જૂની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો પણ વોર્ક ઓર્ડર ન મળતા કામગીરી ખોરંભે ચઢી
પ્રતિ શ્વાન દીઠ રૂ. 1450નો ખર્ચ અંદાજે 5 હજાર શ્વાનને રસીકરણ અને ખસિકરણ કરવાની કામગીરીને મંજૂરી
WatchGujarat. સુરતમાં કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી રખડતા શ્વાનની રસીકરણ અને ખસિકરણની કામગીરી બંધ છે. જૂનો કોન્ટ્રાકટ બંધ થવાના કારણે આ કામગીરી થઈ શકી ન હોવાથી, પરિણામ એ આવ્યું કે શહેરમાં શ્વાન કરડવાના અને શ્વાનના ત્રાસની અસંખ્ય ફરિયાદો ઉઠવા લાગી છે. જૂની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અને પ્રતિ શ્વાન દીઠ 1450 રૂપિયાનો ખર્ચ કરીને અંદાજે 5 હજાર શ્વાનોને રસીકરણ અને ખસિકરણ કરવાની કામગીરી મંજુર કરવામાં આવી છે. પરંતુ હજી સુધી આ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. અને શ્વાનના ત્રાસની ફરિયાદ જ્યારે આવે છે ત્યારે અધિકારીઓ ઉડાઉ જવાબ આપે છે.
સુરત શહેરમાં શ્વાનોની સંખ્યા અંદાજીત 2 લાખ પર પહોંચી ગઈ છે. અને હવે તો નવા વિસ્તારો સમાવિષ્ટ થતા આ આંકડો હજી વધી શકે તેમ છે. અન્ય એક ચોંકાવનારો આંકડો તો એ પણ છે કે છેલ્લા સાત મહિનામાં શ્વાન કરડવાના સત્તાવાર આંકડા 11 હજારને પાર કરી ગયો છે.
આંકડા પર નજર કરીએ તો
જાન્યુઆરી---2228
ફેબ્રુઆરી--1874
માર્ચ--1896
એપ્રિલ--1091
મેં--1178
જૂન--1399
જુલાઈ--1379
આમ, કુલ 11045 જેટલા કેસ આ સાત મહિનામાં શ્વાન કરડવાના સામે આવી ચુક્યા છે. એક દિવસના ગણવા જઈએ તો સરેરાશ 45 થી 50 વ્યક્તિઓને શ્વાન કરડી રહ્યા છે. અને એક કલાકમાં સરેરાશ એક થી બે વ્યક્તિ શ્વાન કરડવાનો શિકાર બની રહ્યો છે.
હૈદરાબાદની એજન્સી વેટ સોસાયટી ફોર એનિમલ્સ વેલફેર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટને 1450 પ્રતિ શ્વાન પેટે શ્વાનના રસીકરણ અને ખસિકરણની કામગીરી સોંપવામાં આવી છે. પણ હજી કામ શરૂ થઈ શક્યું નથી. તાજેતરમાં જ લીંબાયત વિસ્તારમાં 2 દિવસમાં સાત વ્યક્તિઓને શ્વાન કરડવાના બનાવ બન્યા છે. ત્યારે હાલ શહેર શ્વાનોના હવાલે છે એવું કહીએ તો પણ ખોટું નથી. જોવાનું એ રહે છે કે કોર્પોરેશન તંત્ર લોકોને આ ત્રાસમાંથી છુટકારો ક્યારે અપાવે છે.
- જૂની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો પણ વોર્ક ઓર્ડર ન મળતા કામગીરી ખોરંભે ચઢી
- પ્રતિ શ્વાન દીઠ રૂ. 1450નો ખર્ચ અંદાજે 5 હજાર શ્વાનને રસીકરણ અને ખસિકરણ કરવાની કામગીરીને મંજૂરી
WatchGujarat. સુરતમાં કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી રખડતા શ્વાનની રસીકરણ અને ખસિકરણની કામગીરી બંધ છે. જૂનો કોન્ટ્રાકટ બંધ થવાના કારણે આ કામગીરી થઈ શકી ન હોવાથી, પરિણામ એ આવ્યું કે શહેરમાં શ્વાન કરડવાના અને શ્વાનના ત્રાસની અસંખ્ય ફરિયાદો ઉઠવા લાગી છે. જૂની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અને પ્રતિ શ્વાન દીઠ 1450 રૂપિયાનો ખર્ચ કરીને અંદાજે 5 હજાર શ્વાનોને રસીકરણ અને ખસિકરણ કરવાની કામગીરી મંજુર કરવામાં આવી છે. પરંતુ હજી સુધી આ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. અને શ્વાનના ત્રાસની ફરિયાદ જ્યારે આવે છે ત્યારે અધિકારીઓ ઉડાઉ જવાબ આપે છે.
સુરત શહેરમાં શ્વાનોની સંખ્યા અંદાજીત 2 લાખ પર પહોંચી ગઈ છે. અને હવે તો નવા વિસ્તારો સમાવિષ્ટ થતા આ આંકડો હજી વધી શકે તેમ છે. અન્ય એક ચોંકાવનારો આંકડો તો એ પણ છે કે છેલ્લા સાત મહિનામાં શ્વાન કરડવાના સત્તાવાર આંકડા 11 હજારને પાર કરી ગયો છે.
આંકડા પર નજર કરીએ તો
જાન્યુઆરી---2228
ફેબ્રુઆરી--1874
માર્ચ--1896
એપ્રિલ--1091
મેં--1178
જૂન--1399
જુલાઈ--1379
આમ, કુલ 11045 જેટલા કેસ આ સાત મહિનામાં શ્વાન કરડવાના સામે આવી ચુક્યા છે. એક દિવસના ગણવા જઈએ તો સરેરાશ 45 થી 50 વ્યક્તિઓને શ્વાન કરડી રહ્યા છે. અને એક કલાકમાં સરેરાશ એક થી બે વ્યક્તિ શ્વાન કરડવાનો શિકાર બની રહ્યો છે.
હૈદરાબાદની એજન્સી વેટ સોસાયટી ફોર એનિમલ્સ વેલફેર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટને 1450 પ્રતિ શ્વાન પેટે શ્વાનના રસીકરણ અને ખસિકરણની કામગીરી સોંપવામાં આવી છે. પણ હજી કામ શરૂ થઈ શક્યું નથી. તાજેતરમાં જ લીંબાયત વિસ્તારમાં 2 દિવસમાં સાત વ્યક્તિઓને શ્વાન કરડવાના બનાવ બન્યા છે. ત્યારે હાલ શહેર શ્વાનોના હવાલે છે એવું કહીએ તો પણ ખોટું નથી. જોવાનું એ રહે છે કે કોર્પોરેશન તંત્ર લોકોને આ ત્રાસમાંથી છુટકારો ક્યારે અપાવે છે.