સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારના 6 સભ્યો એક સાથે ઝેરી દવા ગટગટાવી
આર્થિક ભીંસમાં આવી જતા પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ધંધો ઠપ્પ થઇ જતા ડુપ્લેક્ષ વેચવા કાઢ્યું સોદો પણ નક્કી થયો અને અંતે કેન્સલ કર્યો
સામૂહિક આપઘાતના પ્રયાસમાં પરિવારના ત્રણ સભ્યોના મોત, જ્યારે ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
WatchGujarat શહેરના સમા વિસ્તારમાં સાંજના સમયે બનેલી ઘટના સૌ કોઇને હચમચાવી નાખનાર દુખઃદ ઘટના છે. આર્થિક ભીંસમાં આવી ગયેલા એક જ પરિવારના 6 સભ્યોએ જીવનનો અંત લાવવાનુ નક્કી કર્યું અને કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા મેળવી ગટગટાવી લીધી હતી. ત્યાર બાદ પરિવારના જ એક સભ્યએ પોલીસ ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી.
[caption id="attachment_576019" align="aligncenter" width="907"] (નરેન્દ્રભાઇ સોની )[/caption]
શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની પ્લાસ્ટીકની સમગ્રીનો વેપાર કરતા હતા. છેલ્લા એક દોઢ વર્ષથી ધંધામાં આર્થિક મંદી આવતા ઠપ્પ થઇ ગયો હતો. ધંધામાં મંદીના કારણે આખુ પરિવાર આર્થિક ભીંસમાં આવી ગયુ હતુ. નરેન્દ્રભાઇનો પુત્ર ભાવીન કોમ્પ્યૂટરનો જાણકાર હોવાથી તે રિપેરીંગ સહિત અન્ય કોમ્પ્યૂટરનુ કામ કરતો હતો. તેવામાં પરિવારે આર્થિક સંક્રમણમાંથી બહાર નિકળવા માટે પોતાનુ મકાન પણ વેચવા માટે કાઢી નાખ્યું હતુ. જોકે કોઇ કારણોસર તે મકાનનો થયેલો સોદો પણ કેન્સલ કરવો પડ્યો હતો.
[caption id="attachment_574493" align="aligncenter" width="1280"] (આ રીતે ઘરના તમામ સભ્યોએ કોલ્ડ ડ્રીન્ક્સમાં ઝેરી દવા મેળવી ગટગટાવી લીધી )[/caption]
તેવામાં આજે સોની પરિવારના માસૂમ બાળક સહિત 6 સભ્યોએ કોલ્ડ ડ્રીન્ક્સમાં ઝેરી દવા મેળવી જીવનનો અંત લાવવાનુ નક્કી કરી લીધું હતુ. દરમિયાન સાંજે પાંચ વાગ્યાની આસપાસ સોની પરિવારના 6 સભ્યોએ કોલ્ડ ડ્રિંક્સમાં મેળવેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ ઘરના એક મોભીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું “અમે બધાએ ઝેર પી લીધુ છે, ઘરને તાળુ માર્યું છે અને ચાવી બહાર નાખી છે.” પોલીસ કંટ્રોલ રૂમમાં આ ફોન આવતા જ સ્થાનિક પોલીસને તાત્કાલીક જાણ કરતા તેઓ દોડી આવ્યાં હતા. જ્યાં ઘરનો દરવાજો ખોલતા જ તમામ સભ્યો રૂમમાં નિચે પડેલા જોવા મળ્યાં હતા. જેમની તપાસ કરતા નરેન્દ્રભાઇ સોની તેમની 16 વર્ષીય પુત્રી રીયા અને 4 વર્ષનો પૌત્ર પાર્થ મૃત્યુ પામેલા જણાઇ આવ્યાં હતા. જ્યારે ભાવીન સોની તેની માતા ઉર્વશીબેન અને પત્ની દિપ્તીબેન અર્ધબેભાન હાલતમાં મળી આવતા તેઓ તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહીં હોવાનુ જાણવા મળી રહ્યું છે.
આ દરમિયાન સ્વાતિ સોસાયટીમાં એક એવી વ્યક્તિ પહોંચી હતી, જેના જણાવ્યાં અનુસાર સોની પરિવાર આર્થીક ભીંસમાં હોવાની વાતને સમર્થન મળ્યું હતુ. આર્થિક ભીંસમાં આવી ગયેલા સોની પરિવારે સ્વાતિ સોસાયટીમાં આવેલુ પોતાનુ મકાન રૂ. 27 લાખમાં વેચવા કાઢ્યું હતુ. જેથી ભરત વાઘેલા નામના યુવક સાથે આ બાબતે સોદો પણ નક્કી થતા તેણે એડવાન્સ પેટે રૂ. 2 લાખ સોની પરિવારને ચુંકવ્યાં હતા. જોકે એકા એક સોની પરિવારે આ સોદો કેન્સલ કરી એડવન્સ પેટેલ લીધેલી રકમ પણ પરત કરી હતી. જેમાં બે લાખમાંથી એક લાખ રોકડા અને એક લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. જેથી ભરત વાઘેલાએ સોની પરિવારને આ બાબતે જાણ કરતા તેમણે આજે રૂપિયા લેવા માટે ભરતને સાંજે ઘરે બોલાવ્યો હતો. ભરત વાઘેલા સ્વાતિ સોસાયટીમાં પહોંચે તે પહેલા જ સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
[caption id="attachment_576056" align="aligncenter" width="1280"] (ભરત વાઘેલા સોની પરિવારનુ મકાન ખરીદનાર)[/caption]
સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં સોની પરિવારના 6 સભ્યો એક સાથે ઝેરી દવા ગટગટાવી
આર્થિક ભીંસમાં આવી જતા પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ધંધો ઠપ્પ થઇ જતા ડુપ્લેક્ષ વેચવા કાઢ્યું સોદો પણ નક્કી થયો અને અંતે કેન્સલ કર્યો
સામૂહિક આપઘાતના પ્રયાસમાં પરિવારના ત્રણ સભ્યોના મોત, જ્યારે ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
WatchGujarat શહેરના સમા વિસ્તારમાં સાંજના સમયે બનેલી ઘટના સૌ કોઇને હચમચાવી નાખનાર દુખઃદ ઘટના છે. આર્થિક ભીંસમાં આવી ગયેલા એક જ પરિવારના 6 સભ્યોએ જીવનનો અંત લાવવાનુ નક્કી કર્યું અને કોલ્ડ ડ્રિંક્સમાં ઝેરી દવા મેળવી ગટગટાવી લીધી હતી. ત્યાર બાદ પરિવારના જ એક સભ્યએ પોલીસ ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી.
શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની પ્લાસ્ટીકની સમગ્રીનો વેપાર કરતા હતા. છેલ્લા એક દોઢ વર્ષથી ધંધામાં આર્થિક મંદી આવતા ઠપ્પ થઇ ગયો હતો. ધંધામાં મંદીના કારણે આખુ પરિવાર આર્થિક ભીંસમાં આવી ગયુ હતુ. નરેન્દ્રભાઇનો પુત્ર ભાવીન કોમ્પ્યૂટરનો જાણકાર હોવાથી તે રિપેરીંગ સહિત અન્ય કોમ્પ્યૂટરનુ કામ કરતો હતો. તેવામાં પરિવારે આર્થિક સંક્રમણમાંથી બહાર નિકળવા માટે પોતાનુ મકાન પણ વેચવા માટે કાઢી નાખ્યું હતુ. જોકે કોઇ કારણોસર તે મકાનનો થયેલો સોદો પણ કેન્સલ કરવો પડ્યો હતો.
[caption id="attachment_574493" align="aligncenter" width="1280"] (આ રીતે ઘરના તમામ સભ્યોએ કોલ્ડ ડ્રીન્ક્સમાં ઝેરી દવા મેળવી ગટગટાવી લીધી )[/caption]
તેવામાં આજે સોની પરિવારના માસૂમ બાળક સહિત 6 સભ્યોએ કોલ્ડ ડ્રીન્ક્સમાં ઝેરી દવા મેળવી જીવનનો અંત લાવવાનુ નક્કી કરી લીધું હતુ. દરમિયાન સાંજે પાંચ વાગ્યાની આસપાસ સોની પરિવારના 6 સભ્યોએ કોલ્ડ ડ્રિંક્સમાં મેળવેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ ઘરના એક મોભીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું “અમે બધાએ ઝેર પી લીધુ છે, ઘરને તાળુ માર્યું છે અને ચાવી બહાર નાખી છે.” પોલીસ કંટ્રોલ રૂમમાં આ ફોન આવતા જ સ્થાનિક પોલીસને તાત્કાલીક જાણ કરતા તેઓ દોડી આવ્યાં હતા. જ્યાં ઘરનો દરવાજો ખોલતા જ તમામ સભ્યો રૂમમાં નિચે પડેલા જોવા મળ્યાં હતા. જેમની તપાસ કરતા નરેન્દ્રભાઇ સોની તેમની 16 વર્ષીય પુત્રી રીયા અને 4 વર્ષનો પૌત્ર પાર્થ મૃત્યુ પામેલા જણાઇ આવ્યાં હતા. જ્યારે ભાવીન સોની તેની માતા ઉર્વશીબેન અને પત્ની દિપ્તીબેન અર્ધબેભાન હાલતમાં મળી આવતા તેઓ તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહીં હોવાનુ જાણવા મળી રહ્યું છે.
આ દરમિયાન સ્વાતિ સોસાયટીમાં એક એવી વ્યક્તિ પહોંચી હતી, જેના જણાવ્યાં અનુસાર સોની પરિવાર આર્થીક ભીંસમાં હોવાની વાતને સમર્થન મળ્યું હતુ. આર્થિક ભીંસમાં આવી ગયેલા સોની પરિવારે સ્વાતિ સોસાયટીમાં આવેલુ પોતાનુ મકાન રૂ. 27 લાખમાં વેચવા કાઢ્યું હતુ. જેથી ભરત વાઘેલા નામના યુવક સાથે આ બાબતે સોદો પણ નક્કી થતા તેણે એડવાન્સ પેટે રૂ. 2 લાખ સોની પરિવારને ચુંકવ્યાં હતા. જોકે એકા એક સોની પરિવારે આ સોદો કેન્સલ કરી એડવન્સ પેટેલ લીધેલી રકમ પણ પરત કરી હતી. જેમાં બે લાખમાંથી એક લાખ રોકડા અને એક લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેન્કમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. જેથી ભરત વાઘેલાએ સોની પરિવારને આ બાબતે જાણ કરતા તેમણે આજે રૂપિયા લેવા માટે ભરતને સાંજે ઘરે બોલાવ્યો હતો. ભરત વાઘેલા સ્વાતિ સોસાયટીમાં પહોંચે તે પહેલા જ સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.