ત્રણ વર્ષ અગાઉ કર્ણાટક લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી.
ધારાસભ્ય પૂર્ણેસ મોદીએ રાહુલ ગાંધીએ વિરૂદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.
રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં હાજરી આપવા પહોંચે તે પહેલા જ દિગ્ગજ નેતાઓ સુરત પહોંચ્યાં
Gujarat, Rahul Gandhi likely to appear in surat Court by tomorrow, (Social Media Image)
WatchGujarat. સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. જેને લઈને આવતી કાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપી શકે છે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા અને સુરતમાં તેઓએ મીટીંગ પણ યોજી હતી.
આજથી ત્રણેક વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહૂલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આ કેસની સુનવણી દરમ્યાન આવતી કાલે રાહુલ ગાંધી સુરત આવી શકે છે. અને કોર્ટમાં હાજર રહી શકે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા. સુરતમાં અમિત ચાવડા, પરેશ ધનાણી સહિતના નેતાઓ આવી પહોચ્યા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી
આ કેસ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અનીતિ અસત્ય અને અધર્મ સામે દેશના સમાન્ય લોકોની આવાજ બનતા લોકનેતા રાહુલ ગાંધીને બદનામ અને હેરાન પરેશાન કરવા માટે આ ખોટા માનહાનીના કેસ કરવામાં આવ્યા છે. આ કેસમાં આગામી 24 તારીખે સુરત કોર્ટમાં હાજરી આપી શકે છે. વિગત વાર પ્રોગ્રામ બની રહયો છે. સમગ્ર શહેર કોંગ્રેસ સમિતિ અને સુરતના પ્રજાજનો દ્વારા સત્યની લડાઈ માટે રાહુલ ગાંધી સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તેઓના સમર્થનમાં સૌ લોકો જોડાશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી માટે રાહુલ ગાંધીએ અગાઉથી જ ચેતવણી અને સૂચનો આપ્યા હતા પરંતુ સરકારે તે ધ્યાનમાં ન લીધું હતું અને તેનું પરિણામ લોકોની સામે છે. આવનારા સમયમાં દેશને વિઝન વાળું નેતૃત્વની જરૂર છે. અને આ નેતૃત્વ રાહુલ ગાંધી પાસે છે.
સંગઠનમાં નિર્મણક પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. સમયાંતરે આમાં ફેરબદલ કરવામાં આવતા હોય છે. આગામી સમયમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ કરવામાં આવશે. આગમી સમયમાં નવા લોકોને તક પણ આપવામાં આવશે. અને જે લોકોએ પક્ષની વિચારધારાને લોકો સુધી પહોચાડી છે તે માટે તેઓને આગળ પણ તક આપવામાં આવશે
આમ આદમી પાર્ટી અંગે તેઓએ જણાવ્યું હતું કે 2017 ની ચુંટણીમાં પણ અનેક રાજકીય પાર્ટીઓ ભાગ લઇ ચુકી હતી અને આ ચુંટણીમાં પણ લીધો છે. ભૂતકાળમાં અનેક પાર્ટીઓની ડીપોઝીટ ગુમાવી હતી. આગામી સમયમાં ગુજરાતની જનતા યોગ્ય ન્યાય કરશે.
Gujarat, Rahul Gandhi likely to appear in surat Court by tomorrow.
ત્રણ વર્ષ અગાઉ કર્ણાટક લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરૂદ્ધ ટીપ્પણી કરી હતી.
ધારાસભ્ય પૂર્ણેસ મોદીએ રાહુલ ગાંધીએ વિરૂદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.
રાહુલ ગાંધી આવતીકાલે સુરત કોર્ટમાં હાજરી આપવા પહોંચે તે પહેલા જ દિગ્ગજ નેતાઓ સુરત પહોંચ્યાંGujarat, Rahul Gandhi likely to appear in surat Court by tomorrow, (Social Media Image)
WatchGujarat. સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. જેને લઈને આવતી કાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપી શકે છે. રાહુલ ગાંધીના આગમન પૂર્વે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા અને સુરતમાં તેઓએ મીટીંગ પણ યોજી હતી.
આજથી ત્રણેક વર્ષ પહેલા કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહૂલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. આ કેસની સુનવણી દરમ્યાન આવતી કાલે રાહુલ ગાંધી સુરત આવી શકે છે. અને કોર્ટમાં હાજર રહી શકે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા. સુરતમાં અમિત ચાવડા, પરેશ ધનાણી સહિતના નેતાઓ આવી પહોચ્યા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી
આ કેસ અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અનીતિ અસત્ય અને અધર્મ સામે દેશના સમાન્ય લોકોની આવાજ બનતા લોકનેતા રાહુલ ગાંધીને બદનામ અને હેરાન પરેશાન કરવા માટે આ ખોટા માનહાનીના કેસ કરવામાં આવ્યા છે. આ કેસમાં આગામી 24 તારીખે સુરત કોર્ટમાં હાજરી આપી શકે છે. વિગત વાર પ્રોગ્રામ બની રહયો છે. સમગ્ર શહેર કોંગ્રેસ સમિતિ અને સુરતના પ્રજાજનો દ્વારા સત્યની લડાઈ માટે રાહુલ ગાંધી સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તેઓના સમર્થનમાં સૌ લોકો જોડાશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી માટે રાહુલ ગાંધીએ અગાઉથી જ ચેતવણી અને સૂચનો આપ્યા હતા પરંતુ સરકારે તે ધ્યાનમાં ન લીધું હતું અને તેનું પરિણામ લોકોની સામે છે. આવનારા સમયમાં દેશને વિઝન વાળું નેતૃત્વની જરૂર છે. અને આ નેતૃત્વ રાહુલ ગાંધી પાસે છે.
સંગઠનમાં નિર્મણક પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. સમયાંતરે આમાં ફેરબદલ કરવામાં આવતા હોય છે. આગામી સમયમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ કરવામાં આવશે. આગમી સમયમાં નવા લોકોને તક પણ આપવામાં આવશે. અને જે લોકોએ પક્ષની વિચારધારાને લોકો સુધી પહોચાડી છે તે માટે તેઓને આગળ પણ તક આપવામાં આવશે
આમ આદમી પાર્ટી અંગે તેઓએ જણાવ્યું હતું કે 2017 ની ચુંટણીમાં પણ અનેક રાજકીય પાર્ટીઓ ભાગ લઇ ચુકી હતી અને આ ચુંટણીમાં પણ લીધો છે. ભૂતકાળમાં અનેક પાર્ટીઓની ડીપોઝીટ ગુમાવી હતી. આગામી સમયમાં ગુજરાતની જનતા યોગ્ય ન્યાય કરશે.
Gujarat, Rahul Gandhi likely to appear in surat Court by tomorrow.