ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1325 કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે
169 દિવસમાં કોરોનાના કેસ એક લાખને પાર,જુલાઈમાં કેસ રોકેટ ગતિએ વધવા લાગ્યા
કુલ કેસના 63 ટકા કેસ જુલાઈ અને ઓગસ્ટમાં જ નોંધાયા
જ્યારે 81,180 દર્દી ડિસ્ચાર્જ તેમજ મૃત્યુઆંક 3064એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 25 લાખ 59 હજાર 916 ટેસ્ટ થઈ ચૂક્યા છે
હાલમાં 16131 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર અને 16042 દર્દીની હાલત સ્થિર
ગુજરાત. રાજ્યમાં લોકલ સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે દરરોજ નવા કેસની સંખ્યા 1200થી વધુ તેમજ મોતનો આંકડો 20ની આસપાસ થાય છે. ત્યારે છેલ્લા 3 દિવસમાં તો 1300થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,00,375ને પાર થયો છે. જ્યારે 81,180 દર્દી ડિસ્ચાર્જ તેમજ મૃત્યુઆંક 3064એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 25 લાખ 59 હજાર 916 ટેસ્ટ થઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 16131 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર અને 16042 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1325 કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 1126 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ 19 માર્ચના રોજ રાજકોટ અને સુરતમાં નોંધાયો હતો. ત્યારથી લઈ અત્યાર સુધીમાં એટલે કે 169 દિવસમાં કુલ કેસ 1 લાખ 375 થઈ ગયા છે.
કોરોનાના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી 31 મે સુધી 4 તબક્કામાં લોકડાઉન જાહેર કરાયું હતું. લોકડાઉનના આ 68 દિવસમાં 16,760 કેસ સામે આવ્યા હતા અને 1010 દર્દીના મૃત્યુ થયા હતા. આ સમયે લાગી રહ્યું હતું કે હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિને નિયંત્રિત કરી શકાશે અને લાંબો સમય સુધી આર્થિક પ્રવૃત્તિઓ રોકી ન શકાય એ માટે રાજ્યને ધીરે-ધીરે અનલોક કરવામાં આવ્યું હતું. પરંતુ 1 જૂનથી 31 જુલાઈ સુધીના અનલોક-2ના તબક્કામાં રાજ્યમાં કોરોના રોકેટગતિએ વધ્યો હતો. આ 61 દિવસમાં રાજ્યમાં 44,644 કેસ નોંધાયા તો 1403 દર્દીના મૃત્યુ થયા હતા. એટલે કે લોકડાઉનમાં રોજ 246 કેસ અને 15 મોત નોંધાતા હતા. અનલોકમાં દરરોજ સરેરાશ 731 કેસ અને 23 મોત નોંધાયા હતા. લોકડાઉનમાં નોંધાયેલા કેસની સરખામણીએ અનલોક 1-2માં અઢી ગણા કેસ વધુ નોંધાયા હતા.
25 માર્ચથી 31 મે સુધી રાજ્યમાં 16760 કેસ, 1010 મોત અને 9919 ડિસ્ચાર્જ થયા હતા. લોકડાઉન હોવા છતાં પણ રાજ્યમાં કેસ વધ્યા હતા અને કોરોનાથી થતા મોતનો આંકડો પણ વધારે હતો. લોકડાઉનના આ 68 દિવસમાં દરરોજ સરેરાશ 246 કેસ અને 15 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે અનલોક-1 જૂન મહિનાના 30 દિવસમાં 15849 કેસ, 810 મોત અને 13751 ડિસ્ચાર્જ થયા હતા. અનલોક-1ના 30 દિવસમાં દરરોજ સરેરાશ 528 કેસ અને 27 મૃત્યુ નોંધાયા હતા. જુલાઈમાં અનલોક-2 અમલી બનાવાયું હતું. જુલાઈના 31 દિવસમાં રાજ્યમાં 28795 કેસ, 593 મોત અને 21237 ડિસ્ચાર્જ થયા હતા. અનલોક-2માં દરરોજ સરેરાશ 928 કેસ અને 19 મૃત્યુ થયા હતા. જ્યારે ઓગસ્ટમાં કુલ 34,997 કેસ નોંધાયા હતા અને 581 દર્દીના મોત થયા હતા. તેમજ 32,963 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 1128 કેસ અને 18 મોત થયા છે. જ્યારે 1063 દર્દી સાજા થયા છે. આમ જુલાઈ અને ઓગસ્ટમાં જ 63 હજાર 192 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 63 ટકા છે.
- ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1325 કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે
- 169 દિવસમાં કોરોનાના કેસ એક લાખને પાર,જુલાઈમાં કેસ રોકેટ ગતિએ વધવા લાગ્યા
- કુલ કેસના 63 ટકા કેસ જુલાઈ અને ઓગસ્ટમાં જ નોંધાયા
- જ્યારે 81,180 દર્દી ડિસ્ચાર્જ તેમજ મૃત્યુઆંક 3064એ પહોંચ્યો છે.
- ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 25 લાખ 59 હજાર 916 ટેસ્ટ થઈ ચૂક્યા છે
- હાલમાં 16131 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર અને 16042 દર્દીની હાલત સ્થિર
ગુજરાત. રાજ્યમાં લોકલ સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે દરરોજ નવા કેસની સંખ્યા 1200થી વધુ તેમજ મોતનો આંકડો 20ની આસપાસ થાય છે. ત્યારે છેલ્લા 3 દિવસમાં તો 1300થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,00,375ને પાર થયો છે. જ્યારે 81,180 દર્દી ડિસ્ચાર્જ તેમજ મૃત્યુઆંક 3064એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 25 લાખ 59 હજાર 916 ટેસ્ટ થઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 16131 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર અને 16042 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1325 કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 1126 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ 19 માર્ચના રોજ રાજકોટ અને સુરતમાં નોંધાયો હતો. ત્યારથી લઈ અત્યાર સુધીમાં એટલે કે 169 દિવસમાં કુલ કેસ 1 લાખ 375 થઈ ગયા છે.
કોરોનાના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી 31 મે સુધી 4 તબક્કામાં લોકડાઉન જાહેર કરાયું હતું. લોકડાઉનના આ 68 દિવસમાં 16,760 કેસ સામે આવ્યા હતા અને 1010 દર્દીના મૃત્યુ થયા હતા. આ સમયે લાગી રહ્યું હતું કે હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિને નિયંત્રિત કરી શકાશે અને લાંબો સમય સુધી આર્થિક પ્રવૃત્તિઓ રોકી ન શકાય એ માટે રાજ્યને ધીરે-ધીરે અનલોક કરવામાં આવ્યું હતું. પરંતુ 1 જૂનથી 31 જુલાઈ સુધીના અનલોક-2ના તબક્કામાં રાજ્યમાં કોરોના રોકેટગતિએ વધ્યો હતો. આ 61 દિવસમાં રાજ્યમાં 44,644 કેસ નોંધાયા તો 1403 દર્દીના મૃત્યુ થયા હતા. એટલે કે લોકડાઉનમાં રોજ 246 કેસ અને 15 મોત નોંધાતા હતા. અનલોકમાં દરરોજ સરેરાશ 731 કેસ અને 23 મોત નોંધાયા હતા. લોકડાઉનમાં નોંધાયેલા કેસની સરખામણીએ અનલોક 1-2માં અઢી ગણા કેસ વધુ નોંધાયા હતા.
25 માર્ચથી 31 મે સુધી રાજ્યમાં 16760 કેસ, 1010 મોત અને 9919 ડિસ્ચાર્જ થયા હતા. લોકડાઉન હોવા છતાં પણ રાજ્યમાં કેસ વધ્યા હતા અને કોરોનાથી થતા મોતનો આંકડો પણ વધારે હતો. લોકડાઉનના આ 68 દિવસમાં દરરોજ સરેરાશ 246 કેસ અને 15 મૃત્યુ નોંધાયા હતા. જ્યારે અનલોક-1 જૂન મહિનાના 30 દિવસમાં 15849 કેસ, 810 મોત અને 13751 ડિસ્ચાર્જ થયા હતા. અનલોક-1ના 30 દિવસમાં દરરોજ સરેરાશ 528 કેસ અને 27 મૃત્યુ નોંધાયા હતા. જુલાઈમાં અનલોક-2 અમલી બનાવાયું હતું. જુલાઈના 31 દિવસમાં રાજ્યમાં 28795 કેસ, 593 મોત અને 21237 ડિસ્ચાર્જ થયા હતા. અનલોક-2માં દરરોજ સરેરાશ 928 કેસ અને 19 મૃત્યુ થયા હતા. જ્યારે ઓગસ્ટમાં કુલ 34,997 કેસ નોંધાયા હતા અને 581 દર્દીના મોત થયા હતા. તેમજ 32,963 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 1128 કેસ અને 18 મોત થયા છે. જ્યારે 1063 દર્દી સાજા થયા છે. આમ જુલાઈ અને ઓગસ્ટમાં જ 63 હજાર 192 કેસ નોંધાયા છે. જે કુલ કેસના 63 ટકા છે.