વહેલી સવારે કપૂરાઇ ચોકડી પાસે વર્ના કારના ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કાર ડીવાઇડર કૂદી સામે તરફના રોડ પર આવતી ટ્રક સાથે ભટકાઇ હતી.
સુરત વોર્ડ -14માં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડ્યા હતા અશોક ભાયાણી
અશોક ભાયાણી સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં
WatchGujarat. કોરોનાની પહેલી લહેરમાં જ ગુજરાતના મોટા શહેરોમાં પરિસ્થિતિ વણસી હતી. તેવામાં મોટા ભાગમાંથી શહેરોમાં વસતા લોકો કોરોનાથી બચવા માટે પોતાના માદરે વતન જતા રહ્યા હતા. એક વર્ષ બાદ જ્યારે કોરોનાની બીજી લહેર આવી છે. તેવામાં શહેરો કરતાં સૌથી ખરાબ હાલત ગામડાઓની છે, શહેરોમાં તો સારવાર કરવા માટે ખાનગી અને સરકારી હોસ્પિટલો છે. પરંતુ કફોડી હાલત બની છે ગામડાઓની ગામડાઓમાં હોસ્પિટલોની અપૂરતી સુવિધાઓના કારણે ગામના લોકોને હવે ઈલાજ માટે સુરત અને અન્ય મોટા શહેરોમાં જવાની નોબત ઊભી થઈ છે. તેવામાં ધીરે-ધીરે શહેરોમાં તો કોરોનાનો વ્યાપ ઓછો થઈ રહ્યો છે. પરંતુ ગામડાઓની પરિસ્થિતિ આજે પણ એવી જ છે.
કોરોના કારણે ગામડાઓની હાલત કફોડી બનતા સુરતમાં વર્ષોથી વસતા ઉદ્યોગપતિઓ દ્વારા ચાલો વતનની વહારે નામની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સુરતથી ૩૦ જેટલા ડોક્ટરો અને સ્વયંસેવકો સૌરાષ્ટ્રના ગામડાઓમાં સેવા કરવા માટે પહોંચ્યા હતા. સુરત આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નં-14ના ઉમેદવાર અશોક ગોધાણી પણ માદરે વતનનું ઋણ ચૂકવવા માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા. ગત તા. 9ના રોજ સવારે અશોક ભાયાણી સંજય ગોરાણી અને રાજુભાઈ ગોંડલીયા સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા. સેવા સંસ્થાની ટીમ સાથે જોડાયેલા અશોકભાઈની ટીમનું કામ સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના દર્દીઓને દવા પહોંચાડવાનું અને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અશોકભાઈ અને તેમની ટીમને રાજુલા અને જાફરાબાદની જવાબદારી સોપવામાં આવી હતી. 9 તારીખથી અશોક ગોધાણી ત્રણ વખત સુરત દવા લેવા માટે આવ્યા ગામડાઓમાં સતત સાત દિવસ સેવા આપ્યા બાદ અશોકભાઈ અને તેમની ટીમ પરિવારને મળવા માટે ગઇકાલે મોડી રાત્રે સૌરાષ્ટ્રથી સુરત આવવા માટે નીકળ્યા હતા. જ્યાં વડોદરા હાઈવે પર વહેલી સવારે તેમની કારને એકસીડન્ટ થતા અશોકભાઈ સહિત બીજા બે જણાના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.
https://youtu.be/2seRdGvpbe8
અકસ્માતમાં મૃત્યુ પામેલ અશોક ભાયાણી મનપાના ઇલેક્શનમાં વોર્ડ નંબર 14 માતાવાડી બેઠક પરથી ચૂંટણી લડયા હતા. વોર્ડ નંબર 14 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. આમ આદમી પાર્ટીના ખુબ જ સક્રિય અને અગ્રેસર કાર્યકર તરીકે તેઓ કામ કરી રહ્યા હતા. વોર્ડ નંબર 14 માતાવાડી બેઠક પરથી નજીવા માર્જીગે ચૂંટણી હારી ચૂક્યા હતા.છતાં તેમના વિસ્તારમાં અશોક ભાઈ ભાયાણી પ્રત્યે લોકોમાં ખૂબ જ વિશ્વાસ હતો. લોકોનો આ વિશ્વાસ અને લોકોની સમાજસેવા ની ભાવનાએ તેમને તેમના માદરે વતન સૌરાષ્ટ્ર સેવા કરવા જવા પ્રેરણા પૂરી પાડી હતી.
મળેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે પર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેણે પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતાં જ કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.
સેવા સંસ્થાના સંસ્થાપક મહેશ સવાણી ઘટનાની જાણ થતા તેઓએ દિલગીરી વ્યક્ત કરી હતી મહેશ સવાણી દ્વારા એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા 3 વ્યક્તિઓના પરિવારની ભરણપોષણની જવાબદારી લીધી છે મહેશ સવાણી આ બાબતે જણાવ્યું હતું કે ઘટના ખૂબ જ દુઃખદ છે અને અમે અમારા ટીમના ત્રણ યોદ્ધાઓને ખોઈ દીધા છે. તેમની કમી કોઈપણ દિવસ પૂરી ના કરી શકાય.. આગળ તેમણે જણાવ્યું હતું કે .સેવા પરિવાર તેમની સાથે છે તેમના દીકરા દીકરી ને અભ્યાસ ની જવાબદારી પી પી સવાણી પરિવાર સ્વીકારે છે.અને પરિવારને કોઈ પણ પ્રકારની તકલીફ થવા નહીં દેશે..
