રાજકોટ. રાજ્યમાં ગુનાખોરીને કાબુમાં રાખવા અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા કાયદાઓમાં ફેરફારો કરવામાં આવ્યા છે. નવા કાયદા મુજબ આરોપીઓને પાસામાં ધકેલવાની કાર્યવાહીનો આરંભ થઇ ચુકયો છે. દરમિયાન આજે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું ખાસ સન્માન કરાયું હતું. આ તકે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં તમામ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાવાશે.
આશિષ ભાટિયાનાં કહેવા મુજબ, ગુજરાતમાં ખંડણી, ચોરી, લૂંટ, પારકી જમીનો પચાવી પાડવી, ગેરકાયદેસર હથીયારો રાખવા, માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનાઓના ગ્રાફને ઉંચો જતો અટકાવવા કાયદામાં પણ મહત્વના ફેરફારો કરાયા છે. દરમિયાન હવે રાજ્યની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે વહીવટી વિભાગની મંજૂરી અને માર્ગદર્શનના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કોરોનાને લગતી તમામ ગાઇડ લાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
જામનગરનાં ભુમાફિયા જયેશ પટેલને લઇને આશિષ ભાટીયાએ કહ્યું હતું કે, હાલ દિપેન ભદ્રન તેમજ તેના સાથી પોલીસ અધિકારીઓને આ માટેની જવાબદારી સોપવામાં આવી છે. જયેશ પટેલ સહિત તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ રાજકોટમાં કમિશ્નર સહિતનાં અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી જરૂરી ફેરફાર કરવાની ખાતરી પણ તેમણે આપી છે.
રાજકોટ. રાજ્યમાં ગુનાખોરીને કાબુમાં રાખવા અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા કાયદાઓમાં ફેરફારો કરવામાં આવ્યા છે. નવા કાયદા મુજબ આરોપીઓને પાસામાં ધકેલવાની કાર્યવાહીનો આરંભ થઇ ચુકયો છે. દરમિયાન આજે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું ખાસ સન્માન કરાયું હતું. આ તકે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં તમામ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાવાશે.
આશિષ ભાટિયાનાં કહેવા મુજબ, ગુજરાતમાં ખંડણી, ચોરી, લૂંટ, પારકી જમીનો પચાવી પાડવી, ગેરકાયદેસર હથીયારો રાખવા, માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનાઓના ગ્રાફને ઉંચો જતો અટકાવવા કાયદામાં પણ મહત્વના ફેરફારો કરાયા છે. દરમિયાન હવે રાજ્યની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે વહીવટી વિભાગની મંજૂરી અને માર્ગદર્શનના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કોરોનાને લગતી તમામ ગાઇડ લાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
જામનગરનાં ભુમાફિયા જયેશ પટેલને લઇને આશિષ ભાટીયાએ કહ્યું હતું કે, હાલ દિપેન ભદ્રન તેમજ તેના સાથી પોલીસ અધિકારીઓને આ માટેની જવાબદારી સોપવામાં આવી છે. જયેશ પટેલ સહિત તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ રાજકોટમાં કમિશ્નર સહિતનાં અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી જરૂરી ફેરફાર કરવાની ખાતરી પણ તેમણે આપી છે.