ગત રોજ RSP ના રાજેશ આયરે તેમના ત્રણ કાઉન્સીલરો સાથે ભાજપમાં વિધિવત જોડાતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મિશન-76 પુરૂ કરવા ભાજપે તોડજોડની નિતી અપનાવી
પોતાના વોર્ડમાં કામો ન થવા મામલે જય રણછોડએ વોર્ડ-4ની કચેરીમાં લેંઘો ઉતારી દેતા વિવાદમાં સપડાયા હતા
જય રણછોડની આગેવાની ભાજપી કાર્યકરો મનુભાઇ ટાવર ભાજપ કાર્યલય પહોંચી ઉગ્ર રજૂઆત કરી
WatchGujarat આગામી 21મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા અંગેની સત્તાવાર જાહેરાત થઇ ચૂંકી છે. શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ ડો. વિજય શાહ “મિશન -76” પાર પાડવા તોડજોડની નિતી અપનાવી રહ્યાં છે. ગઇકાલે આર.એસ.પીના રાજેશ આયરે સહીત ત્રણ કાઉન્સીલરોએ કેસરીયો ધારણ કર્યા બાદ હવે કોંગી કાઉન્સીલરો પણ કેસરીયો ધારણ કરશે તેવો પવન ફૂંકાતા ફરી એક વખત વિવાદનો મધપુડો છંછેડાયો છે. ત્યારે ડો. વિજય શાહના મિશન-76ને આડે આવવના ભાજપીઓના ત્રાગા ટિકિટ મેળવવાના હવાતિયા હોવાની પણ ભાજપમાં ચર્ચા છે.
મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાતો થઇ ચૂંકી છે, ત્યારે છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી તનતોડ મહેનત કરતા ટિકિટ વાંચ્છુકોની શહેરના દરેક વોર્ડમાં સંખ્યા ખૂબ મોટી છે. તેવામાં શહેર ભાજપ અધ્યક્ષ “મિશન-76” પાર પાડવા માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યાં છે. કેસરીયા ધારણ કરનાર રાજેશ આયરેની પેનલને બાદ કરતા ભાજપ પાસે શહેરના 76 પૈકી 53 કાઉન્સીલરો છે, જ્યારે કોંગ્રેસ પાસે 14 જેટલા કાઉન્સીલર છે.
ડો. વિજય શાહને મિશન-76 (Mission-76) પાર પાડવા માટે કોંગ્રેસ હસ્તકની બેઠકો પણ ભાજપ (BJP) હસ્તક કરવી જરૂરી છે. જોકે આ શક્ય ત્યારે જ બની શકે જ્યારે વર્ષોથી વોર્ડમાં પકડ જમાવી બેઠેલા ચિરાગ ઝવેરી જેવા કોંગી કાઉન્સલીરો ભાજપમાં જોડાય. આવી જ એક વાત વહેતી થઇ કે, કોંગી કાઉન્સીલર ચિરાગ ઝવેરીને પણ ભાજપમાં એન્ટ્રી આપવામાં આવશે, જેથી શનિવારે વોર્ડ-18ના ભાજપના કાઉન્સીલર જય રણછોડ જેમની રીપીટ થવાની શક્યતા આ વખતે નહિવત હોવાની રાજકીય મોર્ચે ચર્ચા છે, ત્યારે પોતાની ટીમ સાથે શનિવારે ભાજપ કાર્યલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે અધ્યક્ષ ડો. વિજય શાહ અને બન્ને મહામંત્રીઓની હાજરીમાં ચિરાગ ઝવેરીના મુદ્દાને લઇ ઉગ્ર રજૂઆત કરી હતી.
જય રણછોડ અને તેમની ટીમની ઉગ્ર રજૂઆતને સાંભળી અધ્યક્ષ ડો. વિજય શાહએ તેમણે અશ્વાસન આપ્યું કે, ચિરાગ ઝવેરીને ભાજપમાં નથી લેવાના તેવી સ્પષ્ટતા કરતાવોર્ડ-18ના ભાજપી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે, ડો. વિજય શાહ મિશન -76 પાર પાડવા માટે કંઇ રણનીતી અપનાવશે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ રાજેશ આયરેની ભાજપમાં એન્ટ્રી થતાં જ જાણે વોર્ડ-9ના ટિકિટ વાંછુકોના સપના ઉપર પાણી ફરેવાઇ ગયુ હોય તેમ રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મિશન 76ને આડે આવવાના ભાજપીઓના ત્રાગા ટિકિટ મેળવવાના હવાતિયાં હોવાની ભાજપામાં ચર્ચાઇ રહ્યું છે.
