ગુજરાત વિધાનસભાની કરજણ, મોરબી, અબડાસા, કપરડા, ગઢજા, લીંબડી, ડાંગ અને ધારી બેઠર પર પેટા ચૂંટણી યોજાશે
10 નવેમ્બરમા રોજ આ મતગણતરી થશે
અગાઉ આ બેઠકો પર કોંગ્રેસ જીત મેળવી હતી
કોંગ્રેસ ફરી એક વખત આ બેઠકો પાછી મેળવવા સક્ષમ ઉમેદવારોની શોધમાં
દેશભરમાં કોરોનાના કારણે ભાજપની છબી ખરડાયેલી છે.
બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર ભાજપ માટે સૌથી મોટા પડકાર સાબીત થઇ શકે છે.
ગાંધીનગર. દેશભરમાં કોરોના વાઇરસ ત્રાહીમામ પોકારી રહ્યો છે. ગુજરાતના ચાર પ્રમુખ શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સહીત રાજ્યોમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વકરી રહ્યો છે. કોરોનાની વણસી રહેલી સ્થિતિ પર કાબુ મેળવવામાં કેન્દ્ર સરકાર દેશ ભરમાં સદ્દંતર નિષ્ફળ સાબીત હાલ ભાજપની છબી ખરડાયેલી છે. ત્યારે બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર આગમી દિવસોમાં રાજ્યમાં યોજાનાર 8 બેઠકોના ઉમેદવારોનુ ભાવી નક્કી કરે તેવી પુરી પુરી સંભાવના છે.
કેન્દ્ર સરકાર દ્વારા પહેલા ગુજરાત મોડલ અને બાદમાં વિકાસના નામે મત માગી મોટી જીત હાસીલ કરવામાં સફળ રહીં છે. પરંતુ ગત માર્ચ મહિનાથી અત્યાર સુધી દેશભરમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં ભાજપ સરકાર બિલકુલ નિષ્ફળ સાબીત થઇ છે. કોરોનાનો વ્યાપ અટકાવવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉની જાહેરાત કરી તેમ છતાં તેને ફેલાતો અટકાવી ન શકાયો. દરમિયાન અનેક લોકોના ધંધા-રોજગાર છીનવાઇ ગયા હતા. બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારીએ લોકોનુ જીવવુ હરામ કરી નાખ્યું છે. તેવામાં સરકારી બાબુઓ દ્વારા આવી કપરી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર કરવાનુ ચુંકતા નથી.
આ સંજોગો વચ્ચે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો કરજણ, મોરબી, અબડાસા, કપરડા, ગઢજા, લીંબડી, ડાંગ અને ધારી બેઠર પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી કરાશે તેવી જાહેરાત આજે કરવામાં આવી છે. જોકે અગાઉ આ બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી પોતાનો દબદબો જમાવ્યો હતો. જોકે સંજોગો અને પરિસ્થિતિ બદલાતા કોંગી ધારાસભ્યો સાથે થતી આંતરિક જૂથબંધી અને અંગત નારાજગીના કારણે પોતાના રાજીનામા ધરી દઇ કેસરીયો દારણ કરી લીધો હતો. આ પરિસ્થિત વચ્ચે હવે કોંગ્રેસ ફરી એક વખત આ તમામ બેઠકો પર પંજો લહેરાવા સક્ષમ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં લાગી છે.
ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી કેરસીયો ધારણ કરનારને હાઇકમાન્ડ ટીકીટ આપી ઉમેદવાર બનાવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. જો આવુ કરવામાં આવે તો ભાજપના જ કેટલા નેતાઓની આશાઓ ઉપર પાણી ફેરવાઇ તેવા સંજોગો ઉભા થઇ શકે છે, અને આ નારાજી ભાજપની હાલની ખરડાયેલી પરિસ્થિતિને નુકશાન પહોંચી શકે તેમ છે. તથા તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં દેશ વ્યાપી વિરોધ વંટોળો ઊપડ્યાં છે. આ સંજોગમાં વધુને વધુ બેઠકો પર જીત મેળવવા કોંગ્રેસે કમરકસી છે.
