અમદાવાદ હાઇવે પરના કુવાડવા પાસે ઝાડીઓમાંથી બાળક મળી આવ્યું હતુ.
ત્યજી દેવાયેલા બાળકને 108 એમ્બ્યુલન્સ દ્વારા શહેરની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઇ જવાયું
કુવાડવા પોલીસે બાળકને ત્યજી દેનારની શોધખોળ હાથ ધરી
રાજકોટ. આજરોજ નવા વર્ષના દિવસે જ એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ હાઇવે પરના કુવાડવા પાસે ઝાડીમાંથી રડવાનો અવાજ આવતા લોકો એકઠા થઈ ગયા હતા. અને ત્યાં જોતા જ ત્રણ માસનું માસુમ બાળક લાવારીસ પડ્યું હોવાનું જાણીને દંગ રહી ગયા હતા. બાળકમાં તાવના લક્ષણો જણાતા 108 એમ્બ્યુલન્સ દ્વારા માસુમને શહેરની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. હાલ કુવાડવા પોલીસે બાળક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સામાન્ય રીતે આજના દિવસે માતા-પિતા બાળકો માટે કપડાં, મીઠાઈ સહિતની ખરીદી કરતા હોય છે. ત્યારે કુવાડવા હાઇવે પર ત્યજી દીધેલું બાળક મળી આવ્યું છે. જેને લઈને નવા વર્ષે કઈ માતાનો જીવ આ બાળકને ત્યજી દેવા ચાલ્યો હશે ? એવું તો શું કારણ હશે કે આ બાળક બીમાર છે ત્યારે જ તેને આમ ઝાડીઓમાં ફેંકી દેવાયું હશે ? જેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો દોડી આવ્યો હતો. અને 108ની ટીમના EMT પુનિતે તપાસ કરતા બાળકને તાવ હોવાનું જણાયું હતું. જેથી હાલ તો આ બાળકને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું છે. અને કુવાડવા રોડ પોલીસે આ માસુમનાં વાલી-વારસને શોધવા તપાસનાં ચક્રો પણ ગતિમાન કર્યા છે. પણ કોઈ દુશ્મન સાથે પણ ન કરે તેવો વ્યવહાર આ બાળક સાથે કરનાર તેના માતા પિતા માટે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી રહી છે.
અમદાવાદ હાઇવે પરના કુવાડવા પાસે ઝાડીઓમાંથી બાળક મળી આવ્યું હતુ.
રાજકોટ. આજરોજ નવા વર્ષના દિવસે જ એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદ હાઇવે પરના કુવાડવા પાસે ઝાડીમાંથી રડવાનો અવાજ આવતા લોકો એકઠા થઈ ગયા હતા. અને ત્યાં જોતા જ ત્રણ માસનું માસુમ બાળક લાવારીસ પડ્યું હોવાનું જાણીને દંગ રહી ગયા હતા. બાળકમાં તાવના લક્ષણો જણાતા 108 એમ્બ્યુલન્સ દ્વારા માસુમને શહેરની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. હાલ કુવાડવા પોલીસે બાળક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સામાન્ય રીતે આજના દિવસે માતા-પિતા બાળકો માટે કપડાં, મીઠાઈ સહિતની ખરીદી કરતા હોય છે. ત્યારે કુવાડવા હાઇવે પર ત્યજી દીધેલું બાળક મળી આવ્યું છે. જેને લઈને નવા વર્ષે કઈ માતાનો જીવ આ બાળકને ત્યજી દેવા ચાલ્યો હશે ? એવું તો શું કારણ હશે કે આ બાળક બીમાર છે ત્યારે જ તેને આમ ઝાડીઓમાં ફેંકી દેવાયું હશે ? જેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો દોડી આવ્યો હતો. અને 108ની ટીમના EMT પુનિતે તપાસ કરતા બાળકને તાવ હોવાનું જણાયું હતું. જેથી હાલ તો આ બાળકને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું છે. અને કુવાડવા રોડ પોલીસે આ માસુમનાં વાલી-વારસને શોધવા તપાસનાં ચક્રો પણ ગતિમાન કર્યા છે. પણ કોઈ દુશ્મન સાથે પણ ન કરે તેવો વ્યવહાર આ બાળક સાથે કરનાર તેના માતા પિતા માટે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી રહી છે.