ગત રોજ RSP ના રાજેશ આયરે તેમના ત્રણ કાઉન્સીલરો સાથે ભાજપમાં વિધિવત જોડાતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મિશન-76 પુરૂ કરવા ભાજપે તોડજોડની નિતી અપનાવી
પોતાના વોર્ડમાં કામો ન થવા મામલે જય રણછોડએ વોર્ડ-4ની કચેરીમાં લેંઘો ઉતારી દેતા વિવાદમાં સપડાયા હતા
WatchGujarat આગામી 21મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા અંગેની સત્તાવાર જાહેરાત થઇ ચૂંકી છે. શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ ડો. વિજય શાહ “મિશન -76” પાર પાડવા તોડજોડની નિતી અપનાવી રહ્યાં છે. ગઇકાલે આર.એસ.પીના રાજેશ આયરે સહીત ત્રણ કાઉન્સીલરોએ કેસરીયો ધારણ કર્યા બાદ હવે કોંગી કાઉન્સીલરો પણ કેસરીયો ધારણ કરશે તેવો પવન ફૂંકાતા ફરી એક વખત વિવાદનો મધપુડો છંછેડાયો છે. ત્યારે ડો. વિજય શાહના મિશન-76ને આડે આવવના ભાજપીઓના ત્રાગા ટિકિટ મેળવવાના હવાતિયા હોવાની પણ ભાજપમાં ચર્ચા છે.
મહાનગર પાલિકાની ચૂંટણીની જાહેરાતો થઇ ચૂંકી છે, ત્યારે છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી તનતોડ મહેનત કરતા ટિકિટ વાંચ્છુકોની શહેરના દરેક વોર્ડમાં સંખ્યા ખૂબ મોટી છે. તેવામાં શહેર ભાજપ અધ્યક્ષ “મિશન-76” પાર પાડવા માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યાં છે. કેસરીયા ધારણ કરનાર રાજેશ આયરેની પેનલને બાદ કરતા ભાજપ પાસે શહેરના 76 પૈકી 53 કાઉન્સીલરો છે, જ્યારે કોંગ્રેસ પાસે 14 જેટલા કાઉન્સીલર છે.
ડો. વિજય શાહને મિશન-76 (Mission-76) પાર પાડવા માટે કોંગ્રેસ હસ્તકની બેઠકો પણ ભાજપ (BJP) હસ્તક કરવી જરૂરી છે. જોકે આ શક્ય ત્યારે જ બની શકે જ્યારે વર્ષોથી વોર્ડમાં પકડ જમાવી બેઠેલા ચિરાગ ઝવેરી જેવા કોંગી કાઉન્સલીરો ભાજપમાં જોડાય. આવી જ એક વાત વહેતી થઇ કે, કોંગી કાઉન્સીલર ચિરાગ ઝવેરીને પણ ભાજપમાં એન્ટ્રી આપવામાં આવશે, જેથી શનિવારે વોર્ડ-18ના ભાજપના કાઉન્સીલર જય રણછોડ જેમની રીપીટ થવાની શક્યતા આ વખતે નહિવત હોવાની રાજકીય મોર્ચે ચર્ચા છે, ત્યારે પોતાની ટીમ સાથે શનિવારે ભાજપ કાર્યલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે અધ્યક્ષ ડો. વિજય શાહ અને બન્ને મહામંત્રીઓની હાજરીમાં ચિરાગ ઝવેરીના મુદ્દાને લઇ ઉગ્ર રજૂઆત કરી હતી.
જય રણછોડ અને તેમની ટીમની ઉગ્ર રજૂઆતને સાંભળી અધ્યક્ષ ડો. વિજય શાહએ તેમણે અશ્વાસન આપ્યું કે, ચિરાગ ઝવેરીને ભાજપમાં નથી લેવાના તેવી સ્પષ્ટતા કરતાવોર્ડ-18ના ભાજપી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે, ડો. વિજય શાહ મિશન -76 પાર પાડવા માટે કંઇ રણનીતી અપનાવશે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ રાજેશ આયરેની ભાજપમાં એન્ટ્રી થતાં જ જાણે વોર્ડ-9ના ટિકિટ વાંછુકોના સપના ઉપર પાણી ફરેવાઇ ગયુ હોય તેમ રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મિશન 76ને આડે આવવાના ભાજપીઓના ત્રાગા ટિકિટ મેળવવાના હવાતિયાં હોવાની ભાજપામાં ચર્ચાઇ રહ્યું છે.