સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત શહેરમાં 27 બેઠકો પર જીત મેળવી
અરવિદ કેજરીવાલ એક દિવસના સુરતના મહેમાન બન્યા હતા.
જંગી જનમેદની સાથે રોડ શો અને ત્યારબાદ જાહેરાસભા સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય
WatchGujarat સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં પ્રથમ વખત જ ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી ૨૭ જેટલી સીટો જીતી લાવી છે. અને એક વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જેને લઇ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ સુરતની જનતાનો આભાર માનવા આજે સુરત આવ્યા હતા. જ્યાં સાત કિલોમીટર થી પણ લાંબો રોડ શો યોજ્યો હતો બાદમાં સરથાણા તક્ષશિલા ખાતે સભા સંબોધી હતી.જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે
આમ આદમી પાર્ટી સુરત મનપાના ઇલેક્શન ને 27જીતી લાવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં એક જોશ અને ઉમંગ ઉમટયો છે. તે જોતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત આવ્યા હતા. સુરતમાં વહેલી સવારે 8:00 થી એરપોર્ટ ઉતર્યા હતા.ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે તેઓ રોકાયા હતા.અને જુદા જુદા આગેવાનો સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત બાદ જીતેલા 27 કોર્પોરેટરોને રાજનીતિની પાઠશાળા પણ શીખવી હતી. ત્યારબાદ સુરત વરાછા ખાતે સાત કિલોમીટર થી લાંબો ભવ્ય રોડ શો યોજ્યો હતો અને બાદમાં સરથાણા તક્ષશિલા અગ્નિ કાંડ બન્યો છે ત્યાં જાહેર સભા સંબોધી તેઓ દિલ્હી ખાતે જવા રવાના થયા હતા.
આપના જીતેલા 27 કોર્પોરેટરોને કેજરીવાલે શીખવી રાજનીતિની પાઠશાળા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા ત્યારે રોડ-શો અને જાહેર સભા થાય તે પહેલાં જીતીને આવેલા 27 ઉમેદવારોને રાજનીતિ ની પાઠશાળા શિખવાડવાનું નક્કી કર્યું હતું. જેને લઇ આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના નિવાસ્થાને જીતેલા ૨૭ જેટલા કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યા હતા. તમામને અરવિંદ કેજરીવાલે જાહેરમાં રાજનીતિના પાઠ શીખવ્યા હતા.કારણકે જીતીને આવનાર તમામ ઉમેદવારોને કોઈપણ પ્રકારનો રાજનીતિનો અનુભવ નથી.અને તેને જ લઈ હવે પછી વિરોધ પક્ષ તરીકે તેઓએ કઈ રીતે કામગીરી કરવાની છે તે અંગે માહિતી આપી હતી સાથે સાથે જીતીને આવ્યા છે એટલે અહમ્ અને અભિમાન ન આવી જવું જોઈએ એવું પણ જણાવ્યું હતું અને સામાન્ય લોકો ની તકલીફો દૂર થાય તેમ આમ નાગરિક બનીને જ કામગીરી કરવાની સુચના આપી હતી.
