પોલીસે ભાવીન સોનીનુ નિવેદન લેતા ચોંકવનારા ખુલાસા થયા
સોની પરિવાર દેવામાં ઉતરી જતાં સ્વમાલિકીનુ મકાન રૂ. 40 લાખમાં વેચવા કાઢ્યું હતુ.
કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા ગટગટાવતા 6 પૈકી ત્રણના મોત નિપજ્યાં હતા.
સમા પોલીસે 9 જ્યોતિષો સામે છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી
નરેન્દ્રભાઇ સોનીએ તેમના હાથે પૌત્ર પાર્થને ઝેરી દવા નાખેલી કોલ્ડ ડ્રિંક્સ પીવડાવી હતી.
[caption id="attachment_576019" align="aligncenter" width="907"] (નરેન્દ્રભાઇ સોની)[/caption]
WatchGujarat શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવાર આર્થિક ભીંસમાં આવી જતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દાદા, પૌત્ર અને પુત્રીનુ મોત નિપજ્યું હતુ. જ્યારે માતા-પુત્ર અને પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે મૃતક નરેન્દ્રભાઇ સોનીના પુત્ર ભાવીનનુ હોસ્પિટલમાં નિવેદન લેતા ચોંકવનારી વિગતો સામે આવી હતી.
સમગ્ર ઘટના અંગે સમા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.ડી પરમારે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આર્થિક પરિસ્થિતિ પડી ભાંગતા સોની પરિવાર માટે ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યું હતુ. તેવામાં ઘરના મોભી નરેન્દ્રભાઇ સોનીએ સ્વમાલિકીનુ મકાન રૂ. 40 લાખમાં વેચવા માટે કાઢ્યું હતુ. પરંતુ કોઇ કારણોસર મકાન વેચાયુ ન હતુ. જેથી તેમણે એક બાદ એક જ્યોતિષીનો સંપર્ક સાધવાનુ શરૂ કર્યું હતુ. જેમાં વાસ્તુ દોષ તેમજ જુદા જુદા વિધ્નો દુર કરવાના બહાને એક વર્ષમાં 9 જ્યોતિષિઓએ નરેન્દ્રભાઇ પાસેથી રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા.
પહેલાથી જ પરિવાર આર્થિક ભીંસમાં હતો તેવામાં રૂ. 32 લાખનો વધુ બોજ આવી પડતા સોની પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં નરેન્દ્રભાઇ તેમની 16 વર્ષીય પુત્રી અને 4 વર્ષીય પૌત્રનુ અવસાન થયું છે. સોની પરિવારના તમામ સભ્યો પોતાની જાતે કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવેલી ઝેરી દવા ગટગટાવી હતી, પરંતુ 4 વર્ષીય પૌત્ર પાર્થને તેના દાદા (નરેન્દ્રભાઇ)એ દવા પીવડાવી હોવાનુ ભાવીન સોનીએ પોલીસને જણાવ્યું છે.
જેથી સમા પોલીસે ભાવીન સોનીના નિવેદનના આધારે મૃતક નરેન્દ્રભાઇ સોની સામે પૌત્રની હત્યાનો ગુનો નોંધ્યો છે. તથા રૂ. 32 લાખ ખંખેરી લેનાર 9 પાખંડી જ્યોતિષો વિરૂદ્ધ પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધોખોળ હાથ ધરી છે.
પોલીસે ભાવીન સોનીનુ નિવેદન લેતા ચોંકવનારા ખુલાસા થયા
WatchGujarat શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવાર આર્થિક ભીંસમાં આવી જતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દાદા, પૌત્ર અને પુત્રીનુ મોત નિપજ્યું હતુ. જ્યારે માતા-પુત્ર અને પત્ની હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે મૃતક નરેન્દ્રભાઇ સોનીના પુત્ર ભાવીનનુ હોસ્પિટલમાં નિવેદન લેતા ચોંકવનારી વિગતો સામે આવી હતી.
સમગ્ર ઘટના અંગે સમા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર પી.ડી પરમારે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આર્થિક પરિસ્થિતિ પડી ભાંગતા સોની પરિવાર માટે ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યું હતુ. તેવામાં ઘરના મોભી નરેન્દ્રભાઇ સોનીએ સ્વમાલિકીનુ મકાન રૂ. 40 લાખમાં વેચવા માટે કાઢ્યું હતુ. પરંતુ કોઇ કારણોસર મકાન વેચાયુ ન હતુ. જેથી તેમણે એક બાદ એક જ્યોતિષીનો સંપર્ક સાધવાનુ શરૂ કર્યું હતુ. જેમાં વાસ્તુ દોષ તેમજ જુદા જુદા વિધ્નો દુર કરવાના બહાને એક વર્ષમાં 9 જ્યોતિષિઓએ નરેન્દ્રભાઇ પાસેથી રૂ. 32 લાખ ખંખેરી લીધા હતા.
પહેલાથી જ પરિવાર આર્થિક ભીંસમાં હતો તેવામાં રૂ. 32 લાખનો વધુ બોજ આવી પડતા સોની પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં નરેન્દ્રભાઇ તેમની 16 વર્ષીય પુત્રી અને 4 વર્ષીય પૌત્રનુ અવસાન થયું છે. સોની પરિવારના તમામ સભ્યો પોતાની જાતે કોલ્ડ ડ્રિંક્સમાં ભેળવેલી ઝેરી દવા ગટગટાવી હતી, પરંતુ 4 વર્ષીય પૌત્ર પાર્થને તેના દાદા (નરેન્દ્રભાઇ)એ દવા પીવડાવી હોવાનુ ભાવીન સોનીએ પોલીસને જણાવ્યું છે.
જેથી સમા પોલીસે ભાવીન સોનીના નિવેદનના આધારે મૃતક નરેન્દ્રભાઇ સોની સામે પૌત્રની હત્યાનો ગુનો નોંધ્યો છે. તથા રૂ. 32 લાખ ખંખેરી લેનાર 9 પાખંડી જ્યોતિષો વિરૂદ્ધ પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તેમની શોધોખોળ હાથ ધરી છે.