સુરતના પાંડસેરા વિસ્તારમાં રહેતા અને ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચારી મચી છે.
વિદ્યાર્થી મોબાઇલમાં ગેમ રમવાની ટેવ ધરાવતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
વિદ્યાર્થીએ કકાય કારણોસર એકા એક ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ જાણકારી મળી નથી.
[caption id="attachment_1403337" align="aligncenter" width="640"] Surat, Pandesara Student of 8th standard suicide[/caption]
WatchGujarat. વધતી જતી ટેકનોલોજીની સાથે બાળકોમાં મોબાઇલના ઉપયોગનુ પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દરમિયાન કોરોના કાળમાં સ્કુલો બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ મેળવતા બાળકોમાં હવે મોબાઇલનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે. અભ્યાસની સાથે બાળકો ઓનલાઇન ગેમીંગના પણ આદી બન્યા હોવાના અનેકો કિસ્સા સામે આવ્યાં છે. ત્યારે સુરતના પાંડેસરના વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરના બાથરૂમમાં જઇ ગળે ફાંસો ખાઇ જીવનનો અંત લાવી દીધો છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશ બાંદ્રાના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રામભાન શાહુ કરીયાણાના વેપારી છે. તેઓને સંતાનમાં ચાર બાળકો છે. જેમાં બે દીકરા અને બે દીકરી છે. તેઓનો 12 વર્ષીય પુત્ર પાર્થ ધો. 8માં અભ્યાસ કરતો હતો. શુક્રવારે પાર્થ શાળાએથી આવ્યો હતો. અને બાદમાં ભોજન કરી પિતા સાથે સૂવા ગયો હતો. દરમિયાન પાર્થ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.
થોડા સમય સુધી પાર્થ બહાર નહી આવતા માતાએ બાથરૂમમાં તપાસ કરી હતી તો ત્યાં દીકરો ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. જેથી તેઓએ બુમાબુમ કરતા પાર્થના પિતા પણ ત્યાં આવી પહોચ્યા હતા. પુત્રને લટકતી હાલતમાં જોઈ તેઓ પણ હેબતાઈ ગયા હતા. પુત્રનો જીવ બચાવવા તેને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ મોળુ થઇ જતા તબીબોએ તપાસ કરતા પાર્થને મૃત જાહેર કર્યો હતો.
પુત્રના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. માત્ર 12 વર્ષના અને ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફાંસો કેમ ખાધો તે એક રહસ્ય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સ્કુલમાં કોઈ ઝગડો થયો હતો કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. પરંતુ 12 વર્ષીય બાળકના આપઘાતના સમાચારથી સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતના પાંડસેરા વિસ્તારમાં રહેતા અને ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચારી મચી છે.
વિદ્યાર્થી મોબાઇલમાં ગેમ રમવાની ટેવ ધરાવતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.
વિદ્યાર્થીએ કકાય કારણોસર એકા એક ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ જાણકારી મળી નથી.
[caption id="attachment_1403337" align="aligncenter" width="640"] Surat, Pandesara Student of 8th standard suicide[/caption]
WatchGujarat. વધતી જતી ટેકનોલોજીની સાથે બાળકોમાં મોબાઇલના ઉપયોગનુ પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દરમિયાન કોરોના કાળમાં સ્કુલો બંધ હોવાથી ઓનલાઇન શિક્ષણ મેળવતા બાળકોમાં હવે મોબાઇલનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે. અભ્યાસની સાથે બાળકો ઓનલાઇન ગેમીંગના પણ આદી બન્યા હોવાના અનેકો કિસ્સા સામે આવ્યાં છે. ત્યારે સુરતના પાંડેસરના વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરના બાથરૂમમાં જઇ ગળે ફાંસો ખાઇ જીવનનો અંત લાવી દીધો છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશ બાંદ્રાના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રામભાન શાહુ કરીયાણાના વેપારી છે. તેઓને સંતાનમાં ચાર બાળકો છે. જેમાં બે દીકરા અને બે દીકરી છે. તેઓનો 12 વર્ષીય પુત્ર પાર્થ ધો. 8માં અભ્યાસ કરતો હતો. શુક્રવારે પાર્થ શાળાએથી આવ્યો હતો. અને બાદમાં ભોજન કરી પિતા સાથે સૂવા ગયો હતો. દરમિયાન પાર્થ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો.
થોડા સમય સુધી પાર્થ બહાર નહી આવતા માતાએ બાથરૂમમાં તપાસ કરી હતી તો ત્યાં દીકરો ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. જેથી તેઓએ બુમાબુમ કરતા પાર્થના પિતા પણ ત્યાં આવી પહોચ્યા હતા. પુત્રને લટકતી હાલતમાં જોઈ તેઓ પણ હેબતાઈ ગયા હતા. પુત્રનો જીવ બચાવવા તેને તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ મોળુ થઇ જતા તબીબોએ તપાસ કરતા પાર્થને મૃત જાહેર કર્યો હતો.
પુત્રના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. માત્ર 12 વર્ષના અને ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ફાંસો કેમ ખાધો તે એક રહસ્ય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સ્કુલમાં કોઈ ઝગડો થયો હતો કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. પરંતુ 12 વર્ષીય બાળકના આપઘાતના સમાચારથી સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.