કોરોનાની પહેલી અને બીજી લહેર ખુબ ઘાતક બની છે જેમાં મોટા વયના લોકોની સાથે બાળકો પણ સંક્રમિત થાય છે. શાળાઓ બંધ રહેવાના કારણે ઘરમાં રહેતા બાળકોના માનસિક અને શારીરિક આરોગ્યને ખાસ્સું નુકસાન થયું છે. ઘણા જાણકારોનું કેહવું છે કે જો ઘરના મોટા લોકો કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો બાળકોને ત્રીજી લહેરની સાથે સાથે તેમની મુશ્કેલીઓથી પણ સુરક્ષિત રાખી શકાય છે.
નવી દિલ્હીની લેડી હોર્ડિંગ મેડિકલ કોલેજના પીડિયાટ્રિકસ વિભાગના ડાયરેકટર ડૉ. પ્રવીણ કુમારનું કહેવું છે કે કોરોના મહામારીને લીધે બાળકોના માનસિક અને શારીરિક આરોગ્ય પર ગંભીર અસર પડી છે. એક વર્ષ કરતા વધારે સમયથી બાળકો ઘરમાં કેદ છે. પરિવારોમાં બિમારીનો માહોલ, નોકરી છુટી જવી, સારવાર પર મોટો ખર્ચ વગેરે જેવા કારણોના લીધે પરિવારોમાં તનાવ વધ્યા છે જેની બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે.
ડૉ.પ્રવીણ કુમારનું કહેવું છે કે બાળકો તેમનો તનાવ વ્યવહારના માધ્યમથી પ્રદર્શિત કરતા હોય છે. કેટલાંક બાળકો એકદમ શાંત થઇ જાય તો કેટલાંક હાઇપર થઇ જાય છે. એવામાં ઘરના વડીલોએ ધીરજથી તેમની વાત સાંભળી અને તેમની ભાવનાઓને સમજવી જોઇએ. ડૉક્ટરનું કહેવું છ કે નાના બાળકોના તનાવના લક્ષણોને સમજવાની કોશિશ કરજો. જો બાળક ઉદાસ રહેતું હોય, વધારે ઉંઘ લેતું હોય,બિન આરોગ્યપ્રદ ભોજન લેતું હોય, એકાગ્રતા ન રહેતી હોય તો તનાવના લક્ષણો હોય શકે છે.
ત્રીજી લહેર આવશે કે નહીં આવે તે બાબતે હજુ અંદાજ જ મુકવામાં આવ્યો છે, પરંતું આગામી મહિનાઓમાં મોટી સંખ્યામાં મોટી ઉંમરના લોકો વેકસીનના બંને ડોઝ પુરા કરી લે તો સંક્રમણના ગંભીર જોખનથી બચી શકાશે. ઘરના લોકોએ જાતે જ સંયમ રાખીને કોવિડ નિયમોનું પાલન કરવું પડશે, સામાજિક મેળાવડાઓ, સામાજિક પ્રસંગો કે ધાર્મિક પ્રસંગોમાં જવાનું ઘરના લોકોએ ટાળવું પડશે. આ રીતે બાળકોને પણ ત્રીજી લહેર સામે સુરક્ષિત કરી શકશો.
ડૉ. પ્રવીણનું કહેવુ છે કે બીજી લહેરમાં 12 ટકા દર્દી એવા હતા જેમની ઉંમર 20 વર્ષથી ઓછી હતી 19 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઇંફલેમેટરી સિન્ડ્રોમના કેસો જોવા મળ્યા, જેને એક નવા સિન્ડ્રોમ તરીકે બતાવવામાં આવ્યું છે. જો બાળકોમાં આ સિન્ડ્રોમની તરત ઓળખ થાય તો તેની સારવાર ઝડપથી થઇ શકે. વાલીઓ બાળકોના લક્ષણો માટે સતર્ક રહે તે જરૂરી છે.
કોરોનાની પહેલી અને બીજી લહેર ખુબ ઘાતક બની છે જેમાં મોટા વયના લોકોની સાથે બાળકો પણ સંક્રમિત થાય છે. શાળાઓ બંધ રહેવાના કારણે ઘરમાં રહેતા બાળકોના માનસિક અને શારીરિક આરોગ્યને ખાસ્સું નુકસાન થયું છે. ઘણા જાણકારોનું કેહવું છે કે જો ઘરના મોટા લોકો કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો બાળકોને ત્રીજી લહેરની સાથે સાથે તેમની મુશ્કેલીઓથી પણ સુરક્ષિત રાખી શકાય છે.
નવી દિલ્હીની લેડી હોર્ડિંગ મેડિકલ કોલેજના પીડિયાટ્રિકસ વિભાગના ડાયરેકટર ડૉ. પ્રવીણ કુમારનું કહેવું છે કે કોરોના મહામારીને લીધે બાળકોના માનસિક અને શારીરિક આરોગ્ય પર ગંભીર અસર પડી છે. એક વર્ષ કરતા વધારે સમયથી બાળકો ઘરમાં કેદ છે. પરિવારોમાં બિમારીનો માહોલ, નોકરી છુટી જવી, સારવાર પર મોટો ખર્ચ વગેરે જેવા કારણોના લીધે પરિવારોમાં તનાવ વધ્યા છે જેની બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે.
ડૉ.પ્રવીણ કુમારનું કહેવું છે કે બાળકો તેમનો તનાવ વ્યવહારના માધ્યમથી પ્રદર્શિત કરતા હોય છે. કેટલાંક બાળકો એકદમ શાંત થઇ જાય તો કેટલાંક હાઇપર થઇ જાય છે. એવામાં ઘરના વડીલોએ ધીરજથી તેમની વાત સાંભળી અને તેમની ભાવનાઓને સમજવી જોઇએ. ડૉક્ટરનું કહેવું છ કે નાના બાળકોના તનાવના લક્ષણોને સમજવાની કોશિશ કરજો. જો બાળક ઉદાસ રહેતું હોય, વધારે ઉંઘ લેતું હોય,બિન આરોગ્યપ્રદ ભોજન લેતું હોય, એકાગ્રતા ન રહેતી હોય તો તનાવના લક્ષણો હોય શકે છે.
ત્રીજી લહેર આવશે કે નહીં આવે તે બાબતે હજુ અંદાજ જ મુકવામાં આવ્યો છે, પરંતું આગામી મહિનાઓમાં મોટી સંખ્યામાં મોટી ઉંમરના લોકો વેકસીનના બંને ડોઝ પુરા કરી લે તો સંક્રમણના ગંભીર જોખનથી બચી શકાશે. ઘરના લોકોએ જાતે જ સંયમ રાખીને કોવિડ નિયમોનું પાલન કરવું પડશે, સામાજિક મેળાવડાઓ, સામાજિક પ્રસંગો કે ધાર્મિક પ્રસંગોમાં જવાનું ઘરના લોકોએ ટાળવું પડશે. આ રીતે બાળકોને પણ ત્રીજી લહેર સામે સુરક્ષિત કરી શકશો.
ડૉ. પ્રવીણનું કહેવુ છે કે બીજી લહેરમાં 12 ટકા દર્દી એવા હતા જેમની ઉંમર 20 વર્ષથી ઓછી હતી 19 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં મલ્ટીસિસ્ટમ ઇંફલેમેટરી સિન્ડ્રોમના કેસો જોવા મળ્યા, જેને એક નવા સિન્ડ્રોમ તરીકે બતાવવામાં આવ્યું છે. જો બાળકોમાં આ સિન્ડ્રોમની તરત ઓળખ થાય તો તેની સારવાર ઝડપથી થઇ શકે. વાલીઓ બાળકોના લક્ષણો માટે સતર્ક રહે તે જરૂરી છે.