કેજરીવાલના રોડ શોમાં ઉમટી જનમેદની
આમ આદમી પાર્ટીની એક પ્રકારની આ જીત ને વધાવા અને લોકોનો આભાર માનવા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો વરાછાના જુદા જુદા વિસ્તારોમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.વરાછાના માનગઢ ચોક ખાતે જી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી.અને સરથાણા તક્ષશિલા આર્કેડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. માનગઢ ચોક ખાતે આવેલ સરદારજીની પ્રતિમાને કેજરીવાલે હારતોલા કરી રેલીનું પ્રસ્થાન કર્યું હતું.જે વરાછાના મીની બજાર, હીરાબાગ ,રચના સર્કલ, કારગીલચોક ,કિરણ ચોક, યોગીચોક ,કાપોદ્રા ,સીમાડાનાકા, થઈ સરથાણા ખાતે પહોંચી હતી. સાત કિલોમીટર થી લાંબા રોડ શોમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો જોડાયા હતા સાથે સાથે મોટી સંખ્યામાં ઠેરઠેર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અલબત્ત આ રોડ શોમાં આમ આદમી પાર્ટી સાથે હજારોની સંખ્યામાં સમર્થકોની જનમેદની ઉમટી પડી હતી. જ્યાં અરવિંદ કેજરીવાલે આ વિસ્તારના તમામ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. અને સામે તમામને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપ અને કોંગ્રેસના નેતા નાગરિકની સેવા કરવા ઇચ્છતા હોય તો આપમાં જોડાઈ જાઓ : કેજરીવાલ
આમ આદમી પાર્ટીનો રોડ શો સરથાણા ના તક્ષશિલા આર્કેડ ખાતે પૂર્ણ થયો હતો.ત્યારબાદ અરવિંદ કેજરીવાલે ભવ્ય જાહેર સભા યોજાઇ હતી.જેમાં અરવિંદ કેજરીવાલે અનેક મુદ્દાઓ પર લોકોને અવગત કર્યા હતા.જ્યાં અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાં અમે દસ લાખ લોકોને રોજગારી આપી છે. અને શિક્ષણ સારું આપ્યું છે તેની સામે 25 વર્ષથી શાસન કરતી સરકાર એ અત્યાર સુધી કેટલા લોકોને રોજગારી આપી શક્યું છે ? ૨૫ વર્ષમાં દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં છે .25 વર્ષના શાસન પછી પણ કેમ આવું ? સાથે સરકાર પર નિશાન તાકતા જણાવ્યું હતું કે જે કામ આ સરકાર ૨૫ વર્ષમાં નથી કરી શક્યા તે અમે પાંચ વર્ષમાં દિલ્હીમાં કરી બતાવ્યું છે.પાંચ વર્ષમાં દિલ્હીમાં દરેકને 24 કલાક મફત વીજળી અપાવી છે અને આ દુનિયા નો આઠમો ચમત્કાર બન્યો છે.આ સાથે કોંગ્રેસ અને ભાજપ બંનેને નિશાન તાકીને અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કોંગ્રેસ તો હવે સુરતમાં રહ્યા જ નથી અને જો તેમણે કામ કરવું હોય ,લોકોની સેવા કરવી હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ અને ભાજપ પર નિશાન તાકતાં કહ્યું ભાજપમાં રહી જે નેતા જે કાર્યકર લોકોની સેવા કરી ન શકતા હોય તેવા પણ આમ આદમી પાર્ટીમાં આવી જોડાઈ જાવ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરત શહેરમાં 27 બેઠકો પર જીત મેળવી
અરવિદ કેજરીવાલ એક દિવસના સુરતના મહેમાન બન્યા હતા.
જંગી જનમેદની સાથે રોડ શો અને ત્યારબાદ જાહેરાસભા સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય
WatchGujarat સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં પ્રથમ વખત જ ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી ૨૭ જેટલી સીટો જીતી લાવી છે. અને એક વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જેને લઇ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ સુરતની જનતાનો આભાર માનવા આજે સુરત આવ્યા હતા. જ્યાં સાત કિલોમીટર થી પણ લાંબો રોડ શો યોજ્યો હતો બાદમાં સરથાણા તક્ષશિલા ખાતે સભા સંબોધી હતી.જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે
આમ આદમી પાર્ટી સુરત મનપાના ઇલેક્શન ને 27જીતી લાવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં એક જોશ અને ઉમંગ ઉમટયો છે. તે જોતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત આવ્યા હતા. સુરતમાં વહેલી સવારે 8:00 થી એરપોર્ટ ઉતર્યા હતા.ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે તેઓ રોકાયા હતા.અને જુદા જુદા આગેવાનો સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત બાદ જીતેલા 27 કોર્પોરેટરોને રાજનીતિની પાઠશાળા પણ શીખવી હતી. ત્યારબાદ સુરત વરાછા ખાતે સાત કિલોમીટર થી લાંબો ભવ્ય રોડ શો યોજ્યો હતો અને બાદમાં સરથાણા તક્ષશિલા અગ્નિ કાંડ બન્યો છે ત્યાં જાહેર સભા સંબોધી તેઓ દિલ્હી ખાતે જવા રવાના થયા હતા.
