એશિયાનાં સૌથી મોટા ગીરનાર રોપ-વેનું PM મોદી ઈ-લોકાર્પણ
ખેડૂતોને દિવસે વીજળી મળે તેની કિસાન સૂર્યોદય યોજનાનું લોકર્પણ
અમદાવાદ ખાતે બાળકો માટે અદ્યતન હાર્ટ હોસ્પિટલનું ઈ લોકર્પણ
જૂનાગઢ : દેશનાં વડાપ્રધાન મોદીએ ત્રણ યોજનાઓનું ઈ-લોકાર્પણ કર્યું છે. જેમાં એશિયાનાં સૌથી મોટા ગીરનાર રોપ-વે તેમજ ખેડૂતોને દિવસે વીજળી મળે તેની કિસાન સૂર્યોદય યોજના ઉપરાંત બાળકો માટેની અદ્યતન હાર્ટ હોસ્પિટલનો સમાવેશ થાય છે. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ જૂનાગઢ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા છે.
રોપવે બનવાથી સૌને દર્શનનો અવસર મળશે : મોદી
ગીરનાર પર્વત પર બનેલા રોપવે અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ ગુજરાતનો ચોથો રોપવે પ્રોજેકટ છે. ગીરનાર પર્વત પર માં અંબા, ગુરુ દત્તાત્રેય અને જૈન મંદિર પણ છે. જોકે વિપક્ષે અડચણો ઉભી કરવાના કારણે આ સુવિધા મળવામાં ઘણું મોડું થયું છે. પરંતુ આ સુવિધા શરૂ થવાથી શારીરિક અશક્ત હોય તેવા લોકો પણ ગીરનાર પર્વત પર આવેલા ધાર્મિક સ્થળો સુધી સરળતાથી પહોંચી શકશે.
ગીરનાર પરનાં રોપ-વે દ્વારા 2.3કિ.મી.નું અંતર 7 મિનિટમાં કાપી શકાશે
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા માત્ર 7 મિનિટમાં કાપી શકાશે. રોપ-વેમાં ગ્લાસ ફ્લોરિંગની કેબીન જેવા 25 જેટલા કોચ છે અને તેના પરિવહન માટે 9 ટાવર પણ ઉભા કરાયા છે. દરેક કોચમાં એક સાથે 8 પેસેન્જર બેસી શકશે. આ રોપ-વે માત્ર એક કલાકમાં 8,00 સહિત દરરોજના 8,000 પેસેન્જરને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રોપ-વે પેસેન્જર્સને 900 મીટરની ઊંચાઈ સુધી લઈ જશે. જે 5000 પગથિયા જેટલી ઊંચાઈ થાય છે. રોપ વેનો સૌથી ઊંચો પિલ્લર 66 મીટર ઊંચો છે. 50 વર્ષની અનુભવી ઉષા બ્રેકો કંપની દ્વારા અંદાજિત રૂ. 130 કરોડના ખર્ચે રોપ-વે બનાવાયો છે, જેનું સંચાલન તેમજ જાળવણી પણ કંપની દ્વારા કરવામાં આવનાર છે.
હાર્ટનાં દર્દીઓને સારવાર માટે ગુજરાત બહાર નહીં જવું પડે : PM મોદી
આજે વડાપ્રધાન મોદીએ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. અને જણાવ્યું હતું કે, હવે હૃદયરોગનાં દર્દીને ગુજરાત બહાર નહીં જવું પડે. રાજ્યમાં જ તેને વિશ્વ કક્ષાની આધુનિક સારવાર મળશે. આ હોસ્પિટલમાં 1251 બેડમાં હ્દય, ફેફસાંના ટ્રાન્સપ્રલાન્ટ સહિતની તમામ આધુનિક સુવિધાઓ છે. આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ આ યુ.એન. મહેતા હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગનાં દર્દીઓની સંપૂર્ણ સારવાર કરવામાં આવશે.
ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રે ઉજાગરા નહીં કરવા પડે : PM મોદી
ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. જેનું ઈ-લોકાર્પણ પણ વડાપ્રધાનનાં હસ્તે કરાયું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, હવે ખેડૂતોને રાત ઉજાગરા નહીં કરવા પડે. ઉલ્લેખનીય છેકે, કિસાન સંઘ સહિતની ખેડૂત સંસ્થાઓ દ્વારા ખેડૂતોને દિવસનાં સમયે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારનાં સહયોગથી કિસાન સર્વોદય યોજના શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, મધ્ય ગુજરાતનાં દાહોદ અને ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનાં ખેડૂતોને મળશે. બાદમાં ક્રમશ રાજ્યનાં તમામ ગામનાં ખેડૂતો સુધી આ યોજના પહોંચાડવામાં આવનાર છે.
