12 નવેમ્બરે અજીતસિંહ બિહાર રેજીમેન્ટથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા.
13 નવેમ્બરે રાતે 11 વાગ્યે તેમણે મંગેતર હીનાબેન સાથે ફોન પર વાત કરી હતી.
બીજા દિવસે સવારે ફોન ન આવતા પત્નીએ ફોન કર્યો પણ સપંર્ક ન થઇ શક્યો ન હતો.
વડોદરા રેલ્વે સ્ટેશન પરથી અજીતસિંહનો સામાન મળવાને બગલે મુંબઇથી મળ્યો હતો.
ગીરસોમનાથ. દિવાળીની રજા માણવા વતન કોડીનાર આવી રહેલા CRPFના કોબરા કમાન્ડોનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. બિહાર રેજીમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીત સિંહ પરમાર નામનો આ કમાન્ડો ત્રણ દિવસથી ટ્રેનમાં ગુમ હોવાથી પરિવાર ચિંતાતુર બન્યો હતો. અને રેલ મંત્રી પિયુષ ગોયલને ટ્વિટ કરી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ જવાનનો મૃતદેહ મધ્યપ્રદેશનાં રેલવે ટ્રેક પરથી તેમજ સામાન મુંબઈનાં રેલવે સ્ટેશન પરથી મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કોડીનારનાં અજીતસિંહ ટ્રેનમાંથી ગુમ થતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. દરમિયાન તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશનથી મળ્યો હતો. પણ અજીતસિંહ ન મળતા પરિવારજન યશપાલસિંહ બારડે રેલવે મંત્રી પિયુષ ગોયલને ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં જણાવ્યું હતું કે, અજીતસિંહ દિલ્હી-બરોડા રાજધાની ટ્રેન નં 02952માંથી ગુમ થયા છે. તેઓ દિવાળીની રજા માણવા માટે આ ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા.
આ ટ્વિટ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને આજે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. જોકે અજીતસિંહનો સામાન વડોદરા રેલવે સ્ટેશન પરથી મળી આવવાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવતા પરિવારમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરિવારનાં કહેવા મુજબ, 12 નવેમ્બરે અજીતસિંહ બિહાર રેજીમેન્ટથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે તેમણે મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હવે મને નિંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ.
પરંતુ તેમનો ફોન નહીં આવતા હીનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહોતી. જેને પગલે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશનાં રેલવે ટ્રેક તેમજ સામાન મુંબઈનાં રેલવે સ્ટેશન પરથી મળવાની વાતને લઈને રહસ્ય સર્જાયું છે. અન્ય એક ચર્ચા મુજબ ટ્રેનમાંથી પડી જતા ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયાની વાતો વહેતી થઈ છે. જો કે, પોલીસ તપાસ બાદ જ તેમના મૃત્યુની સાચી હકીકત બહાર આવશે.
12 નવેમ્બરે અજીતસિંહ બિહાર રેજીમેન્ટથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા.
13 નવેમ્બરે રાતે 11 વાગ્યે તેમણે મંગેતર હીનાબેન સાથે ફોન પર વાત કરી હતી.
બીજા દિવસે સવારે ફોન ન આવતા પત્નીએ ફોન કર્યો પણ સપંર્ક ન થઇ શક્યો ન હતો.
વડોદરા રેલ્વે સ્ટેશન પરથી અજીતસિંહનો સામાન મળવાને બગલે મુંબઇથી મળ્યો હતો.
ગીરસોમનાથ. દિવાળીની રજા માણવા વતન કોડીનાર આવી રહેલા CRPFના કોબરા કમાન્ડોનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું છે. બિહાર રેજીમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવતા અજીત સિંહ પરમાર નામનો આ કમાન્ડો ત્રણ દિવસથી ટ્રેનમાં ગુમ હોવાથી પરિવાર ચિંતાતુર બન્યો હતો. અને રેલ મંત્રી પિયુષ ગોયલને ટ્વિટ કરી રજૂઆત પણ કરવામાં આવી હતી. આ જવાનનો મૃતદેહ મધ્યપ્રદેશનાં રેલવે ટ્રેક પરથી તેમજ સામાન મુંબઈનાં રેલવે સ્ટેશન પરથી મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કોડીનારનાં અજીતસિંહ ટ્રેનમાંથી ગુમ થતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. દરમિયાન તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશનથી મળ્યો હતો. પણ અજીતસિંહ ન મળતા પરિવારજન યશપાલસિંહ બારડે રેલવે મંત્રી પિયુષ ગોયલને ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં જણાવ્યું હતું કે, અજીતસિંહ દિલ્હી-બરોડા રાજધાની ટ્રેન નં 02952માંથી ગુમ થયા છે. તેઓ દિવાળીની રજા માણવા માટે આ ટ્રેનમાં વતન કોડીનાર આવી રહ્યા હતા.
આ ટ્વિટ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને આજે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશના હાલોત રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. જોકે અજીતસિંહનો સામાન વડોદરા રેલવે સ્ટેશન પરથી મળી આવવાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવતા પરિવારમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરિવારનાં કહેવા મુજબ, 12 નવેમ્બરે અજીતસિંહ બિહાર રેજીમેન્ટથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે તેમણે મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હવે મને નિંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ.
પરંતુ તેમનો ફોન નહીં આવતા હીનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહોતી. જેને પગલે તેમનો મૃતદેહ મધ્યપ્રદેશનાં રેલવે ટ્રેક તેમજ સામાન મુંબઈનાં રેલવે સ્ટેશન પરથી મળવાની વાતને લઈને રહસ્ય સર્જાયું છે. અન્ય એક ચર્ચા મુજબ ટ્રેનમાંથી પડી જતા ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયાની વાતો વહેતી થઈ છે. જો કે, પોલીસ તપાસ બાદ જ તેમના મૃત્યુની સાચી હકીકત બહાર આવશે.