પોતાની સાવકી દીકરી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં નરાધમ અગાઉ 2 વર્ષની સજા ભોગવી ચુંક્યો છે.
સગીરાના પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા લેડી હોસ્પિટલમાં તપાસ કરાવતા સમગ્ર હકીકત સામે આવી હતી.
પોરબંદર. બગવદર ગામે 51 વર્ષનાં વાસનાંધ ઢગાએ 6 વર્ષ પહેલાં પોતાની સાવકી દીકરી સાથે કુકર્મ આચર્યું હતું. અને આ ગુનામાં નરાધમ બે વર્ષની સજા ભોગવી ચુક્યો છે. છતાં મોકો મળતા જ હવે તેણે સગીર વયની ભત્રીજીને પીંખી નાખતા ફરી એકવાર પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અને હાલ પોલીસે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપીનાં નાનાભાઈએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તારીખ 26 સપ્ટેમ્બરે પોતે તથા પત્ની ચીજ વસ્તુ વેચવા માટે બહારગામ ગયા હતા. અને તેની પંદર વર્ષીય પુત્રી બપોરના 12 થી 1 વાગ્યાના સમય દરમ્યાન તેના મકાનના પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીઓમાં રસોઈ માટે બળતણ કાપવા ગઈ હતી. દરમિયાન સગીરાનાં 51 વર્ષીય મોટાબાપા એટલે કે ફરિયાદી યુવાનનો મોટો ભાઈ ત્યાં આવ્યો હતો. અને એકલતાનો લાભ લઇ મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો.
એટલું જ નહીં બાદમાં જો આ અંગે કોઈને કહેશે તો તેના મા-બાપને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના દિવસે સગીરાને પેટમાં દુખાવો ઉપડયો હતો. પરંતુ મોટાબાપાના ભયથી ચુપ રહી હતી. જોકે બીજે દિવસે દુખાવો વધતા 108 મારફતે તેને પોરબંદર લેડી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેની શારીરિક તપાસ દરમ્યાન સમગ્ર હકીકત સામે આવી હતી. જેને પગલે સગીરાનાં પિતાએ પોતાના મોટાભાઈ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. અને તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આવું કૃત્ય કરનાર નરાધમને સંતાનમાં એક પુત્રી હતી અને પત્નીનું મૃત્યુ થતા તેણે બીજા લગ્ન કર્યા હતા. જેમાં બીજી પત્ની તેની સાથે એક આંગળીયાત પુત્રીને લાવી હતી. અને લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો. ત્યારબાદ નરાધમે એપ્રિલ 2014માં તેની સાવકી પુત્રી પર પણ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ કેસમાં તે બે વરસ જેલની હવા પણ ખાઈ ચુકયો છે.
- પોતાની સાવકી દીકરી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં નરાધમ અગાઉ 2 વર્ષની સજા ભોગવી ચુંક્યો છે.
- સગીરાના પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા લેડી હોસ્પિટલમાં તપાસ કરાવતા સમગ્ર હકીકત સામે આવી હતી.
પોરબંદર. બગવદર ગામે 51 વર્ષનાં વાસનાંધ ઢગાએ 6 વર્ષ પહેલાં પોતાની સાવકી દીકરી સાથે કુકર્મ આચર્યું હતું. અને આ ગુનામાં નરાધમ બે વર્ષની સજા ભોગવી ચુક્યો છે. છતાં મોકો મળતા જ હવે તેણે સગીર વયની ભત્રીજીને પીંખી નાખતા ફરી એકવાર પોલીસ ફરિયાદ નોંધાઇ છે. અને હાલ પોલીસે આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપીનાં નાનાભાઈએ આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તારીખ 26 સપ્ટેમ્બરે પોતે તથા પત્ની ચીજ વસ્તુ વેચવા માટે બહારગામ ગયા હતા. અને તેની પંદર વર્ષીય પુત્રી બપોરના 12 થી 1 વાગ્યાના સમય દરમ્યાન તેના મકાનના પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીઓમાં રસોઈ માટે બળતણ કાપવા ગઈ હતી. દરમિયાન સગીરાનાં 51 વર્ષીય મોટાબાપા એટલે કે ફરિયાદી યુવાનનો મોટો ભાઈ ત્યાં આવ્યો હતો. અને એકલતાનો લાભ લઇ મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો.
એટલું જ નહીં બાદમાં જો આ અંગે કોઈને કહેશે તો તેના મા-બાપને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના દિવસે સગીરાને પેટમાં દુખાવો ઉપડયો હતો. પરંતુ મોટાબાપાના ભયથી ચુપ રહી હતી. જોકે બીજે દિવસે દુખાવો વધતા 108 મારફતે તેને પોરબંદર લેડી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેની શારીરિક તપાસ દરમ્યાન સમગ્ર હકીકત સામે આવી હતી. જેને પગલે સગીરાનાં પિતાએ પોતાના મોટાભાઈ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. અને તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આવું કૃત્ય કરનાર નરાધમને સંતાનમાં એક પુત્રી હતી અને પત્નીનું મૃત્યુ થતા તેણે બીજા લગ્ન કર્યા હતા. જેમાં બીજી પત્ની તેની સાથે એક આંગળીયાત પુત્રીને લાવી હતી. અને લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો. ત્યારબાદ નરાધમે એપ્રિલ 2014માં તેની સાવકી પુત્રી પર પણ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ કેસમાં તે બે વરસ જેલની હવા પણ ખાઈ ચુકયો છે.