રાજ્યભરમાં કોરોના બેકાબુ બની છે, ત્યારે તંત્ર દ્વારા સબસલામતની વાતો કરવામાં આવી રહીં છે.
કોરોના દર્દીઓના સ્મશાનમાં થઇ રહેલા અંતિમસંસ્કાર મામલે તંત્રએ ચુપ્પી સાધી છે.
કોરોના સંક્રમિત દર્દીઓની મૃત્યુની સંખ્યા એટલી મોટી છે કે શહેરમાં મૃત્યુ પામેલા દર્દીની અંતિમક્રિયા માટે એમ્બ્યૂલન્સ પણ નસીબ નથી થઇ રહીં.
WatchGujarat કોરોનાનુ સંક્રમણ એટલી હદે વધ્યુ છે કે, હવે સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામે તો તેની અંતિમક્રિયા માટે એમ્બ્યૂલન્સ પણ નસીબ નથી થઇ રહીં, કોરોના દર્દીઓના મૃતદેહો અંતિમક્રિયા માટે લઇ જવા તો રાહ જોવી જ પડી રહીં છે. તેવામાં કુદરતી રીતે મૃત્યુ પામેલા દર્દીને સ્મશાનમાં લઇ જવા માટે તંત્ર પાસે એમ્બ્યુલન્સની પણ પુરતી સુવિધા નથી, તેનુ આ ઉત્તમ ઉદાહરણ છે.
[embed]https://youtu.be/U0yAlHpEoIQ[/embed]
રાજ્યભરમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો મૃત્યુઆંક ખૂબ મોટો છે. સરકાર અને તંત્ર દ્વારા આ મૃત્યુ આંક છુપાવવામાં આવી રહ્યો હોવાની પ્રજા પણ બુમો પાડી રહીં છે. પરંતુ ડેથ ઓડીટ કમિટી નક્કી કરે એ પ્રમાણે મૃત્યુના સરકારી આકંળા રજૂ કરવામાં આવે છે. પરંતુ વાસ્થવિક પરિસ્થિતિ ઉપર ધ્યાન આપવામાં આવે તો, આપણે અનેક વિડિઓ અને ફોટા જોયા હશે, જેમાં સ્મશાનોમાં મૃતકોની અંતિમક્રિયા માટે વેઇટીંગ ચાલે છે. કલાકો સુધી રાહ જોવી પડી છે. તેમજ મોટી સંખ્યામાં ખાનગી સહિત સરકારી એમ્બ્યૂલન્સોમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહો અંતિમક્રિયા માટે સ્મશાનમાં લાવવામે આવી રહ્યાં છે.
તેવામાં વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય શાંતાબેનનુ આજે મોડી સાંજે તેમના ઘરે જ મોત થયુ હતુ. વૃદ્ધાના અંતિમ સંસ્કાર માટે પરિવાજનો દ્વારા ખાનગી તથા સરકારી એમ્બ્યૂલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના દર્દીઓના અંતિમક્રિયામાં વ્યસ્ત એમ્બ્યૂલન્સ તેમને મળી ન હતી. જેથી આખરે પરિવારના સભ્યો દ્વારા વૃદ્ધાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લારીમાં મૂકી અંતિમક્રિયા માટે લઇ ખાસવાડી સ્મશાન ખાતે લઇ જવામાં આવ્યો હતો.
રાજ્યભરમાં કોરોના બેકાબુ બની છે, ત્યારે તંત્ર દ્વારા સબસલામતની વાતો કરવામાં આવી રહીં છે.
કોરોના દર્દીઓના સ્મશાનમાં થઇ રહેલા અંતિમસંસ્કાર મામલે તંત્રએ ચુપ્પી સાધી છે.
કોરોના સંક્રમિત દર્દીઓની મૃત્યુની સંખ્યા એટલી મોટી છે કે શહેરમાં મૃત્યુ પામેલા દર્દીની અંતિમક્રિયા માટે એમ્બ્યૂલન્સ પણ નસીબ નથી થઇ રહીં.
WatchGujarat કોરોનાનુ સંક્રમણ એટલી હદે વધ્યુ છે કે, હવે સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામે તો તેની અંતિમક્રિયા માટે એમ્બ્યૂલન્સ પણ નસીબ નથી થઇ રહીં, કોરોના દર્દીઓના મૃતદેહો અંતિમક્રિયા માટે લઇ જવા તો રાહ જોવી જ પડી રહીં છે. તેવામાં કુદરતી રીતે મૃત્યુ પામેલા દર્દીને સ્મશાનમાં લઇ જવા માટે તંત્ર પાસે એમ્બ્યુલન્સની પણ પુરતી સુવિધા નથી, તેનુ આ ઉત્તમ ઉદાહરણ છે.
[embed][/embed]
રાજ્યભરમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો મૃત્યુઆંક ખૂબ મોટો છે. સરકાર અને તંત્ર દ્વારા આ મૃત્યુ આંક છુપાવવામાં આવી રહ્યો હોવાની પ્રજા પણ બુમો પાડી રહીં છે. પરંતુ ડેથ ઓડીટ કમિટી નક્કી કરે એ પ્રમાણે મૃત્યુના સરકારી આકંળા રજૂ કરવામાં આવે છે. પરંતુ વાસ્થવિક પરિસ્થિતિ ઉપર ધ્યાન આપવામાં આવે તો, આપણે અનેક વિડિઓ અને ફોટા જોયા હશે, જેમાં સ્મશાનોમાં મૃતકોની અંતિમક્રિયા માટે વેઇટીંગ ચાલે છે. કલાકો સુધી રાહ જોવી પડી છે. તેમજ મોટી સંખ્યામાં ખાનગી સહિત સરકારી એમ્બ્યૂલન્સોમાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહો અંતિમક્રિયા માટે સ્મશાનમાં લાવવામે આવી રહ્યાં છે.
તેવામાં વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય શાંતાબેનનુ આજે મોડી સાંજે તેમના ઘરે જ મોત થયુ હતુ. વૃદ્ધાના અંતિમ સંસ્કાર માટે પરિવાજનો દ્વારા ખાનગી તથા સરકારી એમ્બ્યૂલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના દર્દીઓના અંતિમક્રિયામાં વ્યસ્ત એમ્બ્યૂલન્સ તેમને મળી ન હતી. જેથી આખરે પરિવારના સભ્યો દ્વારા વૃદ્ધાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લારીમાં મૂકી અંતિમક્રિયા માટે લઇ ખાસવાડી સ્મશાન ખાતે લઇ જવામાં આવ્યો હતો.