લેન્ડ ગ્રેબિંગના ગુના ડામવા કડક બનેલી રાજ્યની ભાજપ સરકાર ભૂમાફિયાને ટિકીટ આપશે?
દોઢ વર્ષ અગાઉ જમીન હડપવાના કેસમાં દિનેશ રબારીએ જેલવાસ ભોગવ્યો.
જિલ્લા એલસીબીએ ગુનો નોંધતાં દિનેશ રબારીને મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરાયા હતા.
Watch Gujarat. રાજ્ય સરકાર લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ ડામી દેવા માટે કડક કાયદો લાવી છે પરંતુ, બીજી તરફ ભૂમાફિયાઓને ભાજપમાં આગવું સ્થાન આપવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં શિનોર – 2 બેઠક પર ભૂમાફિયા દિનેશ રબારીએ દાવેદારી નોંધાવી છે ત્યારે સ્થાનિક ભાજપી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા જિલ્લામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે અંતર્ગત શિનોર તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા એનઆરઆઈની જમીન પચાવી પાડવાના કાંડમાં સંડોવાયેલા ભૂમાફિયા દિનેશ સવાભાઈ રબારીએ પણ નિરીક્ષક સમક્ષ દાવેદારી નોંધાવી હતી.
દોઢ વર્ષ અગાઉ દિનેશ રબારી બોગસ દસ્તાવેજોથી જમીન હડપી લેવાના કેસમાં એક માસ 10 દિવસ જેલવાસ ભોગવી ચૂક્યા હતાં. તે સમયે તેઓ મહામંત્રીનો હોદ્દો ભોગવતાં હતાં. અને એલસીબીએ ગુનો દાખલ કરતાં તેઓને મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં.
તાલુકા ભાજપના અગ્રણીઓના મતે કેસ જુનો થઈ ગયો હોવાથી દિનેશ રબારીને પુનઃ પક્ષમાં લેવામાં આવ્યા હોવાની કેફિયત વ્યક્ત કરાય છે. એકંદરે, ભાજપના ઉમેદવાર તરીકે ભૂમાફિયા તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં મેદાનમાં ઝંપલાવે તો નવાઈ નહીં.
Watch Gujarat. રાજ્ય સરકાર લેન્ડ ગ્રેબિંગના ગુનાઓ ડામી દેવા માટે કડક કાયદો લાવી છે પરંતુ, બીજી તરફ ભૂમાફિયાઓને ભાજપમાં આગવું સ્થાન આપવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં શિનોર – 2 બેઠક પર ભૂમાફિયા દિનેશ રબારીએ દાવેદારી નોંધાવી છે ત્યારે સ્થાનિક ભાજપી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા જિલ્લામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે અંતર્ગત શિનોર તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા એનઆરઆઈની જમીન પચાવી પાડવાના કાંડમાં સંડોવાયેલા ભૂમાફિયા દિનેશ સવાભાઈ રબારીએ પણ નિરીક્ષક સમક્ષ દાવેદારી નોંધાવી હતી.
દોઢ વર્ષ અગાઉ દિનેશ રબારી બોગસ દસ્તાવેજોથી જમીન હડપી લેવાના કેસમાં એક માસ 10 દિવસ જેલવાસ ભોગવી ચૂક્યા હતાં. તે સમયે તેઓ મહામંત્રીનો હોદ્દો ભોગવતાં હતાં. અને એલસીબીએ ગુનો દાખલ કરતાં તેઓને મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં.
તાલુકા ભાજપના અગ્રણીઓના મતે કેસ જુનો થઈ ગયો હોવાથી દિનેશ રબારીને પુનઃ પક્ષમાં લેવામાં આવ્યા હોવાની કેફિયત વ્યક્ત કરાય છે. એકંદરે, ભાજપના ઉમેદવાર તરીકે ભૂમાફિયા તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં મેદાનમાં ઝંપલાવે તો નવાઈ નહીં.