રાજકોટની હોસ્પિટલમાં બેડ, ઓકસ્જિન સહિત અછત સર્જાતા મુખ્યમંત્રીએ પોતાની ગ્રાન્ટમાંથી દોઢ કરોડ ફાળવ્યા
અગાઉ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ગોવિંદભાઇ પટેલ 20-20 લાખ ફળવ્યા હતા.
WatchGujarat. કોરોનાનાં કપરા કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હોમટાઉન રાજકોટની મદદે આવ્યા છે. અને પોતાને MLA તરીકે મળતી રૂપિયા 1.5 કરોડની ગ્રાન્ટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા અને કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવવાનું જાહેર કર્યું છે. આ નિર્ણય દ્વારા મુખ્યમંત્રીએ રાજકોટ માટે પોતાની આગવી લાગણી વ્યક્ત કરતા જ રંગીલા રાજકોટીયનોએ પણ તેમના આ નિર્ણયની સરાહના કરી છે.
તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખ કોરોના સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવાનું ફરજિયાત કર્યું હતું. સાથે કોઈ ધારાસભ્ય ઈચ્છે તો આવા સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આપી શકે તેવી જોગવાઈ પણ કરી હતી. ત્યારે તેમણે પોતે પણ ધારાસભ્ય તરીકે પોતાને મળતી ગ્રાન્ટ પૈકી 1.5 કરોડ રૂપિયા રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને આપવાનું જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં દસેક દિવસ પહેલા કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું હતું. અને ઓક્સિજન માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને મુખ્યમંત્રી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાનું નક્કી કરાયું છે. આ માટે કોઈ આર્થિક મુશ્કેલી ન પડે અને હોમટાઉન ખાતે કોરોનાનાં દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રીએ પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ગોવિંદભાઇ પટેલ 20-20 લાખ ફળવ્યા હતા.
WatchGujarat. કોરોનાનાં કપરા કાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હોમટાઉન રાજકોટની મદદે આવ્યા છે. અને પોતાને MLA તરીકે મળતી રૂપિયા 1.5 કરોડની ગ્રાન્ટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા અને કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવવાનું જાહેર કર્યું છે. આ નિર્ણય દ્વારા મુખ્યમંત્રીએ રાજકોટ માટે પોતાની આગવી લાગણી વ્યક્ત કરતા જ રંગીલા રાજકોટીયનોએ પણ તેમના આ નિર્ણયની સરાહના કરી છે.
તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખ કોરોના સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવાનું ફરજિયાત કર્યું હતું. સાથે કોઈ ધારાસભ્ય ઈચ્છે તો આવા સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આપી શકે તેવી જોગવાઈ પણ કરી હતી. ત્યારે તેમણે પોતે પણ ધારાસભ્ય તરીકે પોતાને મળતી ગ્રાન્ટ પૈકી 1.5 કરોડ રૂપિયા રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને આપવાનું જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં દસેક દિવસ પહેલા કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું હતું. અને ઓક્સિજન માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને મુખ્યમંત્રી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે જ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાનું નક્કી કરાયું છે. આ માટે કોઈ આર્થિક મુશ્કેલી ન પડે અને હોમટાઉન ખાતે કોરોનાનાં દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રીએ પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે.