ગતવર્ષે લોકડાઉનને લઈ મૃત્યુદર કાબુમાં રહ્યો હતો.
કોરોનાની સારવાર માટે રાજકોટ ગ્રામ્યના ઉપરાંત અન્ય જીલ્લાઓનાં દર્દીઓ દાખલ
વર્ષ 2020ની તુલના કરીએ તો બીજી લહેર 2021નાં એપ્રિલમાં મૃત્યુઆંક ત્રણ ગણો હતો.
WatchGujarat. કોરોનાની પ્રવર્તમાન બીજી લહેર રાજકોટ માટે સૌથી વધુ જીવલેણ પુરવાર થઈ છે. અને છેલ્લા માત્ર 40 દિવસમાં 9,651 લોકનો ભોગ લેવાયો છે. જે કદાચ ગુજરાતમાં સૌથી વધુ છે. મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદી મુજબ એપ્રિલ માસમાં 6600 જ્યારે ચાલુ મેં મહિનાનાં પ્રથમ 10 દિવસમાં જ 3,000નો ભોગ લેવાયો છે. અગાઉ માર્ચ મહિના સુધી શહેરમાં પ્રતિમાસ 1000 થી 1500 મોત થતા હતા. પરંતુ કોરોનાની નવી લહેર દરમિયાન મૃત્યુઆંક લગભગ પાંચ ગણો થઈ ગયો છે. જો કે અધિકારીઓનાં કહેવા મુજબ આ પૈકી લગભગ 25% લોકો બહારનાં હતા.
રાજકોટની હદમા મૃત્યુ પામતા લોકોનો આંકડાકીય રીપોર્ટ કોર્પોરેશન હોસ્પીટલો, સ્મશાનગૃહો, ઉપરાંત ફાયર બ્રિગેડની શબવાહીનીના આધારે એકત્રીત કરે છે. જે મુજબ એપ્રિલ મહિનામાં કોરોના, કુદરતી તેમજ આકસ્મિક સહિત દરરોજ 220 લોકોના મોત થયા હતા. જોકે, કોરોનાની સારવાર માટે રાજકોટ ગ્રામ્યના ઉપરાંત અન્ય જીલ્લાઓનાં દર્દીઓ દાખલ થયા હતા. મ્યુ. કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગના અધિકારીનાં જણાવ્યા મુજબ 1 થી 30 એપ્રિલ સુધી કુલ 6,651 મોતની એન્ટ્રી વિવિધ હોસ્પીટલોમાંથી થઈ છે. જેમાં 3,582 પુરૂષ તથા 3,069 સ્ત્રી છે.
કોરોનાની પ્રથમ લહેર એટલે કે, વર્ષ 2020ની તુલના કરીએ તો બીજી લહેર 2021નાં એપ્રિલમાં મૃત્યુઆંક ત્રણ ગણો હતો. જોકે શહેરની હોસ્પીટલોમાં સ્થાનિક ઉપરાંત ગ્રામ્ય તથા બહારના દર્દી પણ દાખલ થતા હોય છે. કેટલાંક કિસ્સાઓમાં તો બીજા રાજયનાં દર્દી પણ હોય છે. ગતવર્ષે લોકડાઉનને લઈ મૃત્યુદર કાબુમાં રહ્યો હતો. તેમજ અન્ય બિમારીઓની સાથે અકસ્માત પણ ઓછા થયા હતા. જેને કારણે બીજી લહેરમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનો બચાવ અધિકારીઓ કરી રહ્યા છે. અને આ બાબતોને નકારી શકાય તેમ નથી. ગુજરાતનાં અન્ય મહાનગરોમાં પણ ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં મૃત્યુઆંક ડબલ કે તેના કરતાં વધુ થયો છે.
ગતવર્ષે લોકડાઉનને લઈ મૃત્યુદર કાબુમાં રહ્યો હતો.
કોરોનાની સારવાર માટે રાજકોટ ગ્રામ્યના ઉપરાંત અન્ય જીલ્લાઓનાં દર્દીઓ દાખલ
વર્ષ 2020ની તુલના કરીએ તો બીજી લહેર 2021નાં એપ્રિલમાં મૃત્યુઆંક ત્રણ ગણો હતો.
WatchGujarat. કોરોનાની પ્રવર્તમાન બીજી લહેર રાજકોટ માટે સૌથી વધુ જીવલેણ પુરવાર થઈ છે. અને છેલ્લા માત્ર 40 દિવસમાં 9,651 લોકનો ભોગ લેવાયો છે. જે કદાચ ગુજરાતમાં સૌથી વધુ છે. મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદી મુજબ એપ્રિલ માસમાં 6600 જ્યારે ચાલુ મેં મહિનાનાં પ્રથમ 10 દિવસમાં જ 3,000નો ભોગ લેવાયો છે. અગાઉ માર્ચ મહિના સુધી શહેરમાં પ્રતિમાસ 1000 થી 1500 મોત થતા હતા. પરંતુ કોરોનાની નવી લહેર દરમિયાન મૃત્યુઆંક લગભગ પાંચ ગણો થઈ ગયો છે. જો કે અધિકારીઓનાં કહેવા મુજબ આ પૈકી લગભગ 25% લોકો બહારનાં હતા.
રાજકોટની હદમા મૃત્યુ પામતા લોકોનો આંકડાકીય રીપોર્ટ કોર્પોરેશન હોસ્પીટલો, સ્મશાનગૃહો, ઉપરાંત ફાયર બ્રિગેડની શબવાહીનીના આધારે એકત્રીત કરે છે. જે મુજબ એપ્રિલ મહિનામાં કોરોના, કુદરતી તેમજ આકસ્મિક સહિત દરરોજ 220 લોકોના મોત થયા હતા. જોકે, કોરોનાની સારવાર માટે રાજકોટ ગ્રામ્યના ઉપરાંત અન્ય જીલ્લાઓનાં દર્દીઓ દાખલ થયા હતા. મ્યુ. કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગના અધિકારીનાં જણાવ્યા મુજબ 1 થી 30 એપ્રિલ સુધી કુલ 6,651 મોતની એન્ટ્રી વિવિધ હોસ્પીટલોમાંથી થઈ છે. જેમાં 3,582 પુરૂષ તથા 3,069 સ્ત્રી છે.
કોરોનાની પ્રથમ લહેર એટલે કે, વર્ષ 2020ની તુલના કરીએ તો બીજી લહેર 2021નાં એપ્રિલમાં મૃત્યુઆંક ત્રણ ગણો હતો. જોકે શહેરની હોસ્પીટલોમાં સ્થાનિક ઉપરાંત ગ્રામ્ય તથા બહારના દર્દી પણ દાખલ થતા હોય છે. કેટલાંક કિસ્સાઓમાં તો બીજા રાજયનાં દર્દી પણ હોય છે. ગતવર્ષે લોકડાઉનને લઈ મૃત્યુદર કાબુમાં રહ્યો હતો. તેમજ અન્ય બિમારીઓની સાથે અકસ્માત પણ ઓછા થયા હતા. જેને કારણે બીજી લહેરમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનો બચાવ અધિકારીઓ કરી રહ્યા છે. અને આ બાબતોને નકારી શકાય તેમ નથી. ગુજરાતનાં અન્ય મહાનગરોમાં પણ ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં મૃત્યુઆંક ડબલ કે તેના કરતાં વધુ થયો છે.