શહેરની બધી મુખ્ય બજારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
છેડતી રોકવા સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ તૈનાત
અધિકારીઓ સહિત 3 હજાર જવાનોનું ફૂટ પેટ્રોલિંગ
રાજકોટ. શહેરમાં કોરોનાનાં ઘટતા સંક્રમણ વચ્ચે જ દિવાળીનાં તહેવારો નજીક આવ્યા છે. રાજ્ય સરકારે લોકોને તહેવારની ઉજવણીની છૂટ આપી છે. ત્યારે આ ઉજવણીની સાથે કોરોનાનું સંક્રમણ ફરી ન વધે તેમજ છેડતી, ચોરી, લૂંટફાટ સહિતનાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જે અંતર્ગત છેડતી રોકવા સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યારે અધિકારીઓ સહિત 3 હજાર જવાનો દ્વારા સમયાંતરે ફૂટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.
સમગ્ર વ્યૂહરચના અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ACPએ જણાવ્યું હતું કે, આ તહેવારોમાં ગુનાખોરીને રોકવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત શહેરની બધી મુખ્ય બજારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ગુનાખોરી અટકાવવા માટે અલગ અલગ માર્ગદર્શિકા અને જાહેર સુચનાઓ બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તો 100 ટકા ગુનાખોરી અટકશે.
રાજકોટ પોલીસ દ્વારા ખાસ પત્રિકા તૈયાર કરી શોપિંગ મોલ, જ્વેલર્સ સહિત નાની-મોટી દુકાનોમાં લગવવામાં આવી છે. જેના દ્વારા પણ લોકોને કોરોનાનાં નિયમોનું પાલન કરવાની સાથે-સાથે શંકાસ્પદ વ્યક્તિ, હિલચાલ કે નંબર પ્લેટ વગરનાં વાહન અંગે તરત જ પોલીસને જાણ કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથે મહિલાઓની સુરક્ષા માટે ખાસ તમામ પોલીસ મથકોની દુર્ગા શક્તિ ટીમ ખાનગી ડ્રેસ સાથે ડ્રેસકોડમાં પણ પેટ્રોલિંગ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ રોકવા દુકાનોમાં પણ સરકારી ગાઈડલાઇનનાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેનું દુકાનદારોએ ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. આ માટે 24 કલાકનો પોલીસ બંદોબસ્ત શહેરની બધી મુખ્ય બજારોમાં ગોઠવવામાં આવ્યો છે. જોકે શહેરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવાળીની ખરીદી કરવા આવતા લોકોનાં મેળાવડાથી કોરોના સંક્રમણ વધે તો જવાબદારી કોની તેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે.
શહેરની બધી મુખ્ય બજારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
છેડતી રોકવા સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ તૈનાત
અધિકારીઓ સહિત 3 હજાર જવાનોનું ફૂટ પેટ્રોલિંગ
રાજકોટ. શહેરમાં કોરોનાનાં ઘટતા સંક્રમણ વચ્ચે જ દિવાળીનાં તહેવારો નજીક આવ્યા છે. રાજ્ય સરકારે લોકોને તહેવારની ઉજવણીની છૂટ આપી છે. ત્યારે આ ઉજવણીની સાથે કોરોનાનું સંક્રમણ ફરી ન વધે તેમજ છેડતી, ચોરી, લૂંટફાટ સહિતનાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જે અંતર્ગત છેડતી રોકવા સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ તૈનાત કરવામાં આવી છે. જ્યારે અધિકારીઓ સહિત 3 હજાર જવાનો દ્વારા સમયાંતરે ફૂટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.
સમગ્ર વ્યૂહરચના અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ACPએ જણાવ્યું હતું કે, આ તહેવારોમાં ગુનાખોરીને રોકવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત શહેરની બધી મુખ્ય બજારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ગુનાખોરી અટકાવવા માટે અલગ અલગ માર્ગદર્શિકા અને જાહેર સુચનાઓ બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તો 100 ટકા ગુનાખોરી અટકશે.
રાજકોટ પોલીસ દ્વારા ખાસ પત્રિકા તૈયાર કરી શોપિંગ મોલ, જ્વેલર્સ સહિત નાની-મોટી દુકાનોમાં લગવવામાં આવી છે. જેના દ્વારા પણ લોકોને કોરોનાનાં નિયમોનું પાલન કરવાની સાથે-સાથે શંકાસ્પદ વ્યક્તિ, હિલચાલ કે નંબર પ્લેટ વગરનાં વાહન અંગે તરત જ પોલીસને જાણ કરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથે મહિલાઓની સુરક્ષા માટે ખાસ તમામ પોલીસ મથકોની દુર્ગા શક્તિ ટીમ ખાનગી ડ્રેસ સાથે ડ્રેસકોડમાં પણ પેટ્રોલિંગ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ રોકવા દુકાનોમાં પણ સરકારી ગાઈડલાઇનનાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેનું દુકાનદારોએ ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. આ માટે 24 કલાકનો પોલીસ બંદોબસ્ત શહેરની બધી મુખ્ય બજારોમાં ગોઠવવામાં આવ્યો છે. જોકે શહેરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવાળીની ખરીદી કરવા આવતા લોકોનાં મેળાવડાથી કોરોના સંક્રમણ વધે તો જવાબદારી કોની તેવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે.