આઇ.એમ.એની કલેકટરને રજૂઆત ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં નહીં મળે તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર બંધ કરવાની નોબત પડશે
સુરત શહેરમાં 220 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર, જેની સામે 160થી 180 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે.
ઓક્સિજનની અછત ઉભી થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ જોખમમાં મુકાઇ શકે છે.
શહેરની ખાનગી હોસ્પિટલમાં 4000 ઉપરાંત દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.
ખાનગી હોસ્પિટલમાં 6થી 8 કલાક ચાલે તેટલુ જ ઓક્જિસન છે -IMA
WatchGujarat. સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો બીજી તરફ સુરતમાં હવે ઓક્સીજનની અછત હોવાનું બહાર આવ્યું છે. સુરતમાં ઓક્સીજનની અછત સર્જાતા ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે જો ઓક્સીજનની તાત્કાલીક વ્યવસ્થા નહિ કરવામાં આવે તો 12 કલાક પછી ખાનગી હોસ્પિટલો બંધ કરવાનો વારો આવશે અને હોસ્પિલમાં દાખલ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં પડશે, તેમજ દર્દીઓના જાનને જોખમ ઉભું થઇ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.
સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ સુરત શહેરમાં રેકોર્ડ બ્રેક કેસો પણ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની સ્થિતિ પણ વણસી શકે છે. સુરતમાં ઓક્સીજનની અછત સર્જાઈ રહી છે. જેને લઈને ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રીને રજુઆત કરી છે. અને વહેલી તકે ઓક્સીજનનો જથ્થો પૂરો પાડવા માંગ કરવામાં આવી છે.
આઈએમએ કોરોના એક્શન કમિટી ચેરમન ડો.નિર્મલ ચોરારિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા 16 કલાકથી ઓક્સીજનની ખુબ ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. પ્રાઇવેટ હોસ્પીટલમાં લગભગ 4 હજારથી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અને અમે જે સર્વે કર્યો છે તેમાં પ્રાઈવેટ હોસ્પિટલ પાસે 6 થી 8 કલાક ચાલે એટલું જ ઓક્સીજન છે. અને જો આ સમય દરમ્યાનમાં પૂરતા ઓક્સીજનની વ્યવસ્થા કરવામાં નહી આવશે તો ઘણા દર્દીઓના જીવને જોખમ ઉભું થશે. અને દર્દીઓના પરિવારજનોને પણ તકલીફ થશે અને કદાચ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પણ વણસી શકે છે. જે બાબતે કલેકટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. અને એમને રજુઆત કરી છે કે વહેલી તકે ઓક્સીજન પહોચાડો અને સુરત શહેરને બચાવો જેથી દર્દીઓની વહેલી તકે ઝડપથી સારવાર થઇ શકે. ઓક્સિજનની અછતના કારણે પ્રાઇવેટ દાખલ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની નોબત આવી પડે છે. આગામી 12 કલાક સુધી ઓક્જિસનનો પુરતો જથ્થો પુરો પાડવામાં નહીં આવે તો ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ જોખમમાં મુકાઇ શકે છે.
સુરતમાં 220 મેટ્રિક ટનની જરૂર છે. તેની સામે 160 થી 180 મેટ્રિક ટન ઓક્સીજન મળે છે.
આઈએમએ કોરોના એક્શન કમિટી ચેરમન ડો.નિર્મલ ચોરારિયાએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં 220 મેટ્રિક ટનની જરૂર છે. તેની સામે 160 થી 180 મેટ્રિક ટન ઓક્સીજન મળે છે. હાલમાં 40 થી 50 મેટ્રિક ટનની ઘટ છે. એટલે કેટલા દર્દીઓ પર તેની અસર આવશે તે કહેવું મુશ્કેલ છે. અને પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. કેટલીક હોસ્પિટલોએ તો નવા દર્દીઓને એડમિટ કરવાનું પણ બંધ કરી દીધું છે.
