રાજકોટની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને દાખલ કરવા માટે પુરતા બેડ નથી
હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વચ્ચે એમ્બ્યૂલન્સમાં દર્દીને સારવાર આપવાની નોબત પડી હતી.
ખાનગી એમ્બ્યૂલન્સમાં પણ હવે દર્દીને ઓક્સિજન મળવો મુશ્કેલ બન્યો
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અને ઠેર-ઠેર ઓક્સિજન, બેડ સહિત રેમડેસીવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. ત્યારે આજે માત્ર બપોર સુધીમાં જ કોરોનાનાં વધુ 253 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 62 જેટલા દર્દીઓએ કોરોનાની સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. જો કે આ પૈકી કેટલા કોવિડ ડેથ છે, તે અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. બીજીતરફ હવે ખાનગી એમ્બ્યુલન્સ માટે પણ ઓક્સિજનની અછત હોવાનું સામે આવ્યું છે.
કોર્પોરેશનનાં સત્તાવાર આંકડાઓ અનુસાર, આજે બપોર સુધીમાં વધુ 253 પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 31189 પર પહોંચી છે. જો કે આ પૈકી કુલ 25,786 દર્દીઓને સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. જેને પગલે રિકવરી રેઈટ 83.35% થયો છે. તો 9.52 લાખ ટેસ્ટ કરવામાં આવતા પોઝીટીવીટી રેઈટ માત્ર 3.25% નોંધાયો છે. તો છેલ્લા 24 કલાકમાં જ શહેર-જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વધુ 62 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું પણ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ત્યારે હવે ખાનગી એમ્બ્યુલન્સમાં પણ ઓક્સિજનની અછત સર્જાતા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો પરેશાન થયા છે. રૈયા ચોકડી પાસે ચાલતું ખાનગી એમ્બ્યુલન્સ રિફીલીંગ બંધ થતાં એમ્બ્યુલન્સ ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. અને સમગ્ર મામલે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં કલેક્ટરે તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. જો કે આ અછતનું કોઈ ચોક્ક્સ નિરાકરણ નહીં આવે તો વધુ મુશ્કેલી સર્જાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, શહેર તેમજ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને રોકવામાં તંત્ર સાવ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. અને ઠેર-ઠેર ઓક્સિજન બેડ તેમજ ઇન્જેક્શનની અછતનાં પોકારો ઉઠી રહ્યા છે. છતાં કલેક્ટર અને મ્યુ. કમિશ્નર દ્વારા સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે જમીની હકીકત જોવા જઈએ તો કશું બરાબર નહીં હોવાનું જણાઈ રહ્યું છે. જેને પગલે શહેરના મોટા-મોટા વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું છે. તો જિલ્લાના મોટા ભાગના ગામડાઓએ પણ આ માર્ગ અપનાવ્યો છે. જેને લઈને નજીકના દિવસોમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને દાખલ કરવા માટે પુરતા બેડ નથી
હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વચ્ચે એમ્બ્યૂલન્સમાં દર્દીને સારવાર આપવાની નોબત પડી હતી.
ખાનગી એમ્બ્યૂલન્સમાં પણ હવે દર્દીને ઓક્સિજન મળવો મુશ્કેલ બન્યો
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અને ઠેર-ઠેર ઓક્સિજન, બેડ સહિત રેમડેસીવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. ત્યારે આજે માત્ર બપોર સુધીમાં જ કોરોનાનાં વધુ 253 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 62 જેટલા દર્દીઓએ કોરોનાની સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. જો કે આ પૈકી કેટલા કોવિડ ડેથ છે, તે અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. બીજીતરફ હવે ખાનગી એમ્બ્યુલન્સ માટે પણ ઓક્સિજનની અછત હોવાનું સામે આવ્યું છે.
કોર્પોરેશનનાં સત્તાવાર આંકડાઓ અનુસાર, આજે બપોર સુધીમાં વધુ 253 પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 31189 પર પહોંચી છે. જો કે આ પૈકી કુલ 25,786 દર્દીઓને સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. જેને પગલે રિકવરી રેઈટ 83.35% થયો છે. તો 9.52 લાખ ટેસ્ટ કરવામાં આવતા પોઝીટીવીટી રેઈટ માત્ર 3.25% નોંધાયો છે. તો છેલ્લા 24 કલાકમાં જ શહેર-જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વધુ 62 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું પણ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. ત્યારે હવે ખાનગી એમ્બ્યુલન્સમાં પણ ઓક્સિજનની અછત સર્જાતા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો પરેશાન થયા છે. રૈયા ચોકડી પાસે ચાલતું ખાનગી એમ્બ્યુલન્સ રિફીલીંગ બંધ થતાં એમ્બ્યુલન્સ ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. અને સમગ્ર મામલે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં કલેક્ટરે તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. જો કે આ અછતનું કોઈ ચોક્ક્સ નિરાકરણ નહીં આવે તો વધુ મુશ્કેલી સર્જાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, શહેર તેમજ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને રોકવામાં તંત્ર સાવ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. અને ઠેર-ઠેર ઓક્સિજન બેડ તેમજ ઇન્જેક્શનની અછતનાં પોકારો ઉઠી રહ્યા છે. છતાં કલેક્ટર અને મ્યુ. કમિશ્નર દ્વારા સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જો કે જમીની હકીકત જોવા જઈએ તો કશું બરાબર નહીં હોવાનું જણાઈ રહ્યું છે. જેને પગલે શહેરના મોટા-મોટા વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું છે. તો જિલ્લાના મોટા ભાગના ગામડાઓએ પણ આ માર્ગ અપનાવ્યો છે. જેને લઈને નજીકના દિવસોમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.