તબીબી મિત્રએ કોરોનાની સારવાર માટે સરકારી હોસ્પિટલ શ્રેષ્ઠ હોવાનુ જણાવતા સુખડીયા પરિવારના ત્રણ ભાઇઓ સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
કુટુંબના 14માંથી 11 સભ્યો કોરોના પોઝિટીવ જણાતા પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો હતો.
કૌટુંબિક પ્રસંગમાં માત્ર 40 લોકો હાજર હતા છતાંય મોટી સંખ્યામાં પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા
સયાજી હોસ્પિટલમાં 21 દિવસની સારવાર મેળવ્યા બાદ ત્રણેય ભાઇઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા
રાજ્ય સરકારે જોઈએ તેટલી દવાઓ અને સાધન સુવિધાઓ આપી એટલે જ આટલી સારી સારવાર શક્ય બને છે – પંકજભાઇ સુખડીયા
[caption id="attachment_981981" align="aligncenter" width="1280"] (સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ સ્વસ્થ થનાર સુખડીયા પરિવારના ત્રણ ભાઇઓ)[/caption]
WatchGujarat. બેકાબૂ બનેલી કોરોના કાળમાં જ્યારે કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે. ત્યારે તેની સારવાર માટેની પહેલી પસંદ ખાનગી હોસ્પિટલ હોય છે. તેની પાછળ અનેકો કારણ છે. પરંતુ જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહીં હોય તે સમયે સરકારી હોસ્પિટલ કેટલી ફાયદાકારક સાબીત થાય છે, તેનુ આ એક ઉત્તમ ઉદાહરણ છે.
શહેરનો સુખડીયા પરિવારમાં થોડા દિવસો પહેલા એક કૌટુંબિક પ્રસંગમાં હતો. જેમાં કાળજી પૂર્વક 40 જેટલા પરિવારના સભ્યો એકત્ર થયા હતા. છતાંય સુખડીયાના પરિવારના 14 સભ્યો પૈકી 11 કોરોના સંક્રમિત થયા હતા. એકજ કુટુંબના 11 સભ્યો એક સામટા કોરોના સંક્રમિત જણાતા પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો હતો. જોકે કુટંબના 11 પૈકી 8 સભ્યોમાં કોરોનાનો પ્રભાવ સામાન્ય હોવાથી તેઓએ ઘરે જ સારવાર લેવાનુ નક્કી કર્યું હતુ. પરુતુ પંકજભાઇના મોટાભાઇ અતુલભાઇ અને નાનાભાઇ જિતેન્દ્રભાઇ ત્રણેયને કોરોનાની અસર વધુ હોવાથી હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી બની હતી.
કોરોનાની સારવાર કંઇ હોસ્પિટલમાં કરાવવી તે અંગે ત્રણેય ભાઇઓએ શહેરની અનુભવી તબીબ ડો. જયેશ શાહનો સંપર્ક કર્યો હતો. જેથી તબીબે તેમને સયાજી હોસ્પિટલમાં જ દાખલ થવાની સલાહ આપી હતી. મેડિક્લેમ અને કોરોના પોલીસી હોવા છતાં, ત્રણેય ભાઇઓએ તબીબની સલાહ મૂજબ સયાજી હોસ્પિટલમાં દાખલ થવાનુ નક્કી કર્યુ. જ્યાં હોસ્પિટલમાં ત્રણેય ભાઇઓએ વ્યક્તિ દીઠ રૂ. 5 કેસ ફી ચૂકવી દાખલ થયા હતા.
સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા ત્રણેય ભાઇઓ પૈકી પંકજભાઇ અને જિતેન્દ્રભાઇ 10 દિવસની સારવાર બાદ કોરોના મુક્ત થઇ ઘરે આવી ગયા હતા. જ્યાં તેમને રેમડેસિવિર ઇન્જેક્શનના કોર્સ સહિત તમામ દવાઓ આપી રજા આપવામાં આવી હતી. જ્યારે તેમના મોટાભાઇ કો-મોરબીડ હોવાથી 21 દિવસ લાંબી સારવાર બાદ તેઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સયાજી હોસ્પિટલમાં માત્ર રૂ. 5 કેસ ચૂકવી કોરોનાની સારવાર મેળવી સ્વસ્થ થનાર પંકજભાઇ સુખડીયા જણાવે છે કે, એક વ્યક્તિ ના રૂ. 5 પ્રમાણે અમે ત્રણ ભાઈઓ રૂ. 15ની સાવ નજીવી કેસ ફી ચૂકવીને દાખલ થયા હતા.તેની સામે હું હિસાબ માંડુ તો મારા મોટાભાઈને ખાનગી દવાખાનામાં રૂ.10 થી 12 લાખ ચૂકવવા પડે એટલી અને બાકીના બે ભાઈઓને અંદાજે ફૂલ રૂ. 5 લાખ ચૂકવવા પડે એટલી સારવાર મળી અને સહુથી મોટા આનંદની વાત તો એ છે કે સાવ વિનામૂલ્યે સારવાર મળી અને રોગમુક્ત થઈ ઘેર પાછા ફર્યા.
પંકજભાઈ કહે છે કે, સયાજી હોસ્પિટલ ખરેખર આરોગ્ય મંદિર છે અને તેના ઉચ્ચ શિક્ષણ અને કુશળતા ધરાવતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ, સેવકો બધાં જ ભગવાનની બરોબર વંદનીય છે, તેઓ ખરેખર ચરણ સ્પર્શને યોગ્ય છે.
આ તમામ બાબતોનો યશ રાજ્ય સરકારને જાય છે એવી લાગણી વ્યક્ત કરતાં તેઓ જણાવે છે તબીબો અને સ્ટાફ ગમે તેટલો કુશળ હોય,પરંતુ જરૂરી અને પૂરતી દવાઓ અને તબીબી સાધનો,સુવિધાઓ ના હોય તો લાચાર બની જાય. રાજ્ય સરકારે જે રીતે હોસ્પિટલમાં આટલી સારી વ્યવસ્થાઓ ઉભી કરી છે, એના જ કારણે આટલી સારી સારવાર શક્ય બની છે.
સયાજી હોસ્પિટલમાં મળેલી સારવાર બાબતે તેઓએ જણાવ્યું કે, તબીબો અને કર્મચારીઓ હાલમાં 10 થી 12 કલાક ફરજ બજાવે જ છે. જરૂર પડે ફરજનો સમય 16 થી 18 કલાક પણ લંબાઈ જાય છે તેમ છતાં, કોઈ કંટાળા કે અણગમા વગર ફરજ બજાવે છે. આ ફરજો દરમિયાન ઘણાં જાતે કોરોનાગ્રસ્ત બન્યા તો પણ સાજા થઈ પાછા ફરજ પર જોડાઈ ગયા. ઘણાંના કુટુંબીજનોને પણ કોરોના થયો. પરંતુ કોઇએ ફરજમાં પાછી પાની કરી નથી.
પંકજભાઈ કહે છે કે દરેક સાથે આ લોકો ખૂબ સૌજન્ય અને વિવેકથી વર્તે છે. અહીં બે ટાઇમ ભોજન,નાસ્તો,ચા અને દૂધ મળે છે.પીવા માટે ૫૦૦ એમ.એલ.ની વોટર બોટલ છૂટ થી મળે છે. પછી બીજું શું જોઈએ...?
તબીબી મિત્રએ કોરોનાની સારવાર માટે સરકારી હોસ્પિટલ શ્રેષ્ઠ હોવાનુ જણાવતા સુખડીયા પરિવારના ત્રણ ભાઇઓ સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
કુટુંબના 14માંથી 11 સભ્યો કોરોના પોઝિટીવ જણાતા પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો હતો.
કૌટુંબિક પ્રસંગમાં માત્ર 40 લોકો હાજર હતા છતાંય મોટી સંખ્યામાં પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા
સયાજી હોસ્પિટલમાં 21 દિવસની સારવાર મેળવ્યા બાદ ત્રણેય ભાઇઓ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા
રાજ્ય સરકારે જોઈએ તેટલી દવાઓ અને સાધન સુવિધાઓ આપી એટલે જ આટલી સારી સારવાર શક્ય બને છે – પંકજભાઇ સુખડીયા
WatchGujarat. બેકાબૂ બનેલી કોરોના કાળમાં જ્યારે કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે. ત્યારે તેની સારવાર માટેની પહેલી પસંદ ખાનગી હોસ્પિટલ હોય છે. તેની પાછળ અનેકો કારણ છે. પરંતુ જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહીં હોય તે સમયે સરકારી હોસ્પિટલ કેટલી ફાયદાકારક સાબીત થાય છે, તેનુ આ એક ઉત્તમ ઉદાહરણ છે.
શહેરનો સુખડીયા પરિવારમાં થોડા દિવસો પહેલા એક કૌટુંબિક પ્રસંગમાં હતો. જેમાં કાળજી પૂર્વક 40 જેટલા પરિવારના સભ્યો એકત્ર થયા હતા. છતાંય સુખડીયાના પરિવારના 14 સભ્યો પૈકી 11 કોરોના સંક્રમિત થયા હતા. એકજ કુટુંબના 11 સભ્યો એક સામટા કોરોના સંક્રમિત જણાતા પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો હતો. જોકે કુટંબના 11 પૈકી 8 સભ્યોમાં કોરોનાનો પ્રભાવ સામાન્ય હોવાથી તેઓએ ઘરે જ સારવાર લેવાનુ નક્કી કર્યું હતુ. પરુતુ પંકજભાઇના મોટાભાઇ અતુલભાઇ અને નાનાભાઇ જિતેન્દ્રભાઇ ત્રણેયને કોરોનાની અસર વધુ હોવાથી હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી બની હતી.