- એશિયાનાં સૌથી મોટા ગીરનાર રોપ-વેનું PM મોદી ઈ-લોકાર્પણ
- ખેડૂતોને દિવસે વીજળી મળે તેની કિસાન સૂર્યોદય યોજનાનું લોકર્પણ
- અમદાવાદ ખાતે બાળકો માટે અદ્યતન હાર્ટ હોસ્પિટલનું ઈ લોકર્પણ
જૂનાગઢ : દેશનાં વડાપ્રધાન મોદીએ ત્રણ યોજનાઓનું ઈ-લોકાર્પણ કર્યું છે. જેમાં એશિયાનાં સૌથી મોટા ગીરનાર રોપ-વે તેમજ ખેડૂતોને દિવસે વીજળી મળે તેની કિસાન સૂર્યોદય યોજના ઉપરાંત બાળકો માટેની અદ્યતન હાર્ટ હોસ્પિટલનો સમાવેશ થાય છે. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ જૂનાગઢ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા છે.
રોપવે બનવાથી સૌને દર્શનનો અવસર મળશે : મોદી
ગીરનાર પર્વત પર બનેલા રોપવે અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ ગુજરાતનો ચોથો રોપવે પ્રોજેકટ છે. ગીરનાર પર્વત પર માં અંબા, ગુરુ દત્તાત્રેય અને જૈન મંદિર પણ છે. જોકે વિપક્ષે અડચણો ઉભી કરવાના કારણે આ સુવિધા મળવામાં ઘણું મોડું થયું છે. પરંતુ આ સુવિધા શરૂ થવાથી શારીરિક અશક્ત હોય તેવા લોકો પણ ગીરનાર પર્વત પર આવેલા ધાર્મિક સ્થળો સુધી સરળતાથી પહોંચી શકશે.
ગીરનાર પરનાં રોપ-વે દ્વારા 2.3કિ.મી.નું અંતર 7 મિનિટમાં કાપી શકાશે
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા માત્ર 7 મિનિટમાં કાપી શકાશે. રોપ-વેમાં ગ્લાસ ફ્લોરિંગની કેબીન જેવા 25 જેટલા કોચ છે અને તેના પરિવહન માટે 9 ટાવર પણ ઉભા કરાયા છે. દરેક કોચમાં એક સાથે 8 પેસેન્જર બેસી શકશે. આ રોપ-વે માત્ર એક કલાકમાં 8,00 સહિત દરરોજના 8,000 પેસેન્જરને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રોપ-વે પેસેન્જર્સને 900 મીટરની ઊંચાઈ સુધી લઈ જશે. જે 5000 પગથિયા જેટલી ઊંચાઈ થાય છે. રોપ વેનો સૌથી ઊંચો પિલ્લર 66 મીટર ઊંચો છે. 50 વર્ષની અનુભવી ઉષા બ્રેકો કંપની દ્વારા અંદાજિત રૂ. 130 કરોડના ખર્ચે રોપ-વે બનાવાયો છે, જેનું સંચાલન તેમજ જાળવણી પણ કંપની દ્વારા કરવામાં આવનાર છે.
હાર્ટનાં દર્દીઓને સારવાર માટે ગુજરાત બહાર નહીં જવું પડે : PM મોદી
આજે વડાપ્રધાન મોદીએ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. અને જણાવ્યું હતું કે, હવે હૃદયરોગનાં દર્દીને ગુજરાત બહાર નહીં જવું પડે. રાજ્યમાં જ તેને વિશ્વ કક્ષાની આધુનિક સારવાર મળશે. આ હોસ્પિટલમાં 1251 બેડમાં હ્દય, ફેફસાંના ટ્રાન્સપ્રલાન્ટ સહિતની તમામ આધુનિક સુવિધાઓ છે. આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ આ યુ.એન. મહેતા હોસ્પિટલમાં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગનાં દર્દીઓની સંપૂર્ણ સારવાર કરવામાં આવશે.
ખેડૂતોને દિવસે વીજળી મળતા રાત્રે ઉજાગરા નહીં કરવા પડે : PM મોદી
ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. જેનું ઈ-લોકાર્પણ પણ વડાપ્રધાનનાં હસ્તે કરાયું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, હવે ખેડૂતોને રાત ઉજાગરા નહીં કરવા પડે. ઉલ્લેખનીય છેકે, કિસાન સંઘ સહિતની ખેડૂત સંસ્થાઓ દ્વારા ખેડૂતોને દિવસનાં સમયે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારનાં સહયોગથી કિસાન સર્વોદય યોજના શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, મધ્ય ગુજરાતનાં દાહોદ અને ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનાં ખેડૂતોને મળશે. બાદમાં ક્રમશ રાજ્યનાં તમામ ગામનાં ખેડૂતો સુધી આ યોજના પહોંચાડવામાં આવનાર છે.