સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા યુવકની હત્યા કરાઇ હતી.
ગુનાહિત ભૂતકાળ ધરવતા રાજુ બિહારીએ શંકા રાખી યુવકની હત્યા કરી હતી.
સંબંધી શીવમની હત્યા કર્યા બાદ તેની લાશને દિવાલમાં ચણી દીધી
ઘટનાના પાંચ વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલ્યો
પોલીસે યુવકના હાડપીંજરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયું
મેજીસ્ટ્રેટ અને એફ.એસ.એલની હાજરી પોલીસે કામગીરી હાથ ધરી હતી
સુરત. વર્ષ-2015માં બોલીવુડની એક ફિલ્મ DRISHYAM રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગન દ્વારા આઇ.પી.એસ ઓફીસરના પુત્રની હત્યા કરી તેની લાશને પોલીસ સ્ટેશનની અંદર જ દાટી દેવામાં આવી હોવાનુ દર્શાવવામાં આવ્યું હતુ. ફિલ્મમાં પોલીસની લાંબી તપાસ બાદ પણ યુવકની લાશનો કોઇ પત્તો ન મળતા આખરે કેસની ફાઇલ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ દ્રશ્યમ ફિલ્મ જેવો પ્લોટ ઘડાયો હતો. જેમાં માથાભારે બુટલેગર રાજુ બિહારીએ શિવમ ઉર્ફે કિશન નામના યુવકની હત્યા કરી તેની લાશને ઘરમાં જ ચણી કાઢી હતી. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે મૃત્કયુવકના હાડપીંજરને શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટી વિભાગ-3માં વર્ષ 2015માં ખુની ખેલ ખેલાયો હતો. જેમાં માથાભારે બુટલેગર રાજુ બિહારીએ શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી હતી. શિવમની હત્યા કર્યા બાદ રાજુએ તેની લાશને સગેવગે કરવા માટે દ્રશ્યમ ફિલ્મ જેવો પ્લોટ તૈયાર કર્યો હતો.
રાજુ બિહારીને શંકા હતી કે, તેના દારૂના અડ્ડા પર વારંવાર પોલીસની રેઇડ પડી છે. જેની પાછળનુ મુળ કારણ શિવમ ઉર્ફે કિશન છે. જેથી રાજુએ તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશને પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસા. વિભાગ-3માં બંધાઇ રહેલા મકાનમાં શિવમની લાશને દાટી સગેવગે કરવાની તૈયારી કરવામાં આવી હતી. જેમાં રાજુ બિહારીએ ઘરના દાદર નિચેની ભાગમાં શિવમની લાશને દાટી દઇ ઉપર ચણતર કરી નાખ્યું હતુ.
આ ઘટના બાદ શિવમના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જેમાં શિવમના ગુમ થયાની ફરીયાદ પણ પરિવાર દ્વારા પોલીસને કરવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. દરમિયાન પ્રોહિબીશનના એક ગુનામાં રાજુ બિહારી સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. અને થોડા સમય બાદ તે બહાર પણ આવી ગયો હોવાનુ જાણવી મળી રહ્યું છે.
દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી લાશને રાજુ બિહારીએ ઘરમાં દાટી દીધી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને રાજુની પુછપરછ કરતા તેણે શિવમની હત્યા કરી લાશને દાટી દઇ ચણતર કરી દીધી હોવાની કબુલાત કરી હતી. જેથી ગુરૂવારે સવારે પોલીસે સ્થળ પર પહોંચી શિવમ ઉર્ફે કિશાનના હાડપીંજરને બહાર કાઢી વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યુ હતું.
સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા યુવકની હત્યા કરાઇ હતી.
ગુનાહિત ભૂતકાળ ધરવતા રાજુ બિહારીએ શંકા રાખી યુવકની હત્યા કરી હતી.
સંબંધી શીવમની હત્યા કર્યા બાદ તેની લાશને દિવાલમાં ચણી દીધી
ઘટનાના પાંચ વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલ્યો
પોલીસે યુવકના હાડપીંજરને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયું
મેજીસ્ટ્રેટ અને એફ.એસ.એલની હાજરી પોલીસે કામગીરી હાથ ધરી હતી
સુરત. વર્ષ-2015માં બોલીવુડની એક ફિલ્મ DRISHYAM રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગન દ્વારા આઇ.પી.એસ ઓફીસરના પુત્રની હત્યા કરી તેની લાશને પોલીસ સ્ટેશનની અંદર જ દાટી દેવામાં આવી હોવાનુ દર્શાવવામાં આવ્યું હતુ. ફિલ્મમાં પોલીસની લાંબી તપાસ બાદ પણ યુવકની લાશનો કોઇ પત્તો ન મળતા આખરે કેસની ફાઇલ બંધ કરી દેવામાં આવે છે. પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ દ્રશ્યમ ફિલ્મ જેવો પ્લોટ ઘડાયો હતો. જેમાં માથાભારે બુટલેગર રાજુ બિહારીએ શિવમ ઉર્ફે કિશન નામના યુવકની હત્યા કરી તેની લાશને ઘરમાં જ ચણી કાઢી હતી. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે મૃત્કયુવકના હાડપીંજરને શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટી વિભાગ-3માં વર્ષ 2015માં ખુની ખેલ ખેલાયો હતો. જેમાં માથાભારે બુટલેગર રાજુ બિહારીએ શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી હતી. શિવમની હત્યા કર્યા બાદ રાજુએ તેની લાશને સગેવગે કરવા માટે દ્રશ્યમ ફિલ્મ જેવો પ્લોટ તૈયાર કર્યો હતો.
રાજુ બિહારીને શંકા હતી કે, તેના દારૂના અડ્ડા પર વારંવાર પોલીસની રેઇડ પડી છે. જેની પાછળનુ મુળ કારણ શિવમ ઉર્ફે કિશન છે. જેથી રાજુએ તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશને પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસા. વિભાગ-3માં બંધાઇ રહેલા મકાનમાં શિવમની લાશને દાટી સગેવગે કરવાની તૈયારી કરવામાં આવી હતી. જેમાં રાજુ બિહારીએ ઘરના દાદર નિચેની ભાગમાં શિવમની લાશને દાટી દઇ ઉપર ચણતર કરી નાખ્યું હતુ.
આ ઘટના બાદ શિવમના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જેમાં શિવમના ગુમ થયાની ફરીયાદ પણ પરિવાર દ્વારા પોલીસને કરવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. દરમિયાન પ્રોહિબીશનના એક ગુનામાં રાજુ બિહારી સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. અને થોડા સમય બાદ તે બહાર પણ આવી ગયો હોવાનુ જાણવી મળી રહ્યું છે.
દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી લાશને રાજુ બિહારીએ ઘરમાં દાટી દીધી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને રાજુની પુછપરછ કરતા તેણે શિવમની હત્યા કરી લાશને દાટી દઇ ચણતર કરી દીધી હોવાની કબુલાત કરી હતી. જેથી ગુરૂવારે સવારે પોલીસે સ્થળ પર પહોંચી શિવમ ઉર્ફે કિશાનના હાડપીંજરને બહાર કાઢી વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યુ હતું.