La pino’z pizza પાર્લર રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ ચાલુ હોવાનો સૌ પ્રથમ અહેવાલ www.watchgujarat.com દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
કોરોના પર કાબૂ મેળવવા સરકારે રાત્રી 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દીધુ છે.
એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલુ La pino’z પીત્ઝા પાર્લર રાત્રી કર્ફયુના સમયે પણ ચાલી રહેતા જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી
પીત્ઝા પાર્લરની હરકતો અંગે કારેલીબાગ પોલીસને જાણ થતાં સંચાલક વિશાલ લીલાઘર ઠક્કરની ધરપકડ કરવામાં આવી
WatchGujarat. રાજ્ય ભરમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિ ઉપર કાબુ મેળવવા ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સાથે સાથે આંશિક લોકાઉન પણ લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારની જાહેરાત છતાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ સ્થિત પીત્ઝા પાર્લર બેરોકટોક રાત્રી કર્ફ્યુ દરમિયન ચાલુ હતુ. આ અંગે એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા ગણતરીની મિનિટોમાં કારેલીબાગ પોલીસ સ્થળ પહોંચી La pino’zના સંચાલકની અટકયત કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
#Vadodara – કોરોના કર્ફ્યુ દરમિયાન કારેલીબાગમાં બેરોકટોક ચાલતા પીત્ઝા પાર્લર પર લોકોની ભીડ (VIDEO)
https://watchgujarat.com/india/gujarat/vadodara/vadodara-pizza-parlor-breaking-covid-rules-police-action/
હાલ રાજ્યમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધીનો કોરોના કર્ફ્યુ સરકારના આદેશથી લાગુ કરાયો છે. તેવા સમયે શહેરની કેટલીક રેસ્ટોરન્ટ બેરકોટ ચાલી હોવાનુ જાણવા મળી રહ્યું છે. બુધવારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા La pino’z પીત્ઝા પાર્લર પર કોરોના કર્ફ્યુમાં પણ પીત્ઝા લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પીત્ઝા પાર્લરનુ અડધું શટર પાડીને લોકોને ગ્રાહકોને પીત્ઝા આપવામાં આવી રહ્યાં હતા. જેથી પીત્ઝા પાર્લર બહાર લોકોના ટોળા જામ્યા હતા.
https://youtu.be/ri6aua8fNGU
દરમિયાન આ સમગ્ર બાબત શહેરના એક જાગૃત નાગરિકના નજરે ચઢી હતી. જેથી તેણે સ્થળ પપર હાજર પોલીસ જવાને આ બાબતે પુછતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેના પરિણામે જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી કે, એલ એન્ડ ટી સર્કલ પાસે La pino’z પીત્ઝા ચાલુ છે અને ઘણા લોકો ડીલીવરી માટે ઉભા છે. જે વર્ધી કારેલીબાગ પોલીસને મળતા તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં La pino’z પીત્ઝાના સંચાલક વિશાલ ઠક્કરની અટકાયત કરી તેની સામે જાહેરનામા ભંગ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
La pino’z pizza પાર્લર રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ ચાલુ હોવાનો સૌ પ્રથમ અહેવાલ www.watchgujarat.com દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
કોરોના પર કાબૂ મેળવવા સરકારે રાત્રી 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દીધુ છે.
એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલુ La pino’z પીત્ઝા પાર્લર રાત્રી કર્ફયુના સમયે પણ ચાલી રહેતા જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી
પીત્ઝા પાર્લરની હરકતો અંગે કારેલીબાગ પોલીસને જાણ થતાં સંચાલક વિશાલ લીલાઘર ઠક્કરની ધરપકડ કરવામાં આવી
WatchGujarat. રાજ્ય ભરમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિ ઉપર કાબુ મેળવવા ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સાથે સાથે આંશિક લોકાઉન પણ લાગુ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારની જાહેરાત છતાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ સ્થિત પીત્ઝા પાર્લર બેરોકટોક રાત્રી કર્ફ્યુ દરમિયન ચાલુ હતુ. આ અંગે એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા ગણતરીની મિનિટોમાં કારેલીબાગ પોલીસ સ્થળ પહોંચી La pino’zના સંચાલકની અટકયત કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
#Vadodara – કોરોના કર્ફ્યુ દરમિયાન કારેલીબાગમાં બેરોકટોક ચાલતા પીત્ઝા પાર્લર પર લોકોની ભીડ (VIDEO)
https://watchgujarat.com/india/gujarat/vadodara/vadodara-pizza-parlor-breaking-covid-rules-police-action/
હાલ રાજ્યમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધીનો કોરોના કર્ફ્યુ સરકારના આદેશથી લાગુ કરાયો છે. તેવા સમયે શહેરની કેટલીક રેસ્ટોરન્ટ બેરકોટ ચાલી હોવાનુ જાણવા મળી રહ્યું છે. બુધવારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા La pino’z પીત્ઝા પાર્લર પર કોરોના કર્ફ્યુમાં પણ પીત્ઝા લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પીત્ઝા પાર્લરનુ અડધું શટર પાડીને લોકોને ગ્રાહકોને પીત્ઝા આપવામાં આવી રહ્યાં હતા. જેથી પીત્ઝા પાર્લર બહાર લોકોના ટોળા જામ્યા હતા.
દરમિયાન આ સમગ્ર બાબત શહેરના એક જાગૃત નાગરિકના નજરે ચઢી હતી. જેથી તેણે સ્થળ પપર હાજર પોલીસ જવાને આ બાબતે પુછતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેના પરિણામે જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી કે, એલ એન્ડ ટી સર્કલ પાસે La pino’z પીત્ઝા ચાલુ છે અને ઘણા લોકો ડીલીવરી માટે ઉભા છે. જે વર્ધી કારેલીબાગ પોલીસને મળતા તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં La pino’z પીત્ઝાના સંચાલક વિશાલ ઠક્કરની અટકાયત કરી તેની સામે જાહેરનામા ભંગ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.