- ગુજરાત વિધાનસભાની કરજણ, મોરબી, અબડાસા, કપરડા, ગઢજા, લીંબડી, ડાંગ અને ધારી બેઠર પર પેટા ચૂંટણી યોજાશે
- 10 નવેમ્બરમા રોજ આ મતગણતરી થશે
- અગાઉ આ બેઠકો પર કોંગ્રેસ જીત મેળવી હતી
- કોંગ્રેસ ફરી એક વખત આ બેઠકો પાછી મેળવવા સક્ષમ ઉમેદવારોની શોધમાં
- દેશભરમાં કોરોનાના કારણે ભાજપની છબી ખરડાયેલી છે.
- બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર ભાજપ માટે સૌથી મોટા પડકાર સાબીત થઇ શકે છે.
ગાંધીનગર. દેશભરમાં કોરોના વાઇરસ ત્રાહીમામ પોકારી રહ્યો છે. ગુજરાતના ચાર પ્રમુખ શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં સહીત રાજ્યોમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વકરી રહ્યો છે. કોરોનાની વણસી રહેલી સ્થિતિ પર કાબુ મેળવવામાં કેન્દ્ર સરકાર દેશ ભરમાં સદ્દંતર નિષ્ફળ સાબીત હાલ ભાજપની છબી ખરડાયેલી છે. ત્યારે બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર આગમી દિવસોમાં રાજ્યમાં યોજાનાર 8 બેઠકોના ઉમેદવારોનુ ભાવી નક્કી કરે તેવી પુરી પુરી સંભાવના છે.
કેન્દ્ર સરકાર દ્વારા પહેલા ગુજરાત મોડલ અને બાદમાં વિકાસના નામે મત માગી મોટી જીત હાસીલ કરવામાં સફળ રહીં છે. પરંતુ ગત માર્ચ મહિનાથી અત્યાર સુધી દેશભરમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં ભાજપ સરકાર બિલકુલ નિષ્ફળ સાબીત થઇ છે. કોરોનાનો વ્યાપ અટકાવવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉની જાહેરાત કરી તેમ છતાં તેને ફેલાતો અટકાવી ન શકાયો. દરમિયાન અનેક લોકોના ધંધા-રોજગાર છીનવાઇ ગયા હતા. બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારીએ લોકોનુ જીવવુ હરામ કરી નાખ્યું છે. તેવામાં સરકારી બાબુઓ દ્વારા આવી કપરી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર કરવાનુ ચુંકતા નથી.
આ સંજોગો વચ્ચે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો કરજણ, મોરબી, અબડાસા, કપરડા, ગઢજા, લીંબડી, ડાંગ અને ધારી બેઠર પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી કરાશે તેવી જાહેરાત આજે કરવામાં આવી છે. જોકે અગાઉ આ બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી પોતાનો દબદબો જમાવ્યો હતો. જોકે સંજોગો અને પરિસ્થિતિ બદલાતા કોંગી ધારાસભ્યો સાથે થતી આંતરિક જૂથબંધી અને અંગત નારાજગીના કારણે પોતાના રાજીનામા ધરી દઇ કેસરીયો દારણ કરી લીધો હતો. આ પરિસ્થિત વચ્ચે હવે કોંગ્રેસ ફરી એક વખત આ તમામ બેઠકો પર પંજો લહેરાવા સક્ષમ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં લાગી છે.
ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી કેરસીયો ધારણ કરનારને હાઇકમાન્ડ ટીકીટ આપી ઉમેદવાર બનાવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. જો આવુ કરવામાં આવે તો ભાજપના જ કેટલા નેતાઓની આશાઓ ઉપર પાણી ફેરવાઇ તેવા સંજોગો ઉભા થઇ શકે છે, અને આ નારાજી ભાજપની હાલની ખરડાયેલી પરિસ્થિતિને નુકશાન પહોંચી શકે તેમ છે. તથા તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં દેશ વ્યાપી વિરોધ વંટોળો ઊપડ્યાં છે. આ સંજોગમાં વધુને વધુ બેઠકો પર જીત મેળવવા કોંગ્રેસે કમરકસી છે.