રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અનોખી પહેલ
કાઠિયાવાડ બાલાશ્રમમાં ઉછરી રહેલા અનાથ બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યાં પોલીસ કમિશ્નર
9 મહિના પહેલા માસૂમ બાળકી (અંબા)ને સ્થાનિકોએ કૂતરાના મોઢામાંથી બચાવી હતી.
રાજકોટ. શહેરનાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે તેઓ પરિવાર સાથે 9 મહિનાં પૂર્વે તરછોડાયેલ બાળકી 'અંબા' ની મુલાકાતે કાઠિયાવાડ બાલાશ્રમ પહોંચ્યા હતા. અને તેના માથા પર વ્હાલથી હાથ ફેરવી રમાડી હતી. સાથે જ બાલાશ્રમનાં અન્ય બાળકો સાથે ગમ્મત કરી સમય પસાર કર્યો હતો. અને અહીંના બાળકોને મીઠાઈઓ તેમજ ગિફ્ટ આપી નવા વર્ષની ઉજવણી કરી હતી. લોકો પણ તેમની અનોખી પહેલને બિરદાવી રહ્યા છે.
રાજકોટનાં કાઠિયાવાડ બાલાશ્રમમાં અનાથ બાળકો ઉછરી રહ્યા છે. ત્યારે ઠેબચડા ગામેથી ગંભીર ઈજા સાથે મળેલી નવજાત બાળકીની સારવાર રાજકોટની હોસ્પિટલમાં કરાવાઈ હતી. બાદમાં પોલીસ કમિશ્નરે આ બાળકીને 'અંબા' નામ આપી તેના ભરણપોષણની જવાબદારી સ્વીકારી હતી. આજરોજ 'અંબા'ની આ પ્રથમ દિવાળી હોય કમિશ્નર અગ્રવાલે તેની સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત પરિવાર સાથે તેમણે 'અંબા' સહિતનાં આ બાલાશ્રમનાં અનાથ બાળકો સાથે કલાકો સુધી ગમ્મત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 'અંબા' નવ મહિના પહેલા ઠેબચડા ગામની સીમમાંથી મળી આવી હતી. ગામની સીમમાં એક કૂતરું મોઢામાં માસુમ બાળકીને લઈને જતું નજરે પડતા જાગૃત નાગરિકે તે બાળકીને બચાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. બાળકીને પ્રથમ કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાની પોલીસે શંકા દર્શાવી હતી પરંતુ બાદમાં બાળકીને શરીરના ભાગે જે ઇજાના નિશાન હતા તે કૂતરાનાં બચકા હોવાનો રિપોર્ટ FSLમાં આવ્યો હતો. આજીડેમ પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી શોધખોળ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી તે વ્યક્તિ મળી આવી નથી. જેને પગલે શહેર પોલીસ વતી મનોજ અગ્રવાલે તેનો ઉછેર કરવાની જાહેરાત કરી હતી.
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અનોખી પહેલ
કાઠિયાવાડ બાલાશ્રમમાં ઉછરી રહેલા અનાથ બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યાં પોલીસ કમિશ્નર
9 મહિના પહેલા માસૂમ બાળકી (અંબા)ને સ્થાનિકોએ કૂતરાના મોઢામાંથી બચાવી હતી.
રાજકોટ. શહેરનાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે તેઓ પરિવાર સાથે 9 મહિનાં પૂર્વે તરછોડાયેલ બાળકી 'અંબા' ની મુલાકાતે કાઠિયાવાડ બાલાશ્રમ પહોંચ્યા હતા. અને તેના માથા પર વ્હાલથી હાથ ફેરવી રમાડી હતી. સાથે જ બાલાશ્રમનાં અન્ય બાળકો સાથે ગમ્મત કરી સમય પસાર કર્યો હતો. અને અહીંના બાળકોને મીઠાઈઓ તેમજ ગિફ્ટ આપી નવા વર્ષની ઉજવણી કરી હતી. લોકો પણ તેમની અનોખી પહેલને બિરદાવી રહ્યા છે.
રાજકોટનાં કાઠિયાવાડ બાલાશ્રમમાં અનાથ બાળકો ઉછરી રહ્યા છે. ત્યારે ઠેબચડા ગામેથી ગંભીર ઈજા સાથે મળેલી નવજાત બાળકીની સારવાર રાજકોટની હોસ્પિટલમાં કરાવાઈ હતી. બાદમાં પોલીસ કમિશ્નરે આ બાળકીને 'અંબા' નામ આપી તેના ભરણપોષણની જવાબદારી સ્વીકારી હતી. આજરોજ 'અંબા'ની આ પ્રથમ દિવાળી હોય કમિશ્નર અગ્રવાલે તેની સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત પરિવાર સાથે તેમણે 'અંબા' સહિતનાં આ બાલાશ્રમનાં અનાથ બાળકો સાથે કલાકો સુધી ગમ્મત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 'અંબા' નવ મહિના પહેલા ઠેબચડા ગામની સીમમાંથી મળી આવી હતી. ગામની સીમમાં એક કૂતરું મોઢામાં માસુમ બાળકીને લઈને જતું નજરે પડતા જાગૃત નાગરિકે તે બાળકીને બચાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. બાળકીને પ્રથમ કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાની પોલીસે શંકા દર્શાવી હતી પરંતુ બાદમાં બાળકીને શરીરના ભાગે જે ઇજાના નિશાન હતા તે કૂતરાનાં બચકા હોવાનો રિપોર્ટ FSLમાં આવ્યો હતો. આજીડેમ પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી શોધખોળ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી તે વ્યક્તિ મળી આવી નથી. જેને પગલે શહેર પોલીસ વતી મનોજ અગ્રવાલે તેનો ઉછેર કરવાની જાહેરાત કરી હતી.