કોરોનાની સારવાર કંઇ હોસ્પિટલમાં કરાવવી તે અંગે ત્રણેય ભાઇઓએ શહેરની અનુભવી તબીબ ડો. જયેશ શાહનો સંપર્ક કર્યો હતો. જેથી તબીબે તેમને સયાજી હોસ્પિટલમાં જ દાખલ થવાની સલાહ આપી હતી. મેડિક્લેમ અને કોરોના પોલીસી હોવા છતાં, ત્રણેય ભાઇઓએ તબીબની સલાહ મૂજબ સયાજી હોસ્પિટલમાં દાખલ થવાનુ નક્કી કર્યુ. જ્યાં હોસ્પિટલમાં ત્રણેય ભાઇઓએ વ્યક્તિ દીઠ રૂ. 5 કેસ ફી ચૂકવી દાખલ થયા હતા.
સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા ત્રણેય ભાઇઓ પૈકી પંકજભાઇ અને જિતેન્દ્રભાઇ 10 દિવસની સારવાર બાદ કોરોના મુક્ત થઇ ઘરે આવી ગયા હતા. જ્યાં તેમને રેમડેસિવિર ઇન્જેક્શનના કોર્સ સહિત તમામ દવાઓ આપી રજા આપવામાં આવી હતી. જ્યારે તેમના મોટાભાઇ કો-મોરબીડ હોવાથી 21 દિવસ લાંબી સારવાર બાદ તેઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સયાજી હોસ્પિટલમાં માત્ર રૂ. 5 કેસ ચૂકવી કોરોનાની સારવાર મેળવી સ્વસ્થ થનાર પંકજભાઇ સુખડીયા જણાવે છે કે, એક વ્યક્તિ ના રૂ. 5 પ્રમાણે અમે ત્રણ ભાઈઓ રૂ. 15ની સાવ નજીવી કેસ ફી ચૂકવીને દાખલ થયા હતા.તેની સામે હું હિસાબ માંડુ તો મારા મોટાભાઈને ખાનગી દવાખાનામાં રૂ.10 થી 12 લાખ ચૂકવવા પડે એટલી અને બાકીના બે ભાઈઓને અંદાજે ફૂલ રૂ. 5 લાખ ચૂકવવા પડે એટલી સારવાર મળી અને સહુથી મોટા આનંદની વાત તો એ છે કે સાવ વિનામૂલ્યે સારવાર મળી અને રોગમુક્ત થઈ ઘેર પાછા ફર્યા.
પંકજભાઈ કહે છે કે, સયાજી હોસ્પિટલ ખરેખર આરોગ્ય મંદિર છે અને તેના ઉચ્ચ શિક્ષણ અને કુશળતા ધરાવતા તબીબો અને આરોગ્ય કર્મચારીઓ, સેવકો બધાં જ ભગવાનની બરોબર વંદનીય છે, તેઓ ખરેખર ચરણ સ્પર્શને યોગ્ય છે.
આ તમામ બાબતોનો યશ રાજ્ય સરકારને જાય છે એવી લાગણી વ્યક્ત કરતાં તેઓ જણાવે છે તબીબો અને સ્ટાફ ગમે તેટલો કુશળ હોય,પરંતુ જરૂરી અને પૂરતી દવાઓ અને તબીબી સાધનો,સુવિધાઓ ના હોય તો લાચાર બની જાય. રાજ્ય સરકારે જે રીતે હોસ્પિટલમાં આટલી સારી વ્યવસ્થાઓ ઉભી કરી છે, એના જ કારણે આટલી સારી સારવાર શક્ય બની છે.
સયાજી હોસ્પિટલમાં મળેલી સારવાર બાબતે તેઓએ જણાવ્યું કે, તબીબો અને કર્મચારીઓ હાલમાં 10 થી 12 કલાક ફરજ બજાવે જ છે. જરૂર પડે ફરજનો સમય 16 થી 18 કલાક પણ લંબાઈ જાય છે તેમ છતાં, કોઈ કંટાળા કે અણગમા વગર ફરજ બજાવે છે. આ ફરજો દરમિયાન ઘણાં જાતે કોરોનાગ્રસ્ત બન્યા તો પણ સાજા થઈ પાછા ફરજ પર જોડાઈ ગયા. ઘણાંના કુટુંબીજનોને પણ કોરોના થયો. પરંતુ કોઇએ ફરજમાં પાછી પાની કરી નથી.
પંકજભાઈ કહે છે કે દરેક સાથે આ લોકો ખૂબ સૌજન્ય અને વિવેકથી વર્તે છે. અહીં બે ટાઇમ ભોજન,નાસ્તો,ચા અને દૂધ મળે છે.પીવા માટે ૫૦૦ એમ.એલ.ની વોટર બોટલ છૂટ થી મળે છે. પછી બીજું શું જોઈએ...?