આઇ.એમ.એની કલેકટરને રજૂઆત ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં નહીં મળે તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર બંધ કરવાની નોબત પડશે
સુરત શહેરમાં 220 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર, જેની સામે 160થી 180 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે.
ઓક્સિજનની અછત ઉભી થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ જોખમમાં મુકાઇ શકે છે.
શહેરની ખાનગી હોસ્પિટલમાં 4000 ઉપરાંત દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.
ખાનગી હોસ્પિટલમાં 6થી 8 કલાક ચાલે તેટલુ જ ઓક્જિસન છે -IMA
WatchGujarat. સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. તો બીજી તરફ સુરતમાં હવે ઓક્સીજનની અછત હોવાનું બહાર આવ્યું છે. સુરતમાં ઓક્સીજનની અછત સર્જાતા ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે જો ઓક્સીજનની તાત્કાલીક વ્યવસ્થા નહિ કરવામાં આવે તો 12 કલાક પછી ખાનગી હોસ્પિટલો બંધ કરવાનો વારો આવશે અને હોસ્પિલમાં દાખલ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં પડશે, તેમજ દર્દીઓના જાનને જોખમ ઉભું થઇ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.
સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ સુરત શહેરમાં રેકોર્ડ બ્રેક કેસો પણ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતની સ્થિતિ પણ વણસી શકે છે. સુરતમાં ઓક્સીજનની અછત સર્જાઈ રહી છે. જેને લઈને ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રીને રજુઆત કરી છે. અને વહેલી તકે ઓક્સીજનનો જથ્થો પૂરો પાડવા માંગ કરવામાં આવી છે.
આઈએમએ કોરોના એક્શન કમિટી ચેરમન ડો.નિર્મલ ચોરારિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા 16 કલાકથી ઓક્સીજનની ખુબ ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. પ્રાઇવેટ હોસ્પીટલમાં લગભગ 4 હજારથી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અને અમે જે સર્વે કર્યો છે તેમાં પ્રાઈવેટ હોસ્પિટલ પાસે 6 થી 8 કલાક ચાલે એટલું જ ઓક્સીજન છે. અને જો આ સમય દરમ્યાનમાં પૂરતા ઓક્સીજનની વ્યવસ્થા કરવામાં નહી આવશે તો ઘણા દર્દીઓના જીવને જોખમ ઉભું થશે. અને દર્દીઓના પરિવારજનોને પણ તકલીફ થશે અને કદાચ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પણ વણસી શકે છે. જે બાબતે કલેકટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. અને એમને રજુઆત કરી છે કે વહેલી તકે ઓક્સીજન પહોચાડો અને સુરત શહેરને બચાવો જેથી દર્દીઓની વહેલી તકે ઝડપથી સારવાર થઇ શકે. ઓક્સિજનની અછતના કારણે પ્રાઇવેટ દાખલ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની નોબત આવી પડે છે. આગામી 12 કલાક સુધી ઓક્જિસનનો પુરતો જથ્થો પુરો પાડવામાં નહીં આવે તો ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ જોખમમાં મુકાઇ શકે છે.
સુરતમાં 220 મેટ્રિક ટનની જરૂર છે. તેની સામે 160 થી 180 મેટ્રિક ટન ઓક્સીજન મળે છે.
આઈએમએ કોરોના એક્શન કમિટી ચેરમન ડો.નિર્મલ ચોરારિયાએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં 220 મેટ્રિક ટનની જરૂર છે. તેની સામે 160 થી 180 મેટ્રિક ટન ઓક્સીજન મળે છે. હાલમાં 40 થી 50 મેટ્રિક ટનની ઘટ છે. એટલે કેટલા દર્દીઓ પર તેની અસર આવશે તે કહેવું મુશ્કેલ છે. અને પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. કેટલીક હોસ્પિટલોએ તો નવા દર્દીઓને એડમિટ કરવાનું પણ બંધ કરી દીધું છે.