રાજપરિવારની મિલકત અંગે લાંબા સમયથી ચાલે રહેલી માથાકુટમાં વધુ એક વળાંક
રણશૂરવીરસિંહ સીધી લીટીના વારસદાર છે અને કેટલીક મિલકતો પર પોતોનો હક હોવાનુ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.
રણશૂરવિરસિંહ જાડેડાએ જાહેર કરેલી વિગતો સત્યથી તદ્દન વેગળી – માંધાતાસિંહ જાડેજા
WatchGujarat. રાજપરિવારની મિલકતને લઈને જે વાતો ચાલી રહી છે તે અંગે રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પત્રકાર પરિષદમાં જે કંઈ રણશૂરવીરસિંહ દ્વારા કહેવામાં આવ્યું એ બિનજરુરી અને તદ્દન પાયા વગરનું છે. આમ તો આ મામલો જ પરિવારનો છે એને જાહેરમાં લઈ જવાની જરુર નથી અને એના કરતાં પણ અગત્યનું એ છે કે જે વિગતો રણશૂરવીરસિંહ જાડેજાએ જાહેર કરી છે એ સત્યથી તદ્દન વેગળી છે.
માંધાતાસિંહજીએ આજે એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ રાજપરિવારની એક આગવી પ્રતિષ્ઠા છે એના વતી કે એના વિશે આમ જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી.અમારા ધ્યાને આવ્યું છે કે અમારા જ કુટુંબી રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અમારા પુર્વજ તેમજ રાજકોટના પુર્વ ઠાકોર સાહેબ સ્વ. પ્રદ્યુમ્નસિંહજી જાડેજાની મિલકતના તેઓ સીધી લીટીના વારસદાર હોવાની વાત કરી છે અને કેટલીક મિલકતો પર પોતાનો હક છે એવું જણાવ્યું છે પરંતુ આ વાતમાં કોઈ વજુદ નથી.
મારા પિતા સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજીના નાના ભાઈ સ્વ. પ્રહલાદસિંહજી જાડેજા એટલે કે રણશૂરવીરસિંહના દાદાબાપુને એમના હિસ્સાની મિલકત સ્વ. ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી જાડેજાએ પોતે આપી દીધી હતી. તેના પૂત્ર અનિરુદ્ધસિંહજીએ પણ અગાઉ કોર્ટમાં આ વાત કબુલ કરી છે. માટે હવે સ્વ. પ્રહલાદસિંહજીના કોઇ પરિવારજનનો હિસ્સો રાજકોટ રાજ પરિવારની કોઇ મિલકત પર રહેતો નથી. આવી રીતે માધ્યમોમાં અલગ અલગ વાત ફેલાવીને તે લોકો પ્રજામાં ગેરસમજ ફેલાવી રહ્યા છે તે દુઃખદ છે. વાસ્તવમાં આવો કોઈ વિવાદ કે મુદ્દો જ અસ્તિત્વમાં નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
- રાજપરિવારની મિલકત અંગે લાંબા સમયથી ચાલે રહેલી માથાકુટમાં વધુ એક વળાંક
- રણશૂરવીરસિંહ સીધી લીટીના વારસદાર છે અને કેટલીક મિલકતો પર પોતોનો હક હોવાનુ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.
- રણશૂરવિરસિંહ જાડેડાએ જાહેર કરેલી વિગતો સત્યથી તદ્દન વેગળી – માંધાતાસિંહ જાડેજા
WatchGujarat. રાજપરિવારની મિલકતને લઈને જે વાતો ચાલી રહી છે તે અંગે રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પત્રકાર પરિષદમાં જે કંઈ રણશૂરવીરસિંહ દ્વારા કહેવામાં આવ્યું એ બિનજરુરી અને તદ્દન પાયા વગરનું છે. આમ તો આ મામલો જ પરિવારનો છે એને જાહેરમાં લઈ જવાની જરુર નથી અને એના કરતાં પણ અગત્યનું એ છે કે જે વિગતો રણશૂરવીરસિંહ જાડેજાએ જાહેર કરી છે એ સત્યથી તદ્દન વેગળી છે.
માંધાતાસિંહજીએ આજે એક યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ રાજપરિવારની એક આગવી પ્રતિષ્ઠા છે એના વતી કે એના વિશે આમ જાહેરમાં પાયા વગરની વાત કરવાનો કોઈને અધિકાર નથી.અમારા ધ્યાને આવ્યું છે કે અમારા જ કુટુંબી રણશૂરવીરસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં અમારા પુર્વજ તેમજ રાજકોટના પુર્વ ઠાકોર સાહેબ સ્વ. પ્રદ્યુમ્નસિંહજી જાડેજાની મિલકતના તેઓ સીધી લીટીના વારસદાર હોવાની વાત કરી છે અને કેટલીક મિલકતો પર પોતાનો હક છે એવું જણાવ્યું છે પરંતુ આ વાતમાં કોઈ વજુદ નથી.
મારા પિતા સ્વ. ઠાકોર સાહેબ મનોહરસિંહજીના નાના ભાઈ સ્વ. પ્રહલાદસિંહજી જાડેજા એટલે કે રણશૂરવીરસિંહના દાદાબાપુને એમના હિસ્સાની મિલકત સ્વ. ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી જાડેજાએ પોતે આપી દીધી હતી. તેના પૂત્ર અનિરુદ્ધસિંહજીએ પણ અગાઉ કોર્ટમાં આ વાત કબુલ કરી છે. માટે હવે સ્વ. પ્રહલાદસિંહજીના કોઇ પરિવારજનનો હિસ્સો રાજકોટ રાજ પરિવારની કોઇ મિલકત પર રહેતો નથી. આવી રીતે માધ્યમોમાં અલગ અલગ વાત ફેલાવીને તે લોકો પ્રજામાં ગેરસમજ ફેલાવી રહ્યા છે તે દુઃખદ છે. વાસ્તવમાં આવો કોઈ વિવાદ કે મુદ્દો જ અસ્તિત્વમાં નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.