ત્રણ દિવસ પહેલા ઉમરા પોલીસ સ્ટેશન ખાતે PVS શર્મા સામે ગુનો નોંધાયો હતો.
પોલીસ ફરીયાદ નોંધાતા PVS શર્મા ભૂર્ગભમાં ઉતરી ગયા હતા.
નવસારીના ફાર્મ હાઉસમાં શર્માએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
હોસ્પિટલમાં દાખલ કરાતા સી.આર પાટીલ સુરત ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તથા કોંગ્રેસના નેતાઓ પણ PVS શર્માને જોવા માટે રાત્રે હોસ્પિટલ દોડી આવ્યા હતા.
સુરત . શહેરના કલામંદિર જ્વેલર્સ અને ઇન્કમટેક્સ વિભાગના ટોક ઓફ ધ ટાઉન બનેલા કેસમાં ભાજપના નેતા અને પૂર્વ ઇન્કમટેક્ષ અધિકારી PVS શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
નોટ બંધી વખતે સુરતના કલામંદિર જ્વેલર્સ કરોડો રૂપિયાનો ગોટાળો કર્યા હોવાની ટ્વીટ કરી PVS શર્માએ ઇન્કમટેક્સના અધિકારીઓ ઉપર પણ આ મામલામાં સંડોવણી હોવાની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપતા ચકચાર મચી ગયો હતો. શર્માના ટ્વીટ પછી ઇન્કમટેક્સ વિભાગે PVS શર્માના ઘરે દરોડા પાડી ત્રણ દિવસ સુધી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને શર્માના ઘરેથી કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા હતા. જે તપાસના કામે ઇન્કમટેક્સ અધિકારીઓએ કબજે લીધા હતા. તેની સાથે જ અમુક દસ્તાવેજોમાં ઇન્કમ ટેક્સ વિભાગને શંકા જતા અધિકારીઓ દ્વારા PVS શર્મા સામે ત્રણ દિવસ પહેલા ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધવાની જાન થતા જ PVS શર્મા ત્રણ દિવસથી ફરાર થઈ ગયા હતા. ગઈકાલે રાત્રે PVS શર્માએ નવસારીના એક હાઉસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઇવરની નજર જતા PVS શર્મા ને બચાવી લીધા હતા. શર્માની તબિયત વધારે ખરાબ દેખાતા ડ્રાઇવર તેમને નવસારીથી સુરત મહાવીર હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં તેમણે ICUમાં દાખલ કરી સારવાર હાથ ધરવામાં આવી હતી.
PVS શર્માએ કયા કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા છે, તે બાબતે હજી કોઇ ચોક્કસ વિગતો જાણવા મળી નથી. ઘટનાની જાણ થતા જ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સુરત ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તથા કોંગ્રેસના નેતાઓ પણ PVS શર્માને જોવા માટે રાત્રે હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. પણ PVS શર્મા હાલ ICU માં હોવાના કારણે પોલીસ હજી નિવેદન લઇ નથી શકી જેથી આત્મહત્યા કરવા પાછળનું કારણ ખબર નથી પડી..
- ત્રણ દિવસ પહેલા ઉમરા પોલીસ સ્ટેશન ખાતે PVS શર્મા સામે ગુનો નોંધાયો હતો.
- પોલીસ ફરીયાદ નોંધાતા PVS શર્મા ભૂર્ગભમાં ઉતરી ગયા હતા.
- નવસારીના ફાર્મ હાઉસમાં શર્માએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
- હોસ્પિટલમાં દાખલ કરાતા સી.આર પાટીલ સુરત ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તથા કોંગ્રેસના નેતાઓ પણ PVS શર્માને જોવા માટે રાત્રે હોસ્પિટલ દોડી આવ્યા હતા.
સુરત . શહેરના કલામંદિર જ્વેલર્સ અને ઇન્કમટેક્સ વિભાગના ટોક ઓફ ધ ટાઉન બનેલા કેસમાં ભાજપના નેતા અને પૂર્વ ઇન્કમટેક્ષ અધિકારી PVS શર્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
નોટ બંધી વખતે સુરતના કલામંદિર જ્વેલર્સ કરોડો રૂપિયાનો ગોટાળો કર્યા હોવાની ટ્વીટ કરી PVS શર્માએ ઇન્કમટેક્સના અધિકારીઓ ઉપર પણ આ મામલામાં સંડોવણી હોવાની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપતા ચકચાર મચી ગયો હતો. શર્માના ટ્વીટ પછી ઇન્કમટેક્સ વિભાગે PVS શર્માના ઘરે દરોડા પાડી ત્રણ દિવસ સુધી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને શર્માના ઘરેથી કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા હતા. જે તપાસના કામે ઇન્કમટેક્સ અધિકારીઓએ કબજે લીધા હતા. તેની સાથે જ અમુક દસ્તાવેજોમાં ઇન્કમ ટેક્સ વિભાગને શંકા જતા અધિકારીઓ દ્વારા PVS શર્મા સામે ત્રણ દિવસ પહેલા ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધવાની જાન થતા જ PVS શર્મા ત્રણ દિવસથી ફરાર થઈ ગયા હતા. ગઈકાલે રાત્રે PVS શર્માએ નવસારીના એક હાઉસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઇવરની નજર જતા PVS શર્મા ને બચાવી લીધા હતા. શર્માની તબિયત વધારે ખરાબ દેખાતા ડ્રાઇવર તેમને નવસારીથી સુરત મહાવીર હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં તેમણે ICUમાં દાખલ કરી સારવાર હાથ ધરવામાં આવી હતી.
PVS શર્માએ કયા કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા છે, તે બાબતે હજી કોઇ ચોક્કસ વિગતો જાણવા મળી નથી. ઘટનાની જાણ થતા જ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ સુરત ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા તથા કોંગ્રેસના નેતાઓ પણ PVS શર્માને જોવા માટે રાત્રે હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. પણ PVS શર્મા હાલ ICU માં હોવાના કારણે પોલીસ હજી નિવેદન લઇ નથી શકી જેથી આત્મહત્યા કરવા પાછળનું કારણ ખબર નથી પડી..