રાજકોટમાં કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા સ્વજનો દોડધામ કરી રહ્યાં છે.
હોસ્પિટલમાં બેડ મળે તો ઓક્સિજન અને વેન્ટીલેટરની અછત
રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ કોરોનાની સારવાર લેવા આવી રહ્યાં છે.
અમદાવાદ GMDC અને ગાંધીનગરની જેમ રાજકોટમાં પણ 1000 બેડની તાત્કાલીક સુવિધા ઉભી કરવા માંગ
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાંથી કોરોનાનાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેને લઈને સ્થાનિક દર્દીઓને પણ બેડ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભાજપનાં જ સાંસદ રમેશ ધડુકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી અહીં અમદાવાદની માફક 1000 બેડની હોસ્પિટલ ઉભી કરવાની માંગ કરી છે.
પોરબંદરનાં સાંસદ ધડુકે પત્રમાં જણાવ્યા મુજબ, હાલ સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ રાજકોટ આવી રહયા છે. જેના ઈલાજ માટે હોસ્પિટલમાં બેડ મળતા નથી. કેટલાકને છત વગર ખુલ્લામાં સારવાર લેવી પડે રાત ગુજારવી પડી રહી છે તો કેટલાક દર્દીઓને ભોજન પણ મળતુ ન હોવાની દયનીય હાલત છે. ત્યારે ડીઆરડીઓ દ્વારા તાત્કાલિક રાજકોટમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ થાય તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં દર્દીઓને રાહત મળે તેમ છે.
વધુમાં તેમણે કહ્યું છે કે, રાજકોટ-સૌરાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓ ઓકિસજન-બેડનાં વાંકે મોતને ભેટી રહયા છે અને હાલત અતિ ગંભીર બની છે, ત્યારે આ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે રાજય - કેન્દ્ર સરકારે તાકિદે રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓની મદદ લઈ ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવી જોઈએ. ડીઆરડીઓ જેવી એજન્સીઓ સૌરાષ્ટ્ર માટે પણ આગળ આવે તે હાલ જરૂરી હોવાનું પણ તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે.
નોંધનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ડીઆરડીઓ અને સરકારનાં સહયોગથી 900 બેડ તો ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ તત્કાળ શરુ કરવા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં દર્દીઓ માટે પણ આ પ્રકારે 1000 બેડની હોસ્પિટલ શરૂ કરવાની માંગ ખુદ ભાજપનાં સાંસદ દ્વારા કરાઈ છે. જો કે તેમની આ રજૂઆતને રાજ્ય-કેન્દ્ર સરકાર ક્યારે સાંભળશે તે જોવું અગત્યનું બની રહેશે.
- રાજકોટમાં કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા સ્વજનો દોડધામ કરી રહ્યાં છે.
- હોસ્પિટલમાં બેડ મળે તો ઓક્સિજન અને વેન્ટીલેટરની અછત
- રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ કોરોનાની સારવાર લેવા આવી રહ્યાં છે.
- અમદાવાદ GMDC અને ગાંધીનગરની જેમ રાજકોટમાં પણ 1000 બેડની તાત્કાલીક સુવિધા ઉભી કરવા માંગ
WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાંથી કોરોનાનાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેને લઈને સ્થાનિક દર્દીઓને પણ બેડ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભાજપનાં જ સાંસદ રમેશ ધડુકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી અહીં અમદાવાદની માફક 1000 બેડની હોસ્પિટલ ઉભી કરવાની માંગ કરી છે.
પોરબંદરનાં સાંસદ ધડુકે પત્રમાં જણાવ્યા મુજબ, હાલ સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ રાજકોટ આવી રહયા છે. જેના ઈલાજ માટે હોસ્પિટલમાં બેડ મળતા નથી. કેટલાકને છત વગર ખુલ્લામાં સારવાર લેવી પડે રાત ગુજારવી પડી રહી છે તો કેટલાક દર્દીઓને ભોજન પણ મળતુ ન હોવાની દયનીય હાલત છે. ત્યારે ડીઆરડીઓ દ્વારા તાત્કાલિક રાજકોટમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ થાય તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં દર્દીઓને રાહત મળે તેમ છે.
વધુમાં તેમણે કહ્યું છે કે, રાજકોટ-સૌરાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓ ઓકિસજન-બેડનાં વાંકે મોતને ભેટી રહયા છે અને હાલત અતિ ગંભીર બની છે, ત્યારે આ દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે રાજય - કેન્દ્ર સરકારે તાકિદે રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓની મદદ લઈ ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવી જોઈએ. ડીઆરડીઓ જેવી એજન્સીઓ સૌરાષ્ટ્ર માટે પણ આગળ આવે તે હાલ જરૂરી હોવાનું પણ તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે.
નોંધનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ડીઆરડીઓ અને સરકારનાં સહયોગથી 900 બેડ તો ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ તત્કાળ શરુ કરવા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં દર્દીઓ માટે પણ આ પ્રકારે 1000 બેડની હોસ્પિટલ શરૂ કરવાની માંગ ખુદ ભાજપનાં સાંસદ દ્વારા કરાઈ છે. જો કે તેમની આ રજૂઆતને રાજ્ય-કેન્દ્ર સરકાર ક્યારે સાંભળશે તે જોવું અગત્યનું બની રહેશે.