શહેરના સમાકાંઠા વિ,તમરાં આવેલા ચંપકનગર સ્થિત શિવ જ્વેલર્સમાં બની ઘટના
વેપારી કંઇ સમજે તે પહેલા જ આડેધટ માર મારીને અંદાજે દોઢ કરોડના સોનાના દાગીના લૂંટ
ગણતરીની મિનિટોમાં લૂંટારૂઓ કરોડોનુ સોનુ લૂંટી ફરાર
WatchGujarat. શહેરમાં એકતરફ કોરોના કાળો કેર મચાવી રહ્યો છે. ત્યારે બીજીતરફ તસ્કરો પણ બેફામ બન્યા છે. ત્યારે શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં વેપારીને માર મારી ધોળે દિવસે દોઢેક કરોડનાં સોનાના દાગીનાઓની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનાં ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને સીસીટીવીનાં આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
https://twitter.com/WatchGujarat/status/1386684856948518919?s=08
પ્રાથમિક રીતે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ચંપકનગર ખાતેનાં શિવ જવેલર્સમાં લૂંટની ઘટના બની છે. જેમાં ધોળે દિવસે ગ્રાહકના સ્વાંગમાં કેટલાક શખ્સો ધસી આવ્યા હતા. અને વેપારી કંઈપણ સમજે તે પહેલાં જ આડેધડ માર મારીને અંદાજે દોઢ કરોડની કિંમતનાં સોનાનાં દાગીના લૂંટીને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ વેપારી દ્વારા જાણ કરવામાં આવતા હાલ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત ડીસીપી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો છે.
ઘટના અંગે શોરૂમ માલિક મોહનભાઈ ડોડીયાના પુત્ર સિદ્ધાર્થભાઈએ વિગતો આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, લૂંટારૂઓએ પહેલા દુકાનમાં ગ્રાહક તરીકે આવી અંગૂઠી જાવા માંગી હતી. તેઓ હિન્દી ભાષા બોલતા હતા. બાદમાં અચાનક વેપારીના લમણે બંદૂક તાકી મારકૂટ કરી શોકેશમાંથી દોઢેક કરોડના દાગીનાની લૂંટ કરી હતી. અને પિતા મોહનભાઈને મોટી તિજારીમાં પૂરીને ત્રણેય લૂંટારૂ ફરાર થઈ ગયા હતા.
મોહનભાઈનું નિવાસસ્થાન નજીકમાં જ હોય તેમના ધર્મપત્નિ ચા દેવા આવ્યા ત્યારે બધુ વેરવિખેર જાવા મળતા અને તિજારીમાંથી અવાજ આવતા તેમણે તિજારી ખોલ્યા બાદ અંદરથી તેમના પતિ નીકળતા હેબતાઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં આ લૂંટારૂ બાઈક પર આવ્યાનું દેખાયુ છે. સાથે જ સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરો દ્વારા શોરૂમમાંથી બેધડક રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે.
શહેરના સમાકાંઠા વિ,તમરાં આવેલા ચંપકનગર સ્થિત શિવ જ્વેલર્સમાં બની ઘટના
વેપારી કંઇ સમજે તે પહેલા જ આડેધટ માર મારીને અંદાજે દોઢ કરોડના સોનાના દાગીના લૂંટ
WatchGujarat. શહેરમાં એકતરફ કોરોના કાળો કેર મચાવી રહ્યો છે. ત્યારે બીજીતરફ તસ્કરો પણ બેફામ બન્યા છે. ત્યારે શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં વેપારીને માર મારી ધોળે દિવસે દોઢેક કરોડનાં સોનાના દાગીનાઓની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનાં ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને સીસીટીવીનાં આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
પ્રાથમિક રીતે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ચંપકનગર ખાતેનાં શિવ જવેલર્સમાં લૂંટની ઘટના બની છે. જેમાં ધોળે દિવસે ગ્રાહકના સ્વાંગમાં કેટલાક શખ્સો ધસી આવ્યા હતા. અને વેપારી કંઈપણ સમજે તે પહેલાં જ આડેધડ માર મારીને અંદાજે દોઢ કરોડની કિંમતનાં સોનાનાં દાગીના લૂંટીને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ વેપારી દ્વારા જાણ કરવામાં આવતા હાલ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત ડીસીપી સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો છે.
ઘટના અંગે શોરૂમ માલિક મોહનભાઈ ડોડીયાના પુત્ર સિદ્ધાર્થભાઈએ વિગતો આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, લૂંટારૂઓએ પહેલા દુકાનમાં ગ્રાહક તરીકે આવી અંગૂઠી જાવા માંગી હતી. તેઓ હિન્દી ભાષા બોલતા હતા. બાદમાં અચાનક વેપારીના લમણે બંદૂક તાકી મારકૂટ કરી શોકેશમાંથી દોઢેક કરોડના દાગીનાની લૂંટ કરી હતી. અને પિતા મોહનભાઈને મોટી તિજારીમાં પૂરીને ત્રણેય લૂંટારૂ ફરાર થઈ ગયા હતા.
મોહનભાઈનું નિવાસસ્થાન નજીકમાં જ હોય તેમના ધર્મપત્નિ ચા દેવા આવ્યા ત્યારે બધુ વેરવિખેર જાવા મળતા અને તિજારીમાંથી અવાજ આવતા તેમણે તિજારી ખોલ્યા બાદ અંદરથી તેમના પતિ નીકળતા હેબતાઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં આ લૂંટારૂ બાઈક પર આવ્યાનું દેખાયુ છે. સાથે જ સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરો દ્વારા શોરૂમમાંથી બેધડક રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે.