ચિંતન શ્રીપાલી (વડોદરા). કોરોના પોઝિટીવ દર્દીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકારે મોટે ઉપાડે ખરીદેલાં ધમણ વેન્ટીલેટરે જ આજે સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો જીવ જોખમમાં નાંખ્યો હતો. નામ નહીં આપવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં ધમણ-1 વેન્ટિલેટરમાં થયેલી શોર્ટ સર્કિટને કારણે જ આઈ.સી.યુ. 2માં આગ લાગી હતી.
રાજ્ય સરકારે કોરોના મહામારી જેવાં ગંભીર સમયમાં કોરોના પોઝિટીવ દર્દીઓના જીવ બચાવવાના નામે મોટા ઉપાડે દોસ્તી – યારીમાં રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલાં ધમણ વેન્ટીલેટર ખરીદ્યા હતાં. ધમણ કોરોના દર્દીનો જીવ બચાવવામાં કેટલાં કારગર છે? એ અંગે વિવાદ સર્જાયા બાદ રાજ્ય સરકારે ધમણનો ઉપયોગ નહીં થાય તેવાં દાવા કર્યા હતાં. જોકે, આજરોજ સયાજી હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયાં હોય એમ જણાય છે.
સયાજી હોસ્પિટલમાં મોડી સાંજ ટ્રોમા સેન્ટરના પહેલા માળે આવેલા ICU-2માં આગ લાગતા કોરોના દર્દીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી. સાવચેતીના બાગરરૂપે હોસ્પિટલની આખા બિલ્ડીંગની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે સારવાર લઇ રહેલા અન્ય દર્દીઓ પણ ફફડી ઉઠ્યાં હતા. એક તરફ કોરોના દર્દીઓને બચાવવા માટે તબીબો અને નર્સીંગ સ્ટાફ દોડદામ કરી રહ્યું હતુ. ત્યારે બીજી તરફ તંત્ર આગનનુ ચોક્કસ કારણ બતાવવામાં સદંતર નિષ્ફળ સાબીત થયુ હતુ. જ્યારે અધિકારીઓને આગનુ કારણ પુછવામાં આવ્યું ત્યારે તેમણે સરકારી જવાબ (શોર્ટ સર્કીટના કારણે) આપી છુટકારો મેળવી લીધો હતો.
જોકે આ મામલે #watchgujarat ની ટીમે આગનુ ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરતા ચોંકવનારી વિગતો સામે આવી હતી.
સાંજે 7-30 વાગ્યાનો સમય હતો અને સયાજી હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરના પહેલા માળે આગ લાગતા ભાગદોડ મચી હતી. એક તરફ ICU-2માંથી દર્દીઓની સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાં હતા. ત્યારે અંધારામાં હોસ્પિટલના સ્ટાફ અને સિક્યુરીટી ગાર્ડ અચાનક ધુમાડા નિકળતુ બોક્સ લઇ બહાર દોડ્યાં હતા. પહેલી નજરે ચોરસ ખોકા જેવુ દેખાતુ મશીન શુ હતું તેનો કોઇને અંદાજો ન હતો. પરંતુ #watchgujarat ની ટીમને શંકા જતા તપાસનો દોર શરૂ થયો હતો.
જ્યાં આગ લાગી હતી તે હોસ્પિટલના પહેલા માળે ICU-2માં જ્યાં આગ લાગી હતી, ત્યાં કશુ જોવા મળ્યુ ન હતુ. જોકે ICU-2 વોર્ડની બહાર અનેક વેન્ટીલેટર મશીનો પડ્યાં હતા. જેમાંથી એક મશીન હતુ #DHAMAN-1, આ વેન્ટીલેટર મશીન હુબહુ બળી ગયેલા મશીન જેવુ હતુ. જેથી સ્પષ્ટ થયુ કે શોર્ટ સર્કીટ આ મશીનમાં જ થયું છે, જેના કારણે કોરોના દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.
ચિંતન શ્રીપાલી (વડોદરા). કોરોના પોઝિટીવ દર્દીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકારે મોટે ઉપાડે ખરીદેલાં ધમણ વેન્ટીલેટરે જ આજે સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો જીવ જોખમમાં નાંખ્યો હતો. નામ નહીં આપવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં ધમણ-1 વેન્ટિલેટરમાં થયેલી શોર્ટ સર્કિટને કારણે જ આઈ.સી.યુ. 2માં આગ લાગી હતી.
રાજ્ય સરકારે કોરોના મહામારી જેવાં ગંભીર સમયમાં કોરોના પોઝિટીવ દર્દીઓના જીવ બચાવવાના નામે મોટા ઉપાડે દોસ્તી – યારીમાં રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલાં ધમણ વેન્ટીલેટર ખરીદ્યા હતાં. ધમણ કોરોના દર્દીનો જીવ બચાવવામાં કેટલાં કારગર છે? એ અંગે વિવાદ સર્જાયા બાદ રાજ્ય સરકારે ધમણનો ઉપયોગ નહીં થાય તેવાં દાવા કર્યા હતાં. જોકે, આજરોજ સયાજી હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયાં હોય એમ જણાય છે.
સયાજી હોસ્પિટલમાં મોડી સાંજ ટ્રોમા સેન્ટરના પહેલા માળે આવેલા ICU-2માં આગ લાગતા કોરોના દર્દીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી. સાવચેતીના બાગરરૂપે હોસ્પિટલની આખા બિલ્ડીંગની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે સારવાર લઇ રહેલા અન્ય દર્દીઓ પણ ફફડી ઉઠ્યાં હતા. એક તરફ કોરોના દર્દીઓને બચાવવા માટે તબીબો અને નર્સીંગ સ્ટાફ દોડદામ કરી રહ્યું હતુ. ત્યારે બીજી તરફ તંત્ર આગનનુ ચોક્કસ કારણ બતાવવામાં સદંતર નિષ્ફળ સાબીત થયુ હતુ. જ્યારે અધિકારીઓને આગનુ કારણ પુછવામાં આવ્યું ત્યારે તેમણે સરકારી જવાબ (શોર્ટ સર્કીટના કારણે) આપી છુટકારો મેળવી લીધો હતો.
જોકે આ મામલે #watchgujarat ની ટીમે આગનુ ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરતા ચોંકવનારી વિગતો સામે આવી હતી.
સાંજે 7-30 વાગ્યાનો સમય હતો અને સયાજી હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરના પહેલા માળે આગ લાગતા ભાગદોડ મચી હતી. એક તરફ ICU-2માંથી દર્દીઓની સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાં હતા. ત્યારે અંધારામાં હોસ્પિટલના સ્ટાફ અને સિક્યુરીટી ગાર્ડ અચાનક ધુમાડા નિકળતુ બોક્સ લઇ બહાર દોડ્યાં હતા. પહેલી નજરે ચોરસ ખોકા જેવુ દેખાતુ મશીન શુ હતું તેનો કોઇને અંદાજો ન હતો. પરંતુ #watchgujarat ની ટીમને શંકા જતા તપાસનો દોર શરૂ થયો હતો.
જ્યાં આગ લાગી હતી તે હોસ્પિટલના પહેલા માળે ICU-2માં જ્યાં આગ લાગી હતી, ત્યાં કશુ જોવા મળ્યુ ન હતુ. જોકે ICU-2 વોર્ડની બહાર અનેક વેન્ટીલેટર મશીનો પડ્યાં હતા. જેમાંથી એક મશીન હતુ #DHAMAN-1, આ વેન્ટીલેટર મશીન હુબહુ બળી ગયેલા મશીન જેવુ હતુ. જેથી સ્પષ્ટ થયુ કે શોર્ટ સર્કીટ આ મશીનમાં જ થયું છે, જેના કારણે કોરોના દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.