રાવપુરા રોડ ટાવર નજીકની બે માળની ઇમારાત ભર બપોરે અચાનક ધરાશાયી થઇ હતી.
આ દુર્ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની પહોંચી ન હતી.
બે માળની ઇમારત ધરાશાયી થતાં રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓનો આબાદ બચાવ થયો
ઇમારત ધરાશાયી થતા આસપાસમાં રહેતા લોકો અને દુકાનદારે બહાર દોડી આવ્યાં હતા.
[caption id="attachment_1396263" align="aligncenter" width="1280"] Vadodara Raopura Road Building Collapse[/caption]
WatchGujarat. ગત મોડી રાત્રે વડોદરામાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. માત્ર કલાકમાં શહેરમાં ત્રણ ઇંચ વરસાદ પડતા અનેક સ્થળો જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા હોવાની ફરીયાદ મળી હતી. તેવામાં ભારે વરસાદના કારણે રાવપુરા રોડ પરની બે માળની જર્જરીત ઇમારાત આજે બપોરે અચાનક ધરાશાયી થતા તંત્રમાં દોડધામ મચી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇને જાનહાની પહોંચી ન હતી.
https://youtu.be/KmLfL4MhxZk
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના રાવપુરા રોડના મુખ્ય માર્ગ પર આવેલી જર્જરીત ઇમારત આજે બપોરના સમયે અચાનક ધરાશાયી થઇ હતી. ઇમારાત ધરાશાયી થતાં રસ્તા પરથી પસાર થતાં રાહદરીઓનો બાલબાલ જીવ બચ્યો હતો. જોકે આ જર્જરીત ઇમારતમાં કોઇ પણ રહેતુ ન હતુ અને નિચે આવેલી દુકાનો પણ બંધ હોવાનુ જાણવા મળ્યું છે. ઇમારાત ધડાકાભેર ધરાશાયી થતાં એક તબક્કે તો આસપાસમાં રહેતા લોકો અને દુકાનદારો બહાર દોડી આવ્યં હતા. જ્યારે રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો પણ થંભી ગયા હતા.
બનાવને પગલે ફાયર બ્રીગેડ અને પાલિકાના અધિકારીઓને જાણ કરતા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે.
રાવપુરા રોડ ટાવર નજીકની બે માળની ઇમારાત ભર બપોરે અચાનક ધરાશાયી થઇ હતી.
આ દુર્ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની પહોંચી ન હતી.
બે માળની ઇમારત ધરાશાયી થતાં રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓનો આબાદ બચાવ થયો
ઇમારત ધરાશાયી થતા આસપાસમાં રહેતા લોકો અને દુકાનદારે બહાર દોડી આવ્યાં હતા.
[caption id="attachment_1396263" align="aligncenter" width="1280"] Vadodara Raopura Road Building Collapse[/caption]
WatchGujarat. ગત મોડી રાત્રે વડોદરામાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. માત્ર કલાકમાં શહેરમાં ત્રણ ઇંચ વરસાદ પડતા અનેક સ્થળો જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા હોવાની ફરીયાદ મળી હતી. તેવામાં ભારે વરસાદના કારણે રાવપુરા રોડ પરની બે માળની જર્જરીત ઇમારાત આજે બપોરે અચાનક ધરાશાયી થતા તંત્રમાં દોડધામ મચી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇને જાનહાની પહોંચી ન હતી.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના રાવપુરા રોડના મુખ્ય માર્ગ પર આવેલી જર્જરીત ઇમારત આજે બપોરના સમયે અચાનક ધરાશાયી થઇ હતી. ઇમારાત ધરાશાયી થતાં રસ્તા પરથી પસાર થતાં રાહદરીઓનો બાલબાલ જીવ બચ્યો હતો. જોકે આ જર્જરીત ઇમારતમાં કોઇ પણ રહેતુ ન હતુ અને નિચે આવેલી દુકાનો પણ બંધ હોવાનુ જાણવા મળ્યું છે. ઇમારાત ધડાકાભેર ધરાશાયી થતાં એક તબક્કે તો આસપાસમાં રહેતા લોકો અને દુકાનદારો બહાર દોડી આવ્યં હતા. જ્યારે રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો પણ થંભી ગયા હતા.
બનાવને પગલે ફાયર બ્રીગેડ અને પાલિકાના અધિકારીઓને જાણ કરતા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે.