મૃતક યુવાનો ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામના હતા
ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ યુવાનો જઈ રહ્યા હતા
ભયાનક સર્જાતા ઘટના સ્થળેજ ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
જ્યારે બે શખ્સોને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
[caption id="attachment_1399293" align="aligncenter" width="1600"] Gujarat Porbandar Somnath Highway[/caption]
WatchGujarat પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય બે શખસને ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
કાર પલટી જતાં ડિવાઈડર સાથે ભટકાઈ
આ અકસ્માત અંગેની વિગતો એવી છે કે , પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર આજે વહેલી સવારે એક કાર ડિવાઇડર સાથે ભટકાય હતી. જેથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામે રહેતા પાંચ યુવાન માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કાર પલટી મારી ડિવાઇડર સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયા નામના ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતાં, જ્યારે કારમાં સવાર અન્ય રાજુભાઇ ચંદ્રાવાડિયા અને વજશીભાઇ નંદાણિયાને ઇજા પહોંચી હતી.
અકસ્માતમાં એક યુવાનની સ્થિતિ ગંભીર
ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મારફતે સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાઈ આવતા તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાંજ નરવાઇ માતાજી મંદિર નજીકના ધંધાર્થીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્તોની મદદ કરી હતી.
અકસ્માતથી ચંદ્રાવાડિયા પરિવારમાં શોખનો માહોલ વ્યાપી ગયો
ખંભાળિયાના ખજૂરિયા ગામ ખાતે રહેતો મયૂર ચંદ્રાવાડિયા નામનો યુવાન શીલ નજીક આવેલા લોએજ ગામની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી તેનું સર્ટિફિકેટ લેવા માટે આ પાંચેય યુવાન આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી લોએજ જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અકસ્માતે કાર પલટી જતાં ત્રણ યુવાન કાળનો કોળિયો બની ગયા હતાં. પ્રાથમિક તબક્કે મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ યુવાન પુત્રોના એેકસાથે અકાળે થયેલાં મૃત્યુને પગલે ચંદ્રાવાડિયા પરિવાર પર આભ તૂટી પડતાં પરિવારજનોમાં શોખનો માહોલ વ્યાપી ગયો હતો.
મૃતક યુવાનો ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામના હતા
ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ યુવાનો જઈ રહ્યા હતા
ભયાનક સર્જાતા ઘટના સ્થળેજ ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
જ્યારે બે શખ્સોને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
WatchGujarat પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ યુવાનના કમકમાટીભર્યાં મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય બે શખસને ઇજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
કાર પલટી જતાં ડિવાઈડર સાથે ભટકાઈ
આ અકસ્માત અંગેની વિગતો એવી છે કે , પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર આજે વહેલી સવારે એક કાર ડિવાઇડર સાથે ભટકાય હતી. જેથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામે રહેતા પાંચ યુવાન માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કાર પલટી મારી ડિવાઇડર સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયા નામના ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતાં, જ્યારે કારમાં સવાર અન્ય રાજુભાઇ ચંદ્રાવાડિયા અને વજશીભાઇ નંદાણિયાને ઇજા પહોંચી હતી.
અકસ્માતમાં એક યુવાનની સ્થિતિ ગંભીર
ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મારફતે સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાઈ આવતા તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાંજ નરવાઇ માતાજી મંદિર નજીકના ધંધાર્થીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્તોની મદદ કરી હતી.
ખંભાળિયાના ખજૂરિયા ગામ ખાતે રહેતો મયૂર ચંદ્રાવાડિયા નામનો યુવાન શીલ નજીક આવેલા લોએજ ગામની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી તેનું સર્ટિફિકેટ લેવા માટે આ પાંચેય યુવાન આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી લોએજ જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અકસ્માતે કાર પલટી જતાં ત્રણ યુવાન કાળનો કોળિયો બની ગયા હતાં. પ્રાથમિક તબક્કે મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ યુવાન પુત્રોના એેકસાથે અકાળે થયેલાં મૃત્યુને પગલે ચંદ્રાવાડિયા પરિવાર પર આભ તૂટી પડતાં પરિવારજનોમાં શોખનો માહોલ વ્યાપી ગયો હતો.