દર્દીઓની મોતમાં 50થી મોટી ઉંમરના લોકોની સંખ્યા વધુ
દિવાળીમાં રખાયેલી નિષ્કાળજીને પગલે કોરોનાએ ફરી તાંડવ શરૂ કર્યો
રાજકોટ. તહેવારોમાં લોકોએ રાખેલી બેદરકારીને લઈ શહેર અને જીલ્લામાં ફરી એકવાર કોરોનાનું તાંડવ જોવા મળ્યું છે. અને માત્ર બે દિવસમાં 13 દર્દીઓનાં ભોગ લેવાયા છે. જેમાં ગઇકાલે 5 જયારે આજે 8 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં જ વધુ 150 પોઝીટીવ કેસ સામે આવતા તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.16નાં સવારે 8 વાગ્યાથી તા.17ને આજ સવારનાં 8 વાગ્યા સુધીમાં શહેર અને જિલ્લામાં 8 દર્દીઓએ દમ તોડ્યો છે. જોકે યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી 5 પૈકી એકપણ મૃત્યુ ન થયાનું જાહેર કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2140 બેડ ખાલી છે. શહેર-જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે., તેમાં 50થી મોટી ઉમરનાં દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. જેને પગલે તંત્ર દ્વારા મોટી ઉંમરનાં લોકોને બિનજરૂરી બહાર નહીં જવાની અપીલ કરવામાં આવી રહી છે.
- દર્દીઓની મોતમાં 50થી મોટી ઉંમરના લોકોની સંખ્યા વધુ
- દિવાળીમાં રખાયેલી નિષ્કાળજીને પગલે કોરોનાએ ફરી તાંડવ શરૂ કર્યો
રાજકોટ. તહેવારોમાં લોકોએ રાખેલી બેદરકારીને લઈ શહેર અને જીલ્લામાં ફરી એકવાર કોરોનાનું તાંડવ જોવા મળ્યું છે. અને માત્ર બે દિવસમાં 13 દર્દીઓનાં ભોગ લેવાયા છે. જેમાં ગઇકાલે 5 જયારે આજે 8 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં જ વધુ 150 પોઝીટીવ કેસ સામે આવતા તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.16નાં સવારે 8 વાગ્યાથી તા.17ને આજ સવારનાં 8 વાગ્યા સુધીમાં શહેર અને જિલ્લામાં 8 દર્દીઓએ દમ તોડ્યો છે. જોકે યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી 5 પૈકી એકપણ મૃત્યુ ન થયાનું જાહેર કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2140 બેડ ખાલી છે. શહેર-જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે., તેમાં 50થી મોટી ઉમરનાં દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. જેને પગલે તંત્ર દ્વારા મોટી ઉંમરનાં લોકોને બિનજરૂરી બહાર નહીં જવાની અપીલ કરવામાં આવી રહી છે.