સુરતથી 25 જેટલા લોકો ડાકોર, વડતાલ અને પાવાગઢ દર્શન કરવા માટે ગત રાત્રે 11 વાગે આઇસર ટેમ્પોમાં નિકળ્યાં હતા
વાઘોડીયા પાસે કન્ટેનરની પાછળ આઇસર ટેમ્પો ભટકાતા એક જ પરિવારના 5 સહીત 11 લોકોએ જીવ ગુમાવ્યાં
વડોરામાં અકસ્માતથી સુરતમાં માતમ છવાયુ
અકસ્માતમાં ગંભરી રીતે ઘવાયેલા ચાર લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
[caption id="attachment_15549" align="aligncenter" width="1280"] (મૃત્ક સુરેશ જેઠાભાઇ જીંજાળા અને આરતિબેન ખોડાભાઇ જીંજાળા)[/caption]
વડોદરા. મોડી રાત્રે નેશનલ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી 11 લોકોએ જીવ ગુમાવ્યાં હોવાની સત્તાવાર માહિતી મળી રહીં છે. આ અકસ્માત 3 માતા અને પુત્રઓએ પણ જીવ ગુમવ્યાં છે. જ્યારે સુરેશની સગાઇ થઇ ગઇ હોવાથી બે મહિનામાં તેના લગ્ન થવાના હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતુ.
આઈસર ટેમ્પો કન્ટેનરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત
સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાંથી ઘર નંબર 38માંથી જીંઝાલા પરિવારના 9 જણાં ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર આઈસર ટેમ્પોમાં રાત્રે નીકળ્યો હતો. દરમિયાન વડોદરા પાસે નેશનલ હાઇવે પર આઈસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. જેમાં આ જીંજાળા પરિવારમાંથી સુરેશ, નેન્સી, ઉત્તમ, સહિત 5ના મોત થયા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત થયા છે.
[caption id="attachment_15551" align="aligncenter" width="810"] (આરતીબેન, નેન્સી, દયાબેન અને ભાવનાબેનની તસ્વીર)[/caption]
અકસ્માતમાં ભોગ બનનાર પરિવારના પાડોશી કેશુભાઈએ જણાવ્યું હતું કે, આ પરિવારના 9 સભ્યો ધાર્મિક પ્રવાસે આઈસર ટેમ્પોમાં રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા. પરિવારના ચાર બાળકો ગામડેથી સુરત દિવાળી કરવા માટે આવ્યા હતા. મંગળવારે સવારે કામરેજ હનુમાન મંદિરે દર્શન કરવા ગયું હતું. ત્યારબાદ રાત્રે ડાકોર, વડતાલ અને પાવાગઢ જવાનું હોવાથી રસોઈ બનાવી લઈ તમામ તૈયારીઓ કરી લીધી હતી. રાત્રે અકસ્માત થયો અને સવારે સમાચાર જોતા ધટનાની જાણ થઈ હતી.
હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ રત્નકલાકાર હતો
પાડોશી કેશુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હરેશભાઈ જીંજાળા અને બટુકભાઈ જીંજાળા સુરતમાં રહેતા હતા. જ્યારે અન્ય ત્રણ ભાઈ વતન રાજુલામાં રહેતા હતા. હરેશભાઈ સહિત પરિવારના તમામ સભ્યોનો સ્વભાવ ખૂબ જ સારો હતો. છેલ્લા 20થી વધુ વર્ષથી અહીં રહે છે. સોસાયટીના તમામ સભ્યો સાથે પરિવારની જેમ જ રહેતા હતા. હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ જેઠાભાઇ જીંજાળા રત્નકલાકાર હતો અને તેની સગાઈ થઈ ગઈ હતી. દિવાળી બાદ બે મહિનામાં તેના લગ્ન થવાના હતા.
