કાર લે વેચનો ધંધો કરતા વેપારીએ નવનિર્મિત બિલ્ડીંગના 11માં માળેથી મોત ઝંપલાવી આપઘાત કર્યો
ગત મોડી રાત્રે પત્ની સાંજે તકરાર થયા બાદ ઘરમાંથી નિકળી ગયો હતો વેપારીઓ
પરિવારે સતત ફોન કર્યા પણ પારસે ફોન ન ઉપાડ્યો, કર્ફ્યુમાં મિત્રો શોધવા નિકળ્યા તો તેનો મૃતદેહ મળ્યો
લોકડાઉન બાદ ધંધામાં મંદી આવતા વેપારી સતત માનસિક તણાવમાં આવી પત્ની ઉપર પણ શંકા કરવા લાગ્યો હતો.
WatchGujarat કોરોના કાળ અને તેમાં પણ લોકડાઉન થતાં અનેક નાના-મોટી વેપારીઓના ધંધા ઉપર તેની સિધી અસર પડી હતી. આથી કેટલાક બેરોજગાર થયા અને કેટલાકના ધંધા ઠપ થઇ જતા મોતને વ્હાલુ કરવાનો વાર આવ્યો હતો. તેવું જ કંઇ સુરતના 33 વર્ષીય યુવાન વેપારી સાથે બનતા તેણે ગત મોડી રાત્રે નવનિર્મિત ઇમારતના 11માં માળેથી ઝંપલાવી જીવનનો અંત લાવી દીધો હતો.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસીડન્સીમાં રહેતો 33 વર્ષીય પારસ શ્યામ ખન્નાના કાર લે વેચનો ધંધો કરતો હતો. થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. જેથી પારસ તેની પત્ની અને માતા સાથે રહેતો હતો. દરમિયાન કોરોના કાળમાં લોકડાઉન થતા પારસના ધંધામાં મંદી આવી હતી. જેથી તે સતત માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો. તેવામાં ગત રોજ પારસ અને તેની પત્ની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થતાં તે ઘરમાંથી બહાર નિકળી ગયો હતો.
ઘરમાંથી નિકળતા જ પારસે જીવનનો અંત લાવી દેવાનુ નક્કી કરી લીધુ હોય એમ તેણે પોતાની જ તસ્વીર ઉપર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખી સોશિયલ મીડિયા ગૃપમાં શેર કરી હતી. બાદમાં આરટીઓ સામે આવેલા નવનિર્મિત કોમ્પલેક્ષમાં 11માં માળે પહોંચી મોતની છલાંગ લગાવતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવની જાણ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, પારસે આપઘાત કરતા પહેલા જ સોશિયલ મીડિયા ગૃપમાં પોતાની તસ્વીર ઉપર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખી શેર કરી હતી.
More #Young Businessman #Suicide #Surat News
કાર લે વેચનો ધંધો કરતા વેપારીએ નવનિર્મિત બિલ્ડીંગના 11માં માળેથી મોત ઝંપલાવી આપઘાત કર્યો
ગત મોડી રાત્રે પત્ની સાંજે તકરાર થયા બાદ ઘરમાંથી નિકળી ગયો હતો વેપારીઓ
પરિવારે સતત ફોન કર્યા પણ પારસે ફોન ન ઉપાડ્યો, કર્ફ્યુમાં મિત્રો શોધવા નિકળ્યા તો તેનો મૃતદેહ મળ્યો
લોકડાઉન બાદ ધંધામાં મંદી આવતા વેપારી સતત માનસિક તણાવમાં આવી પત્ની ઉપર પણ શંકા કરવા લાગ્યો હતો.
WatchGujarat કોરોના કાળ અને તેમાં પણ લોકડાઉન થતાં અનેક નાના-મોટી વેપારીઓના ધંધા ઉપર તેની સિધી અસર પડી હતી. આથી કેટલાક બેરોજગાર થયા અને કેટલાકના ધંધા ઠપ થઇ જતા મોતને વ્હાલુ કરવાનો વાર આવ્યો હતો. તેવું જ કંઇ સુરતના 33 વર્ષીય યુવાન વેપારી સાથે બનતા તેણે ગત મોડી રાત્રે નવનિર્મિત ઇમારતના 11માં માળેથી ઝંપલાવી જીવનનો અંત લાવી દીધો હતો.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસીડન્સીમાં રહેતો 33 વર્ષીય પારસ શ્યામ ખન્નાના કાર લે વેચનો ધંધો કરતો હતો. થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા. જેથી પારસ તેની પત્ની અને માતા સાથે રહેતો હતો. દરમિયાન કોરોના કાળમાં લોકડાઉન થતા પારસના ધંધામાં મંદી આવી હતી. જેથી તે સતત માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો. તેવામાં ગત રોજ પારસ અને તેની પત્ની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થતાં તે ઘરમાંથી બહાર નિકળી ગયો હતો.
ઘરમાંથી નિકળતા જ પારસે જીવનનો અંત લાવી દેવાનુ નક્કી કરી લીધુ હોય એમ તેણે પોતાની જ તસ્વીર ઉપર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખી સોશિયલ મીડિયા ગૃપમાં શેર કરી હતી. બાદમાં આરટીઓ સામે આવેલા નવનિર્મિત કોમ્પલેક્ષમાં 11માં માળે પહોંચી મોતની છલાંગ લગાવતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બનાવની જાણ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે, પારસે આપઘાત કરતા પહેલા જ સોશિયલ મીડિયા ગૃપમાં પોતાની તસ્વીર ઉપર ઓમ શાંતિ અને રેસ્ટ ઇન પીસ લખી શેર કરી હતી.