કોરોના કાળમાં નાઇટ કરફ્યુંનુ પાલન કરાવતી સુરત પોલીસે જ નિયમોનુ ઉલ્લંઘન કર્યું
સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પી.આઇ.એ.પી. સલૈયાની બદલી ઇકો સેલ થતાં રસ પુરીની પાર્ટીનુ આયોજન કરાયું હતુ.
[caption id="attachment_1217481" align="aligncenter" width="1280"] (પી.આઇ.એ.પી. સલૈયા)[/caption]
WatchGujarat. કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે પોલીસ જ ખુદ કાયદા અને નિયમના ધજાગરા ઉડાવી રહી છે. સુરત શહેરમાં જાણે નેતા અને પોલીસને કોઈ જ કાયદો ન લાગુ પડતો હોય તેવો ઘાટ સામે આવ્યો છે. સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પી.આઈ. ની ઇકો સેલમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પરંતુ આ વિદાય સમારોહ કફર્યુંના સમયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં બદલીના પહેલા જ દિવસે પી.આઈ. એ.પી. સલૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
https://youtu.be/IrjcKJJXUb0
કાયદાના રક્ષકોએ જ કાયદાની ધજીયા ઉડાવી હતી
સુરતના સિંગણપોર પોલીસ મથકના પી.આઇ.એ.પી. સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી છે. પી.આઈ. સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. અને હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. પી.આઇ. ની બદલી થતા સિંગણપોરમાં આવેલા કુમકુમ ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય બ્રાન્ચના પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે કફર્યુંના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. અને ચારેતરફ આ ઘટનાને લઈને પોલીસની ટીકા થઈ રહી છે એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કર્ફયૂ હોવાછતાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય. માત્ર એટલું જ નહીં, કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સાથે સ્વાદીષ્ટ વ્યંજનોની મિજબાની માણી હતી.
પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ અપાયા હતા
પીઆઈના વિદાય સમારોહનો વીડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો હતો. આ ન્યુઝ સામે આવતા સુરત પોલીસ કમિશનર એકશનમાં આવ્યા હતા અને તેઓએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. અને પી.આઇ. ને સાંજ સુધીમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે પી.આઇ. એ પી. સલૈયાની આજે જ ઇકો સેલમાં બદલી થઈ હતી. અને આજે બદલીના પ્રથમ દિવસે જ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
વિદાય સમારોહમાં 30 થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર હતા
ઉલ્લેખનીય છે કે સુરતમાં કાયદા અને વ્યસવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ પર હોય છે. પરંતુ અહીં કાયદાના રક્ષકોએ જ કાયદાની ધજીયા ઉડાવી હતી. આ વિદાય સમારોહમાં 30 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.
કોરોના કાળમાં નાઇટ કરફ્યુંનુ પાલન કરાવતી સુરત પોલીસે જ નિયમોનુ ઉલ્લંઘન કર્યું
WatchGujarat. કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે પોલીસ જ ખુદ કાયદા અને નિયમના ધજાગરા ઉડાવી રહી છે. સુરત શહેરમાં જાણે નેતા અને પોલીસને કોઈ જ કાયદો ન લાગુ પડતો હોય તેવો ઘાટ સામે આવ્યો છે. સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પી.આઈ. ની ઇકો સેલમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પરંતુ આ વિદાય સમારોહ કફર્યુંના સમયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં બદલીના પહેલા જ દિવસે પી.આઈ. એ.પી. સલૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કાયદાના રક્ષકોએ જ કાયદાની ધજીયા ઉડાવી હતી
સુરતના સિંગણપોર પોલીસ મથકના પી.આઇ.એ.પી. સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી છે. પી.આઈ. સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. અને હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. પી.આઇ. ની બદલી થતા સિંગણપોરમાં આવેલા કુમકુમ ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય બ્રાન્ચના પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે કફર્યુંના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. અને ચારેતરફ આ ઘટનાને લઈને પોલીસની ટીકા થઈ રહી છે એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કર્ફયૂ હોવાછતાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય. માત્ર એટલું જ નહીં, કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સાથે સ્વાદીષ્ટ વ્યંજનોની મિજબાની માણી હતી.
પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ અપાયા હતા
પીઆઈના વિદાય સમારોહનો વીડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો હતો. આ ન્યુઝ સામે આવતા સુરત પોલીસ કમિશનર એકશનમાં આવ્યા હતા અને તેઓએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. અને પી.આઇ. ને સાંજ સુધીમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે પી.આઇ. એ પી. સલૈયાની આજે જ ઇકો સેલમાં બદલી થઈ હતી. અને આજે બદલીના પ્રથમ દિવસે જ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
વિદાય સમારોહમાં 30 થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર હતા
ઉલ્લેખનીય છે કે સુરતમાં કાયદા અને વ્યસવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ પર હોય છે. પરંતુ અહીં કાયદાના રક્ષકોએ જ કાયદાની ધજીયા ઉડાવી હતી. આ વિદાય સમારોહમાં 30 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.