વહેલી સવારે કપૂરાઇ ચોકડી પાસે વર્ના કારના ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કાર ડીવાઇડર કૂદી સામે તરફના રોડ પર આવતી ટ્રક સાથે ભટકાઇ હતી.
સુરત વોર્ડ -14માં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડ્યા હતા અશોક ભાયાણી
અશોક ભાયાણી સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં
WatchGujarat. કોરોનાની પહેલી લહેરમાં જ ગુજરાતના મોટા શહેરોમાં પરિસ્થિતિ વણસી હતી. તેવામાં મોટા ભાગમાંથી શહેરોમાં વસતા લોકો કોરોનાથી બચવા માટે પોતાના માદરે વતન જતા રહ્યા હતા. એક વર્ષ બાદ જ્યારે કોરોનાની બીજી લહેર આવી છે. તેવામાં શહેરો કરતાં સૌથી ખરાબ હાલત ગામડાઓની છે, શહેરોમાં તો સારવાર કરવા માટે ખાનગી અને સરકારી હોસ્પિટલો છે. પરંતુ કફોડી હાલત બની છે ગામડાઓની ગામડાઓમાં હોસ્પિટલોની અપૂરતી સુવિધાઓના કારણે ગામના લોકોને હવે ઈલાજ માટે સુરત અને અન્ય મોટા શહેરોમાં જવાની નોબત ઊભી થઈ છે. તેવામાં ધીરે-ધીરે શહેરોમાં તો કોરોનાનો વ્યાપ ઓછો થઈ રહ્યો છે. પરંતુ ગામડાઓની પરિસ્થિતિ આજે પણ એવી જ છે.
કોરોના કારણે ગામડાઓની હાલત કફોડી બનતા સુરતમાં વર્ષોથી વસતા ઉદ્યોગપતિઓ દ્વારા ચાલો વતનની વહારે નામની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં સુરતથી ૩૦ જેટલા ડોક્ટરો અને સ્વયંસેવકો સૌરાષ્ટ્રના ગામડાઓમાં સેવા કરવા માટે પહોંચ્યા હતા. સુરત આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નં-14ના ઉમેદવાર અશોક ગોધાણી પણ માદરે વતનનું ઋણ ચૂકવવા માટે સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા. ગત તા. 9ના રોજ સવારે અશોક ભાયાણી સંજય ગોરાણી અને રાજુભાઈ ગોંડલીયા સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા. સેવા સંસ્થાની ટીમ સાથે જોડાયેલા અશોકભાઈની ટીમનું કામ સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના દર્દીઓને દવા પહોંચાડવાનું અને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અશોકભાઈ અને તેમની ટીમને રાજુલા અને જાફરાબાદની જવાબદારી સોપવામાં આવી હતી. 9 તારીખથી અશોક ગોધાણી ત્રણ વખત સુરત દવા લેવા માટે આવ્યા ગામડાઓમાં સતત સાત દિવસ સેવા આપ્યા બાદ અશોકભાઈ અને તેમની ટીમ પરિવારને મળવા માટે ગઇકાલે મોડી રાત્રે સૌરાષ્ટ્રથી સુરત આવવા માટે નીકળ્યા હતા. જ્યાં વડોદરા હાઈવે પર વહેલી સવારે તેમની કારને એકસીડન્ટ થતા અશોકભાઈ સહિત બીજા બે જણાના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલ અશોક ભાયાણી મનપાના ઇલેક્શનમાં વોર્ડ નંબર 14 માતાવાડી બેઠક પરથી ચૂંટણી લડયા હતા. વોર્ડ નંબર 14 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. આમ આદમી પાર્ટીના ખુબ જ સક્રિય અને અગ્રેસર કાર્યકર તરીકે તેઓ કામ કરી રહ્યા હતા. વોર્ડ નંબર 14 માતાવાડી બેઠક પરથી નજીવા માર્જીગે ચૂંટણી હારી ચૂક્યા હતા.છતાં તેમના વિસ્તારમાં અશોક ભાઈ ભાયાણી પ્રત્યે લોકોમાં ખૂબ જ વિશ્વાસ હતો. લોકોનો આ વિશ્વાસ અને લોકોની સમાજસેવા ની ભાવનાએ તેમને તેમના માદરે વતન સૌરાષ્ટ્ર સેવા કરવા જવા પ્રેરણા પૂરી પાડી હતી.
મળેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે પર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેણે પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતાં જ કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.
સેવા સંસ્થાના સંસ્થાપક મહેશ સવાણી ઘટનાની જાણ થતા તેઓએ દિલગીરી વ્યક્ત કરી હતી મહેશ સવાણી દ્વારા એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા 3 વ્યક્તિઓના પરિવારની ભરણપોષણની જવાબદારી લીધી છે મહેશ સવાણી આ બાબતે જણાવ્યું હતું કે ઘટના ખૂબ જ દુઃખદ છે અને અમે અમારા ટીમના ત્રણ યોદ્ધાઓને ખોઈ દીધા છે. તેમની કમી કોઈપણ દિવસ પૂરી ના કરી શકાય.. આગળ તેમણે જણાવ્યું હતું કે .સેવા પરિવાર તેમની સાથે છે તેમના દીકરા દીકરી ને અભ્યાસ ની જવાબદારી પી પી સવાણી પરિવાર સ્વીકારે છે.અને પરિવારને કોઈ પણ પ્રકારની તકલીફ થવા નહીં દેશે..