ગંધાર રોડ પર નર્મદા કેનાલ નજીક અકસ્માત, ઇજાગ્રસ્તો પૈકી 1 ની હાલત ગંભીર
ફરાર કાર ચાલક પહાજ ગામનો અને નશાની હાલતમાં હોવાની ચર્ચા
વસ્તી ખંડાલીના 4 યુવાનો 2 બાઇક પર પહાજ ગામથી લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહ્યા હતા
WatchGujarat વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના 4 યુવાનો 2 બાઇક પર પહાજ ગામે લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નશામાં રહેલા કાર ચાલકે 120 KM ની ઝડપે કાર હંકારી બન્ને બાઇક ને અડફેટે લીધી હતી. બે બાઇક પર રહેલા 4 યુવાનો ફંગોળાતા 1 નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 3 ઇજાગ્રસ્તો પેકી 1ની હાલત ગંભીર હોય ભરૂચ સારવાર અર્થે ખસેડાયો છે.
વાગરાથી ગંધાર તરફ જતાં માર્ગ પર સાચણ ગામ નજીકની નર્મદાની મુખ્ય નહેર પાસે એક કાર અને બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. વાગરા તરફથી 120 ની સ્પીડ પર કાર ચાલક પૂરપાટ ઝડપે પહાજ તરફ જઈ રહ્યો હતો. સાચણ ગામ નજીકની અકસ્માતની ગોઝારી ઘટનામાં એક બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણ બાઈક સવારોને ઘાયલ અવસ્થામાં વાગરા આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી એકની હાલત વધુ ગંભીર જણાતા ભરૂચ ખાતે રીફર કરાયો છે.
ઘટના સ્થળ પરથી મળતી પ્રાથમિક માહિતી મુજબ વસ્તીખંડાલી ગામના ચાર યુવાનો પહાજ ગામે લગ્ન પ્રસંગ ગયા હતાં. જ્યાં થી પરત ફરતી વેળા પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બંને બાઈકને અડફેટમાં લીધી હતી. ટોયોટા કંપનીની GJ 5 CF 9891 નંબરની કારનો ચાલક 120 ની ઝડપે કાર હંકારી અકસ્માત સર્જી કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.
કાર ચાલક નશાની હાલતમાં અને પહાજ ગામનો હોવાની લોકચર્ચા થઈ રહી છે. અકસ્માતને પગલે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી મૃતક તેમજ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતકનું નામ અહેમદ મન્સૂરી જાણવા મળ્યું હતું. વાગરા પોલીસે આ અંગે તપાસની તજવીજ હાથ ધરી છે. જો કે વાગરાથી પહાજ માત્ર 5 કિમીના અંતરે હોવા છતાં કાર ડ્રાઇવર ને પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે. હાલ તો અકસ્માતને લીધે વસ્તી ખંડાલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
ગંધાર રોડ પર નર્મદા કેનાલ નજીક અકસ્માત, ઇજાગ્રસ્તો પૈકી 1 ની હાલત ગંભીર
ફરાર કાર ચાલક પહાજ ગામનો અને નશાની હાલતમાં હોવાની ચર્ચા
વસ્તી ખંડાલીના 4 યુવાનો 2 બાઇક પર પહાજ ગામથી લગ્ન પ્રસંગ પતાવી પરત ફરી રહ્યા હતા
WatchGujarat વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના 4 યુવાનો 2 બાઇક પર પહાજ ગામે લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નશામાં રહેલા કાર ચાલકે 120 KM ની ઝડપે કાર હંકારી બન્ને બાઇક ને અડફેટે લીધી હતી. બે બાઇક પર રહેલા 4 યુવાનો ફંગોળાતા 1 નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 3 ઇજાગ્રસ્તો પેકી 1ની હાલત ગંભીર હોય ભરૂચ સારવાર અર્થે ખસેડાયો છે.
વાગરાથી ગંધાર તરફ જતાં માર્ગ પર સાચણ ગામ નજીકની નર્મદાની મુખ્ય નહેર પાસે એક કાર અને બે બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. વાગરા તરફથી 120 ની સ્પીડ પર કાર ચાલક પૂરપાટ ઝડપે પહાજ તરફ જઈ રહ્યો હતો. સાચણ ગામ નજીકની અકસ્માતની ગોઝારી ઘટનામાં એક બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણ બાઈક સવારોને ઘાયલ અવસ્થામાં વાગરા આરોગ્યકેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી એકની હાલત વધુ ગંભીર જણાતા ભરૂચ ખાતે રીફર કરાયો છે.
ઘટના સ્થળ પરથી મળતી પ્રાથમિક માહિતી મુજબ વસ્તીખંડાલી ગામના ચાર યુવાનો પહાજ ગામે લગ્ન પ્રસંગ ગયા હતાં. જ્યાં થી પરત ફરતી વેળા પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બંને બાઈકને અડફેટમાં લીધી હતી. ટોયોટા કંપનીની GJ 5 CF 9891 નંબરની કારનો ચાલક 120 ની ઝડપે કાર હંકારી અકસ્માત સર્જી કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.
કાર ચાલક નશાની હાલતમાં અને પહાજ ગામનો હોવાની લોકચર્ચા થઈ રહી છે. અકસ્માતને પગલે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી મૃતક તેમજ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતકનું નામ અહેમદ મન્સૂરી જાણવા મળ્યું હતું. વાગરા પોલીસે આ અંગે તપાસની તજવીજ હાથ ધરી છે. જો કે વાગરાથી પહાજ માત્ર 5 કિમીના અંતરે હોવા છતાં કાર ડ્રાઇવર ને પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે. હાલ તો અકસ્માતને લીધે વસ્તી ખંડાલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.