણૂક કરવાની અગાઉની પ્રથાથી દૂર થઈને પ્રફુલ પટેલ માટે આ નિર્ણય લેવાયો હતો. જે બાદ લક્ષદ્રીપના એડમિનિસ્ટ્રેટર તરીકે પણ હવાલો અપાયો હતો.
પાટીદારમાં બહુધા વર્ચસ્વ ધરાવતા પ્રફુલ પટેલે ઉત્તર ગુજરાતના હિંમત નગર મતવિસ્તારમાંથી પ્રથમ વખત 2007 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. 2010 માં, તેમને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 2012 સુધી આ પદ પર રહ્યા. 2012 માં તેઓ હિંમત નગરથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.
પટેલના પિતા ખોડાભાઈ RSS સંઘના નેતા હતા અને મોદી ઘણીવાર તેમની મુલાકાત લેતા હતા. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં અમિત શાહની જગ્યા ભરવા માટે પ્રફુલ પટેલના મોદી સાથેના સંબંધોએ તેમને રાજ્યના ગૃહમંત્રી તરીકે નિમણૂક કરવામાં મદદ કરી હતી.
ગુજરાત કેબિનેટ વિસ્તરણમાં 2010 માં જ્યારે અમિત શાહની ગેરહાજરી વચ્ચે નરેન્દ્ર ભાઈએ કેબિનેટ ફેરબદલમાં 4 મંત્રીઓની કપાત કરી હતી, પરંતુ ગૃહ મંત્રાલયનો ઉચ્ચ વિભાગ પ્રફુલ ખોડા પટેલને આપવામાં આવ્યો હતો.
નરેન્દ્ર મોદી પ્રફુલ પટેલના નિર્ણયશક્તિ, વિવેકી અને અઘરા રાજકારણીની છબીથી ખૂબ જ પ્રેરિત હતા. તેથી, તેમણે અમિત શાહના સ્થાને વરિષ્ઠ નેતા નહીં પણ પ્રફુલ પટેલને પસંદ કર્યા હતા. તે સમયે તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ પ્રફુલ પટેલને 10 માંથી 8 પોર્ટફોલિયો આપ્યા હતા. જે અમિત શાહ સંભાળી રહ્યા હતા.
રાજકારણમાં આવતા પહેલા રોડ કોન્ટ્રાક્ટર
સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધારક પ્રફુલ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા રોડ કોન્ટ્રાક્ટર હતા. તેમની ભાગીદારી પેઢી સાબર કન્સ્ટ્રક્શનએ ગુજરાત સરકાર સાથે ઘણા પ્રોજેક્ટ્સ કર્યા છે. તેઓ ઉત્તર ગુજરાતના સમૃદ્ધ પટેલ હતા. જ્યારે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની પ્રાથમિકતા સ્પષ્ટ હતી.
તેમનું કડક વલણ અને હિંમતવાન નિર્ણય 2012 ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હારનું કારણ બન્યું હતું. કારણ કે તેઓ એક વહીવટકર્તા છે, રાજકારણી નથી પરંતુ તેઓ નરેન્દ્રભાઈની ગુડબુકમાં કાયમ માટે સ્થાન પામી ચુક્યા હતા. જોકે 2012 માં વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ પટેલ ભાજપમાં બહુ સક્રિય નહોતા.