આપના જીતેલા 27 કોર્પોરેટરોને કેજરીવાલે શીખવી રાજનીતિની પાઠશાળા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા ત્યારે રોડ-શો અને જાહેર સભા થાય તે પહેલાં જીતીને આવેલા 27 ઉમેદવારોને રાજનીતિ ની પાઠશાળા શિખવાડવાનું નક્કી કર્યું હતું. જેને લઇ આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના નિવાસ્થાને જીતેલા ૨૭ જેટલા કોર્પોરેટરોને બોલાવવામાં આવ્યા હતા. તમામને અરવિંદ કેજરીવાલે જાહેરમાં રાજનીતિના પાઠ શીખવ્યા હતા.કારણકે જીતીને આવનાર તમામ ઉમેદવારોને કોઈપણ પ્રકારનો રાજનીતિનો અનુભવ નથી.અને તેને જ લઈ હવે પછી વિરોધ પક્ષ તરીકે તેઓએ કઈ રીતે કામગીરી કરવાની છે તે અંગે માહિતી આપી હતી સાથે સાથે જીતીને આવ્યા છે એટલે અહમ્ અને અભિમાન ન આવી જવું જોઈએ એવું પણ જણાવ્યું હતું અને સામાન્ય લોકો ની તકલીફો દૂર થાય તેમ આમ નાગરિક બનીને જ કામગીરી કરવાની સુચના આપી હતી.
કેજરીવાલના રોડ શોમાં ઉમટી જનમેદની
આમ આદમી પાર્ટીની એક પ્રકારની આ જીત ને વધાવા અને લોકોનો આભાર માનવા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો વરાછાના જુદા જુદા વિસ્તારોમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.વરાછાના માનગઢ ચોક ખાતે જી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી.અને સરથાણા તક્ષશિલા આર્કેડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. માનગઢ ચોક ખાતે આવેલ સરદારજીની પ્રતિમાને કેજરીવાલે હારતોલા કરી રેલીનું પ્રસ્થાન કર્યું હતું.જે વરાછાના મીની બજાર, હીરાબાગ ,રચના સર્કલ, કારગીલચોક ,કિરણ ચોક, યોગીચોક ,કાપોદ્રા ,સીમાડાનાકા, થઈ સરથાણા ખાતે પહોંચી હતી. સાત કિલોમીટર થી લાંબા રોડ શોમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો જોડાયા હતા સાથે સાથે મોટી સંખ્યામાં ઠેરઠેર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અલબત્ત આ રોડ શોમાં આમ આદમી પાર્ટી સાથે હજારોની સંખ્યામાં સમર્થકોની જનમેદની ઉમટી પડી હતી. જ્યાં અરવિંદ કેજરીવાલે આ વિસ્તારના તમામ લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. અને સામે તમામને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપ અને કોંગ્રેસના નેતા નાગરિકની સેવા કરવા ઇચ્છતા હોય તો આપમાં જોડાઈ જાઓ : કેજરીવાલ
આમ આદમી પાર્ટીનો રોડ શો સરથાણા ના તક્ષશિલા આર્કેડ ખાતે પૂર્ણ થયો હતો.ત્યારબાદ અરવિંદ કેજરીવાલે ભવ્ય જાહેર સભા યોજાઇ હતી.જેમાં અરવિંદ કેજરીવાલે અનેક મુદ્દાઓ પર લોકોને અવગત કર્યા હતા.જ્યાં અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાં અમે દસ લાખ લોકોને રોજગારી આપી છે. અને શિક્ષણ સારું આપ્યું છે તેની સામે 25 વર્ષથી શાસન કરતી સરકાર એ અત્યાર સુધી કેટલા લોકોને રોજગારી આપી શક્યું છે ? ૨૫ વર્ષમાં દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં છે .25 વર્ષના શાસન પછી પણ કેમ આવું ? સાથે સરકાર પર નિશાન તાકતા જણાવ્યું હતું કે જે કામ આ સરકાર ૨૫ વર્ષમાં નથી કરી શક્યા તે અમે પાંચ વર્ષમાં દિલ્હીમાં કરી બતાવ્યું છે.પાંચ વર્ષમાં દિલ્હીમાં દરેકને 24 કલાક મફત વીજળી અપાવી છે અને આ દુનિયા નો આઠમો ચમત્કાર બન્યો છે.આ સાથે કોંગ્રેસ અને ભાજપ બંનેને નિશાન તાકીને અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કોંગ્રેસ તો હવે સુરતમાં રહ્યા જ નથી અને જો તેમણે કામ કરવું હોય ,લોકોની સેવા કરવી હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ અને ભાજપ પર નિશાન તાકતાં કહ્યું ભાજપમાં રહી જે નેતા જે કાર્યકર લોકોની સેવા કરી ન શકતા હોય તેવા પણ આમ આદમી પાર્ટીમાં આવી જોડાઈ જાવ.