મૂળ રાજુલાના રહેવાસી જીંજાળા પરિવાર 20 વર્ષ કરતા વધુ સમયથી સુરતમાં રહેતો હતો
ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આ લોકો મૂળ રાજુલાની આસપાસનાં ગામોના વતની હતા. છેલ્લાં 20 વર્ષ કરતા વધુ સમયથી સુરતમાં રહેતા હતા. સુરતના પુણા ગામ પાસે આવેલા આશાનગરમાં રહેતા હતા. હીરા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે, પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોનાં મૃત્યુ થતાં સુરતના પુણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકોની યાદી
1 - દયાબેન બટુકભાઈ જીંજાળા - 38
2 - સચિન અરસીભાઇ બલદાણીયા - 30
3 - ભૌતિક ખોડાભાઈ જીંજાળા - 16
4 - દક્ષાબેન ઘનશયામભાઈ કલસારિયા - 35
5 - ભવ્ય બીજલભાઈ હડિયા - 10
6 - દિનેશભાઇ દુધાભાઇ બલદાણીયા - 35
7 - આરતીબેન ખોડાભાઈ જીંજાળા - 18
8 - પ્રિન્સ ઘનશ્યામભાઈ કલસારિયા - 12
9 - હંસાબેન ખોડાભાઈ જીંજાળા - 38
10 - સોનલબેન બીજલભાઈ હડિયા - 35
11 - સુરેશ જેઠાભાઇ જીંજાળા - 38
સુરતથી 25 જેટલા લોકો ડાકોર, વડતાલ અને પાવાગઢ દર્શન કરવા માટે ગત રાત્રે 11 વાગે આઇસર ટેમ્પોમાં નિકળ્યાં હતા
વાઘોડીયા પાસે કન્ટેનરની પાછળ આઇસર ટેમ્પો ભટકાતા એક જ પરિવારના 5 સહીત 11 લોકોએ જીવ ગુમાવ્યાં
વડોરામાં અકસ્માતથી સુરતમાં માતમ છવાયુ
અકસ્માતમાં ગંભરી રીતે ઘવાયેલા ચાર લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
વડોદરા. મોડી રાત્રે નેશનલ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી 11 લોકોએ જીવ ગુમાવ્યાં હોવાની સત્તાવાર માહિતી મળી રહીં છે. આ અકસ્માત 3 માતા અને પુત્રઓએ પણ જીવ ગુમવ્યાં છે. જ્યારે સુરેશની સગાઇ થઇ ગઇ હોવાથી બે મહિનામાં તેના લગ્ન થવાના હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતુ.
સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી આશાનગર સોસાયટીમાંથી ઘર નંબર 38માંથી જીંઝાલા પરિવારના 9 જણાં ડાકોર, વડતાલ અને પાવાગઢના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર આઈસર ટેમ્પોમાં રાત્રે નીકળ્યો હતો. દરમિયાન વડોદરા પાસે નેશનલ હાઇવે પર આઈસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. જેમાં આ જીંજાળા પરિવારમાંથી સુરેશ, નેન્સી, ઉત્તમ, સહિત 5ના મોત થયા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્ત થયા છે.
[caption id="attachment_15551" align="aligncenter" width="810"] (આરતીબેન, નેન્સી, દયાબેન અને ભાવનાબેનની તસ્વીર)[/caption]
અકસ્માતમાં ભોગ બનનાર પરિવારના પાડોશી કેશુભાઈએ જણાવ્યું હતું કે, આ પરિવારના 9 સભ્યો ધાર્મિક પ્રવાસે આઈસર ટેમ્પોમાં રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા. પરિવારના ચાર બાળકો ગામડેથી સુરત દિવાળી કરવા માટે આવ્યા હતા. મંગળવારે સવારે કામરેજ હનુમાન મંદિરે દર્શન કરવા ગયું હતું. ત્યારબાદ રાત્રે ડાકોર, વડતાલ અને પાવાગઢ જવાનું હોવાથી રસોઈ બનાવી લઈ તમામ તૈયારીઓ કરી લીધી હતી. રાત્રે અકસ્માત થયો અને સવારે સમાચાર જોતા ધટનાની જાણ થઈ હતી.
હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ રત્નકલાકાર હતો
પાડોશી કેશુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હરેશભાઈ જીંજાળા અને બટુકભાઈ જીંજાળા સુરતમાં રહેતા હતા. જ્યારે અન્ય ત્રણ ભાઈ વતન રાજુલામાં રહેતા હતા. હરેશભાઈ સહિત પરિવારના તમામ સભ્યોનો સ્વભાવ ખૂબ જ સારો હતો. છેલ્લા 20થી વધુ વર્ષથી અહીં રહે છે. સોસાયટીના તમામ સભ્યો સાથે પરિવારની જેમ જ રહેતા હતા. હરેશભાઈનો પિતરાઈ ભાઈ સુરેશ જેઠાભાઇ જીંજાળા રત્નકલાકાર હતો અને તેની સગાઈ થઈ ગઈ હતી. દિવાળી બાદ બે મહિનામાં તેના લગ્ન થવાના હતા.
મૂળ રાજુલાના રહેવાસી જીંજાળા પરિવાર 20 વર્ષ કરતા વધુ સમયથી સુરતમાં રહેતો હતો
ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આ લોકો મૂળ રાજુલાની આસપાસનાં ગામોના વતની હતા. છેલ્લાં 20 વર્ષ કરતા વધુ સમયથી સુરતમાં રહેતા હતા. સુરતના પુણા ગામ પાસે આવેલા આશાનગરમાં રહેતા હતા. હીરા ઉદ્યોગમાં નોકરી કરતા હતા. રાત્રે 11 વાગ્યે નીકળ્યા હતા અને પાવાગઢ દર્શન કરીને ડાકોર દર્શન કરવા જવાના હતા. જોકે, પાવાગઢ પહોંચે એ પહેલાં જ અકસ્માત થયો હતો. રાત્રે વડોદરા પાસે અકસ્માત થયો હતો, જેમાં 11 લોકોનાં મૃત્યુ થતાં સુરતના પુણા ગામમાં રહેતા પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.